Bjp manifesto 2022: ભાજપના મેનિફેસ્ટોમાં આદિવાસી સમાજ પર રખાયુ છે વિશેષ ધ્યાન, વાંચો જાહેરાતના મુદ્દા
ચૂંટણી ઢંઢેરા માટે ‘અગ્રેસર ગુજરાત’ કેમ્પેન દ્વારા ગુજરાતની જનતા પાસે સૂચનો મગાવવામાં આવ્યા હતા. જે પછી આ ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. આ સંકલ્પ પત્રમાં આદિવાસી સમાજ માટે શું વચનો આપવામાં આવ્યા છે જાણો.
આદિવાસી સમાજ માટે ભાજપે ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચન
Follow us on
ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને આખરે સંકલ્પ પત્ર જાહેર કરી દેવામાં આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધીને ભાજપનું સંકલ્પ પત્ર એટલે કે, ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. સંકલ્પ પત્ર માટે એક અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ. ચૂંટણી ઢંઢેરા માટે ‘અગ્રેસર ગુજરાત’ કેમ્પેન દ્વારા ગુજરાતની જનતા પાસે સૂચનો મગાવવામાં આવ્યા હતા. જે પછી આ ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. આ સંકલ્પ પત્રમાં આદિવાસી સમાજ માટે શું વચનો આપવામાં આવ્યા છે જાણો.
સંકલ્પ પત્રના વિમોચન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ભાજપ જે કહે છે તે કરે છે તેમના ચૂંટણી વચનો ઠાલા વાયદા નથી. જે કહેવું તે કરવું એ ભાજપની રિતી અને કાર્યપદ્ધતિ છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની વિકાસ ગાથા જણાવી હતી.