Gujarat Election 2022: ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વધુ એક ગાબડું, સાબરકાંઠામાં 100 જેટલા કોંગ્રેસી અને એક આપના આગેવાને કેસરીયા કર્યા

આ પહેલા કોંગ્રેસના આદિવાસી આગેવાન અશ્વિન કોટવાલ અને ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન મહેન્દ્રસિંહ બારીયાએ કોંગ્રેસના રામ રામ કરીને મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરોની સાથે ભાજપ (BJP) ના કેસરીયા કર્યા હતા.

Gujarat Election 2022: ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વધુ એક ગાબડું, સાબરકાંઠામાં 100 જેટલા કોંગ્રેસી અને એક આપના આગેવાને કેસરીયા કર્યા
કોંગ્રેસ અને એક AAP ના આગેવાન પણ BJP માં જોડાયા
Follow Us:
| Updated on: Sep 08, 2022 | 7:38 PM

સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસની હાલત વિધાનસભાની સામાન્ય ચૂંટણી (Gujarat Election 2022) ઓ પહેલા વધુ ખરાબ થઈ રહી છે. પહેલા દિગ્ગજ આગેવાનોએ કોંગ્રેસનો સાથ છોડી દીધા બાદ વિધાનસભા બેઠક પરના આગેવાનો પણ હવે કોંગ્રેસ છોડીને કેસરીયો ધારણ કરી રહ્યા છે. એક જ સપ્તાહમાં બીજી વાર કોંગ્રેસી આગેવાનોના મોટા જૂથ હવે ભાજપ (BJP) માં જોડાઈ રહ્યા છે. ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકના વિજયનગર વિસ્તારના 100 થી વધુ આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. અશ્વિન કોટવાલ (Ashwin Kotwa) ની ઉપસ્થિતીમાં કાર્યકરોએ કેસરીયો કર્યો હતો.

ખેડબ્રહ્મા અને પ્રાંતિજ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્યો અશ્વિન કોટવાલ અને મહેન્દ્રસિંહ બારીયા હવે ભાજપનો ખેસ પહેરીને પક્ષ માટે પાયાનુ કાર્ય કરી રહ્યા છે. બંને પૂર્વ ધારાસભ્યોએ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને પણ કેસરીયા કરાવ્યા હતા. પરંતુ હવે વિજયનગર વિસ્તારમાં 100 થી વધુ આગેવાનો અને કાર્યકરો એક સામગટે કોંગ્રેસને છોડી ચૂક્યા છે. જેમાં પુરુષ અને મહિલા બંને પ્રકારના આગેવાનો અને કાર્યકરોનો સમાવેશ થાય છે.

કોણ કોણ મહત્વના આગેવાન જોડાયા?

વિજયનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ રહી ચૂકેલા કાન્તાબેન બળેવિયા એ પણ કોંગ્રેસને અલવિદા કહી દીધુ છે. તેમજ વિજયનગર તાલુકા કોંગ્રેસના પ્રમુખ પદે લાંબા સમયથી રહેલા સુરેશ ગઢવીએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. માલધારી સેલના અધ્યક્ષ ભગવાનદાસ રબારી એ પણ કોંગ્રેસને રામ રામ કર્યા છે. NSUI ના વિજયનગર તાલુકા પ્રમુખ કલ્પેશ ભગોરાએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ આદમી પાર્ટીમાંથી પણ તાલુકા ઉપપ્રમુખ સ્તરના એક આગેવાન અનિલ કમજી અસારી ભાજપમાાં જોડયો હોવાની જાણકારી સામે આવી છે.

દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ
Garlic Benefits : રોજ લસણની બે કળી ખાલી પેટ ખાવાના ચમત્કારિક ફાયદા
આ છે હિંદુ ધર્મનું સૌથી નાનું અને પ્રસિદ્ધ પુસ્તક, ફક્ત વાંચવાથી દુર થાય છે મુસીબત !

અશ્વિન કોટવાલે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયા હતા

ખેડબ્રહ્મા વિધાનસબા બેઠક પરથી વર્ષ 2007, વર્ષ 2012 અને 2017 માં ભારે બહુમતી સાથે વિજયી રહેલા અશ્વિન કોટવાલ ગુજરાતના આદીવાસીઓના મહત્વના આગેવાન છે. ઉત્તર ગુજરાતમાં તેમના ભાજપગમનથી કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો હતો. વિસ્તારમાં અશ્વિન કોટલાવની મજબૂત પકડ છે અને તેઓએ વિસ્તારના લોકો સાથે સીધા સંપર્ક પણ ખૂબ કેળવ્યા છે. ત્યારબાદ સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસને મહેન્દ્રસિંહ બારૈયાના રુપમાં લાગ્યો હતો ઝટકો. મહેન્દ્રસિંહ ક્ષત્રિય ઠાકોર સમાજનોા મહત્વના આગેવાને પણ કોંગ્રેસને રામરામ કરી થોડાક સમય પહેલા જ સીઆર પાટીલના હસ્તે કેસરિયા કર્યા છે. તેઓ

સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી
g clip-path="url(#clip0_868_265)">