Gujarat Election 2022: આમલેથાની શાળાના વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચીને આપ્યો મતદાન જાગૃતિનો સંદેશ

|

Nov 23, 2022 | 3:11 PM

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વાર સ્વિપ મતદાર જાગૃત્તિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે, જે અંતર્ગત જિલ્લાના આમલેથા ગામની નૂતન જ્યોતિ વિદ્યાલય ખાતે શાળાના આચાર્ય કિશોર સિંહ ખેર તથા શાળાના પરિવાર દ્વારા “VOTE FOR NARMADA” ની માનવ સાંકળ બનાવી મતદારોમાં જાગૃત્તિ કેળવવાનો કાર્યક્રમ યોજાયો હતો.

Gujarat Election 2022: આમલેથાની શાળાના વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચીને આપ્યો મતદાન જાગૃતિનો સંદેશ
નર્મદામાં વિદ્યાર્થીઓએ રચી માનવ સાંકળ

Follow us on

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: નર્મદા જિલ્લામાં આમલેથાની નૂતન જ્યોતિ વિદ્યાલય શાળા પરિવારે “VOTE FOR NARMADA” ની માનવ સાંકળ બનાવી મતદારોને મહત્તમ મતદાનનો સંદેશો આપ્યો હતો.  નર્મદા જિલ્લામાં 1 ડિસેમ્બરના રોજ  મતદાન યોજાવાનું છે.  જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વાર સ્વિપ મતદાર જાગૃત્તિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે, જે અંતર્ગત જિલ્લાના આમલેથા ગામની નૂતન જ્યોતિ વિદ્યાલય ખાતે શાળાના આચાર્ય કિશોર સિંહ ખેર તથા શાળાના પરિવાર દ્વારા “VOTE FOR NARMADA” ની માનવ સાંકળ બનાવી મતદારોમાં જાગૃત્તિ કેળવવાનો કાર્યક્રમ યોજાયો હતો.

નર્મદા જિલ્લામાં બે વિધાનસભા બેઠક આવેલી છે, નર્મદા જિલ્લામાં 4,57,403 મતદારો છે, જેમાં નાંદોદ વિધાનસભા માં 2,35,056 મતદારો છે જ્યારે ડેડીયાપાડા વિધાનસભામાં 2,22,674 મતદારો છે, જેમાં ગત ચૂંટણી 2017માં ની જો વાત કરીએ તો ડેડીયાપાડા વિધાનસભામાં 79.47 ટકા મતદાન નોંધાયું હતું, જે જિલ્લાની બંને બેઠકોમાં સૌથી વધુ મતદાન ડેડીયાપાડામાં નોંધાયું હતું.  જો નર્મદા જિલ્લાની વાત કરીએ તો 2012 માં 82.21 ટકા મતદાન સાથે ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે રહ્યો હતો.

જ્યારે 2017 વિધાનસભા માં 79.15 ટકા મતદાન થયું હતું, આમ જોવા જઈએ તો આદિવાસી બહુતુલ્ય જિલ્લામાં મતદાનની ટકાવારી ખૂબ વધુ રહેતી હોય તેમ લાગે છે. નર્મદા જિલ્લાની બંને બેઠકોમાં જાતિગત સમીકરણ જોઈએ તો નાંદોદ વિધાનસભામાં 31 ટકા તડવી સમાજના લોકો છે જ્યારે વસાવા સમાજ 30 ટકા ભીલ આદિવાસી 11 ટકા અને પટેલ સમાજ 06 ટકા છે બાકી અન્ય સમાજના લોકો વસે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

નાંદોદ વિધાનસભા મતદારોની સંખ્યા આ પ્રમાણે છે

  1. આદિવાસી- 1,30,000
  2. બક્ષીપંચ- 27,500
  3. સામાન્ય- 47,000
  4. અનુ.જાતિ- 15,000
  5. અન્ય- 16,000
  6. કુલ મતદારો- 2,35,000

ગુજરાત ચૂંટણી 2022: જાણો નાંદોદ ચૂંટણીના ઉમેદવારની ફેરબદલી

નાંદોદ વિધાનસભા બેઠક પરથી ભાજપમાંથી ડો.દર્શનાબેન દેશમુખ,કોંગ્રેસમાંથી સીટીંગ ધારાસભ્ય પી ડી વસાવાની ટીકીટ કાપીને યુવા નેતા હરેશ વસાવાને ટીકીટ આપવામાં આવી છે તો BTPમાંથી આમ આદમી પાર્ટીમાં આવેલા ડો.પ્રફુલ વસાવાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે BTPમાંથી પૂર્વ નગરપાલિકા પ્રમુખ મહેશ સરાધ વસાવાને ટિકિટ ફાળવવામાં આવી છે તો ભાજપમાંથી બળવો કરીને આદિજાતિ મોરચાના પ્રદેશના પૂર્વ પ્રમુખ હર્ષદ વસાવાએ અપક્ષ ઉમેદવારી કરી છે. જો નાંદોદ બેઠક પર તડવી સમાજ જે બાજુ પોતાનો ઝુકાવ કરે તે પાર્ટી આ બેઠક પરથી વિજેતા જાહેર થઈ શકે છે

ડેડિયાપાડા છે આદિવાસી બહુલ વિસ્તાર

જ્યારે ડેડીયાપાડા વિધાનસભા બેઠક પર 2,22,674 મતદારો છે, જેમાં આદિવાસી બહુમતી ધરાવતી આ બેઠક પર નીચે પ્રમાણે જાતિઓ ડેડીયાપાડા વિધાન સભા

  1. આદિવાસી- 1,93,798
  2. બક્ષીપંચ- 17,070
  3. સામાન્ય- 10,130
  4. અનુ.જાતિ- 502
  5. અન્ય- 500
  6. કુલ મતદારો- 2,22,000

અહીં ડેડીયાપાડા વિધાનસભા બેઠક પરથી ભાજપે યુવા નેતા હિતેશ વસાવા ઉતાર્યા છે તો ત્યારે કોંગ્રેસે મહિલા સક્ષમ ઉમેદવાર જેરમાબેન વસાવાને ટિકિટ આપી છે, ત્યારે BTPમાંથી નર્મદા જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન બહાદુર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે BTP ના પૂર્વ કાર્યકરિણી અધ્યક્ષ કે જેઓ આપમાં જોડાતા ચૈતર વસાવાને ટિકિટ આપી છે, ડેડીયાપાડા વિધાનસભા બેઠક પર આ ચાર પાર્ટીઓ વચ્ચે ખરાખરી નો જંગ જામવાનો છે.

વિથ ઇનપુટ ક્રેડિટ, વિશાલ પાઠક, નર્મદા ટીવી9

Next Article