Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આવતીકાલે ફરી એકવાર ભાજપનું કાર્પેટ બોમ્બિંગ જોવા મળશે. એકસાથે અનેક નેતાઓ પ્રચારમાં જોડાશે. જેમાં રાજ્યના મુખ્યમંત્રીઓ, મંત્રીઓ અને સાંસદો ઉપરાંત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, સંગઠનના હોદ્દેદારો દ્વારા ભાજપના ઉમેદવારો ચૂંટણી પ્રચાર માટે આવશે.
ભાજપનો ધુંઆધાર પ્રચાર
Follow us on
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તમામ પાર્ટીઓ તાકાત લગાવી રહી છે. જેમાં ભાજપ દ્વારા કાર્પેટ બોમ્બિંગ શરૂ થઈ ગયુ છે. આવતીકાલે (22.11.22) ભાજપના નેતાઓ 93 વિધાનસભા બેઠકો પર ધુંઆધાર પ્રચાર કરશે. જેમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, સાંસદો, રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, સંગઠનના હોદ્દેદારો ભાજપના ચૂંટણી પ્રચાર માટે આવશે. બીજા તબક્કામાં જે બેઠકો પર મતદાન થવાનું છે એ તમામ 93 બેઠકો પર ભાજપના નેતાઓ, હોદ્દેદારો, મહામંત્રીઓ સહિતના સભાઓ ગજવશે. આ તમામ 93 બેઠકો પર કઈ બેઠક પર ક્યાં નેતાની સભા હશે તેની વિગતવાર યાદી આ મુજબ છે.
જેપી નડ્ડા
પંચમહાલ જિલ્લાની શહેરા, પાટણ જિલ્લાની ચાણસ્મા અને સિદ્ધપુર, અમદાવાદ શહેની નિકોલ બેઠકના ઉમેદવારો માટે જનસભા સંબોધશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
આણંદ જિલ્લાની ખંભાત, બનાસકાંઠાની થરાદ, ડીસા અને અમદાવાદ શહેરની સાબરમતી બેઠક પર સભા ગજવશે.
જયરામ ઠાકુર
ખેડા જિલ્લાની નડિયાદ, અમદાવાદની નારણપુરા અને વેજલપુર બેઠકના ઉમેદવારો માટે પ્રચાર પ્રસાર કરશે
અર્જુન મેઘવાલ
આણંદ જિલ્લાની બોરસદ, અમદાવાદ શહેરની દાણીલીમડા, સીટના ઉમેદવારો માટે વિશાળ જનસભાને સંબોધન કરશે