AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: સુરતમાં આપના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચતા રાજકીય ધમાસાણ, મનિષ સિસોદિયાએ ભાજપ પર અપહરણનો આરોપ લગાવ્યો

Gujarat Election 2022: ગુજરાતની સુરત પૂર્વ વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર કંચન જરીવાલાએ બુધવારે તેમનું ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું હતું, જેના પગલે AAP એ આરોપ લગાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (BJP)એ જરીવાલાને અપહરણ કરવામાં આવ્યું હતું.

Gujarat Election 2022: સુરતમાં આપના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચતા રાજકીય ધમાસાણ, મનિષ સિસોદિયાએ ભાજપ પર અપહરણનો આરોપ લગાવ્યો
Manish SisodiyaImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2022 | 4:37 PM
Share

Gujarat Election 2022: ગુજરાતની સુરત પૂર્વ વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર કંચન જરીવાલાએ બુધવારે તેમનું ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું હતું, જેના પગલે AAP એ આરોપ લગાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (BJP)એ જરીવાલાને અપહરણ કરવામાં આવ્યું હતું. તેમના પર નામાંકન પાછું ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. જ્યારે ભાજપે આ આરોપને નકારી કાઢ્યો છે.

જેમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે જરીવાલા અને તેમના પરિવારના સભ્યો મંગળવારથી ગુમ છે. સિસોદિયાએ કહ્યું કે, “ભાજપ ગુજરાતની ચૂંટણીમાં ખરાબ રીતે હારી રહી છે અને તે નારાજ થઈને એટલા નીચા સ્તરે આવી ગઈ કે તેણે સુરત પૂર્વમાંથી અમારા ઉમેદવારનું અપહરણ કર્યું.” “હારના ડરથી, ભાજપના ગુંડાઓએ AAPના સુરતના ઉમેદવાર કંચન જરીવાલાને અપહરણ કર્યું, તેમ તેમણે કહ્યું હતું .

ભાજપે આ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય અરવિંદ રાણાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને મતગણતરી 8 ડિસેમ્બરે થશે. જેમાં AAPના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો હતો કે શાસક પક્ષના દબાણ હેઠળ ઉમેદવારી પાછી ખેંચવા બુધવારે ભારે પોલીસ સુરક્ષા વચ્ચે જરીવાલા રિટર્નિંગ ઓફિસરની ઓફિસે પહોંચ્યા હતા અને તેમને “ભાજપના ગુંડાઓ” દ્વારા ઘેરી લેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે મીડિયા કર્મીઓએ જરીવાલાને પૂછપરછ કરી તો તેમની આસપાસના લોકો તરત જ તેમને લઈ ગયા.

ઇટાલિયાએ આક્ષેપ કર્યો હતો કે જરીવાલા ગુમ થઈ ગયા હતા અને “ભાજપના ગુંડાઓ” દ્વારા તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને ચૂંટણીથી દૂર રહેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. સિસોદિયાએ કહ્યું, “આ માત્ર અમારા ઉમેદવારનું અપહરણ નથી, પરંતુ લોકશાહીનું પણ છે. ગુજરાતની સ્થિતિ ખૂબ જ ખતરનાક છે. તેમણે ચૂંટણી પંચને આ મામલાની નોંધ લેવા વિનંતી કરી હતી.

જો કે, ભાજપના સુરત શહેર એકમના પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે આમ કરવાને બદલે AAPએ “તમારા ઘર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ”. ઇટાલિયાએ જણાવ્યું હતું કે AAP આ મામલે આગળની કાર્યવાહી અંગે કાયદાકીય નિષ્ણાતોની તેની ટીમની સલાહ લેશે. AAPના ગુજરાત એકમના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાએ આરોપ લગાવ્યો હતો કે “ભાજપના ગુંડાઓએ” મંગળવારે જરીવાલાને તેમની ઉમેદવારી પાછી ખેંચવા માટે દબાણ કરવા માટે તેમનું અપહરણ કર્યું હતું.

ચઢ્ઢાએ કહ્યું કે પાર્ટીએ આ અંગે મુખ્ય ચૂંટણી અધિકારીને જાણ કરી છે અને આ મામલે લેખિત ફરિયાદ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ અંગે સ્થાનિક પોલીસ અને પ્રશાસનને પણ જાણ કરવામાં આવી છે. સુરત પોલીસ કમિશનર અજય તોમરે ‘પીટીઆઈ-ભાષા’ને જણાવ્યું કે આ મામલો તેમના ધ્યાન પર આવ્યો છે. સિસોદિયા અને પાર્ટીના અન્ય નેતાઓએ કથિત અપહરણને લઈને ચૂંટણી પંચની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">