Gujarat Election 2022 : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 20-21 નવેમ્બરના રોજ ગુજરાતમાં, કરશે ચૂંટણી પ્રચાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 20 નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે કાર્યક્રમમાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તાપીમાં કેસરિયા રેલીમાં સામેલ થવાના છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2022 | 9:15 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 20 નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે કાર્યક્રમમાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તાપીમાં કેસરિયા રેલીમાં સામેલ થવાના છે. જ્યારે મોડી સાંજે નર્મદા જિલ્લામાં એક જાહેર સભાને સંબોધિત કરશે. તાપીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કેસરિયા રેલીમાં સામેલ થશે અને ત્યાર બાદ આર. જે. પટેલ સ્કૂલ, નિઝરમાં જાહેર સભાને સંબોધિત કરશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ત્યાર બાદ નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં પીઠા ગ્રાઉન્ડ સામે જાહેર સભાને સંબોધિત કરશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 21 નવેમ્બરના રોજ ચાર સ્થળોએ સભા ગજવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ખંભાળિયા, કોડિનાર, રાજુલા, અને ભુજમાં સભા સંબોધશે.

ગુજરાતમાં યોજાશે બે તબક્કામાં  મતદાન, 8 ડિસેમ્બરે પરિણામ

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">