AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar: CM બાદ હવે ભાજપ પાર્ટી પ્રમુખ પાટીલની ડિનર ડિપ્લોમસી, ચૂંટણીની રણનીતિ મુદ્દે થઈ શકે છે ચર્ચા

વિધાનસભા સત્રને હવે માત્ર બે જ દિવસ બાકી છે ત્યારે ડિનર દરમિયાન વિધાનસભા સત્રની કાર્યવાહી અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા થઇ શકે છે. ભાજપમાં આગામી સમયમાં કેટલા કાર્યકરો જોડાવાના છે. તેને લઇને પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

Gandhinagar: CM બાદ હવે ભાજપ પાર્ટી પ્રમુખ પાટીલની ડિનર ડિપ્લોમસી, ચૂંટણીની રણનીતિ મુદ્દે થઈ શકે છે ચર્ચા
C. R. Patil ( File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2022 | 12:53 PM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) નજીક આવી રહી છે. તેમ તેમ ભાજપ (BJP) પણ પ્રચાર-પ્રસાર અને રણનીતિના આયોજનના મૂડમાં જોવા મળી રહી છે. ભાજપ હોય કે કોંગ્રેસ તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગત સપ્તાહમાં મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને થયેલી ડિનર ડિપ્લોમસી (Dinner Diplomacy )બાદ હવે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે (C.R. Patil) પણ ડિનરનું આયોજન કર્યુ છે. જેમાં ભાજપના તમામ ધારાસભ્યોને ભોજન માટે આમંત્રણ અપાયું છે. તો ધારાસભ્ય ઉપરાંત સંગઠનના હોદ્દાદારો પણ ડિનર માટે હાજર રહેશે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને આજે રાત્રે ડિનરનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યોને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના ઘરે રાત્રી ભોજનનું આમંત્રણ આપવામાં આવ્યુ છે. વિધાનસભા સત્રને હવે માત્ર બે જ દિવસ બાકી છે ત્યારે ડિનર દરમિયાન વિધાનસભા સત્રની કાર્યવાહી અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા થઇ શકે છે. ભાજપમાં આગામી સમયમાં કેટલા કાર્યકરો જોડાવાના છે. તેને લઇને પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ભાજપ એક ઓપન ફોરમ હોવાથી તેમાં બહોળા પ્રમાણમાં લોકો જોડાવાની શક્યતા છે. ત્યારે આ અંગે ચર્ચા કરવામાં આવશે.

મહત્વનું છે કે ગત સપ્તાહમાં મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને પણ ડિનર ડિપ્લોમસી યોજાઇ હતી. જેમાં ભાજપના મોટા નેતાઓ , ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારોને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. દર વખતે ચૂંટણી સમયે આ પ્રમાણેની ડિનર ડિપ્લોમસીનું રાજકીય પક્ષો દ્વારા આયોજન કરવામાં આવતુ હોય છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ પણ 25 માર્ચના રોજ ડિનર ડિપ્લોમસી યોજી હતી. જેમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યો, અગ્રણી નેતાઓ અને વિવિધ જિલ્લાના આગેવાનોને આમંત્રણ આપ્યુ હતુ. જેમાં ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો-

Ahmedabad: શહેરની સુરક્ષાની ચિંતા રાખતા AMCના ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના કપાળે ચિંતાની કરચલી, 50થી પણ વધુ વાહનોની કંપનીએ સર્વિસ ન કરી આપતા બંધ હાલતમાં

આ પણ વાંચો-

Ahmedabad: નારણપુરામાં રોડ કપાત મુદ્દે સ્થાનિકોનો વિરોધ બન્યો ઉગ્ર, સ્થાનિકોએ પત્રિકા છપાવી લોકોને આંદોલનમાં જોડાવા અપીલ શરૂ કરી

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">