Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 5 વર્ષમાં પત્તા બદલાયા, સૌરાષ્ટ્રમાં 16 બેઠક પર પાટીદાર VS પાટીદાર વચ્ચે જંગ, 2017ના નિર્ણાયક મતોમાં ભાગલા !

|

Nov 15, 2022 | 2:49 PM

સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજની જનસંખ્યા નોંધપાત્ર છે.ગ્રામ્ય વિસ્તારોમાં પાટીદારો(Patidar Community) જેની સાથે રહે તે પાર્ટીને સીધો જ ફાયદો થાય છે અને એટલા માટે જ ભાજપ હોય,કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી દરેક પાટીદારોને રિઝવવાના પ્રયત્નો કરી રહ્યા છે

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 5 વર્ષમાં પત્તા બદલાયા, સૌરાષ્ટ્રમાં 16 બેઠક પર પાટીદાર VS પાટીદાર વચ્ચે જંગ, 2017ના નિર્ણાયક મતોમાં ભાગલા !
Gujarat Election 2022- Patidar Power in Saurahstra Area

Follow us on

વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. પ્રથમ તબક્કાની તમામ બેઠકના ઉમેદવારોના નામ જાહેર થઇ ગયા છે.આ વખતે દરેક રાજકીય પાર્ટીઓ માટે સૌરાષ્ટ્ર એ એપી સેન્ટર રહ્યું છે અને તેમાં પણ પાટીદાર સમાજ કોની સાથે રહેશે તે દરેક રાજકીય પાર્ટી માટે કોયડો બન્યો છે.સૌરાષ્ટ્ર કચ્છની 54 બેઠકો પૈકી 16  બેઠકો પર પાટીદાર વર્સિસ પાટીદાર વચ્ચે જંગ જામશે.

વિધાનસભાની ચૂંટણીનું બ્યુંગલ વાગી ગયું છે.આ ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાને છે.સૌરાષ્ટ્રમાં દરેક રાજકીય પક્ષોની નજર પાટીદાર મતદારો પર રહેલી છે વર્ષ 2017માં પાટીદાર મતદારોએ કોંગ્રેસને સાથ આપ્યો હતો જેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકો પૈકી 30 બેઠકો કોંગ્રેસને જ્યારે 23 બેઠકો ભાજપને ફાળે ગઇ હતી.આ વખતે પાટીદારોને પોતાના સાથે રાખવા માટે દરેક રાજકીય પક્ષો પાટીદાર પ્રભુત્વ ઘરાવતી બેઠકો પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.આ વખતે 16 જેટલી એવી બેઠકો છે જેમાં 16 એવી બેઠકો છે જેમાં ભાજપ-કોંગ્રેસ અથવા આપના પાટીદાર નેતાઓ આમને સામને છે.જો જિલ્લા પ્રમાણે નજર કરીએ તો

રાજકોટ જિલ્લો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

બેઠક                      ભાજપ                કોંગ્રેસ                            આપ
દક્ષિણ             રમેશ ટીલાળા         હિતેશ વોરા              શિવલાલ બારસિયા
જેતપૂર             જયેશ રાદડિયા        દિપક વેકરીયા          રોહિત ભુવા
ઘોરાજી              મહેન્દ્ર પાડલિયા      લલિત વસોયા         વિપુલ સખિયા

મોરબી જિલ્લો

મોરબી               કાંતિ અમૃતિયા         જંયતિ પટેલ            પંકજ રાણસરીયા
ટંકારા                 દુર્લભજી દેથરીયા      લલતિ કગથરા          સંજય ભટાસણા

અમરેલી જિલ્લો

અમરેલી              કૌશિક વેકરીયા       પરેશ ધાનાણી            રવિ ધાનાણી
લાઠી                    જનક તળાવિયા      વિરજી ઠુમ્મર               જયસુખ દાત્રોજા
સાવરકુંડલા           મહેશ કશવાલા       પ્રતાપ દુધાત                ભરત નાકરાણી

જુનાગઢ જિલ્લો

વિસાવદર              હર્ષદ રીબડિયા      કરશન વડોદરીયા           ભૂપત ભાયાણી

કચ્છ જિલ્લો

ભુજ                         કેશુ પટેલ          અરજણ ભુડીયા                 રાજેશ પીંડોરિયા

ભાજપ અને કોંગ્રેસના પાટીદાર નેતાઓ વચ્ચે જંગ

જામનગર જિલ્લો

જામજોધપુર        ચીમન સાપરીયા         ચિરાગ કાલરિયા
દક્ષિણ                 દિવ્યેશ અકબરી        મનોજ કથિરીયા

ભાજપ અને આપના પાટીદાર નેતાઓ વચ્ચે જંગ

જામનગર જિલ્લો

ગ્રામ્ય                      રાઘવજી પટેલ                       –                              પ્રકાશ દોંગા

અમરેલી જિલ્લો

ધારી                       જે.વી.કાકડિયા                ઓબીસી                    કાંતિ સતાસીયા

જુનાગઢ જિલ્લો

જુનાગઢ                    સંજય કોરડિયા                     –                           કેતન ગજેરા

ભાવનગર જિલ્લો

ગારિયાધર બેઠક     કેશુ નાકરાણી                                                      સુધીર વાઘાણી

આ બેઠકોમાં કેટલીક બેઠકો ખૂબ જ રસપ્રદ છે. રાજકોટ દક્ષિણ બેઠક પર ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટિલાળા મેદાને ઉતર્યા છે તો અમરેલી જિલ્લામાં પરેશ ધાનાણી સામે મજબૂત ઉમેદવાર તરીકે કૌશિક વેકરીયા છે જે યુવા ચહેરો છે.

વર્ષ 2017માં પાટીદાર અનામત આંદોલનની જોરદાર અસર સૌરાષ્ટ્રમાં રહી હતી જેના કારણે ગ્રામ્ય  વિસ્તારનો પાટીદાર સમાજ ભાજપથી નારાજ થયો હતો.આ કારણે જ ભાજપે અમરેલી,જુનાગઢ,મોરબી અને જામનગર જિલ્લામાં બેઠકો ગુમાવી પડી હતી.પાટીદારોની ધાર્મિક સંસ્થા ખોડલધામ અને સિદસર પણ દરેક રાજકીય પાર્ટીઓમાંથી પાટીદારોને વધારે ટિકિટ મળે તેવા પ્રયત્ન કરતી નજરે પડી હતી.જો કે પ્રચારમાં આ સંસ્થાઓ નહિ જોડાવાની પણ જાહેરાત કરી છે.ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે જાહેરાત કરી છે કે ખોડલધામ એકપણ રાજકીય પાર્ટીનો પ્રચાર નહિ કરે.

સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજની જનસંખ્યા નોંધપાત્ર છે.ગ્રામ્ય વિસ્તારોમાં પાટીદારો જેની સાથે રહે તે પાર્ટીને સીધો જ ફાયદો થાય છે અને એટલા માટે જ ભાજપ હોય,કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી દરેક પાટીદારોને રિઝવવાના પ્રયત્નો કરી રહ્યા છે.કેટલીક એવી પણ સીટો છે જ્યાં ભાજપ ,કોંગ્રેસે પાટીદાર ચહેરાઓને સ્થાન આપ્યું છે જેની સામે ઓબીસી કે અન્ય જ્ઞાતિના ઉમેદવાર મેદાને રહ્યા છે.પાટીદાર પ્રભુત્વ ધરાવતી સીટો પર દરેક રાજકીય પાર્ટીઓએ પાટીદારોને ટિકિટ તો આપી છે હવે તેની જીતનો આધાર ઉમેદવારની વ્યક્તિગત તાકાત પર રહેલો છે ત્યારે આ વખતની ચૂંટણીમાં પાટીદારો કોને પોતાના વોટથી આર્શિવાદ આપે છે તે આગામી પરિણામ જ કહેશે.

Published On - 2:49 pm, Tue, 15 November 22

Next Article