નરેશ પટેલના દિલ્લી પ્રવાસ બાદ રાજકારણમાં જોડાવાની અટકળો થઇ હતી તેજ, નરેશ પટેલે આ સ્પષ્ટતા કરી

ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ શનિવારે દિલ્લીમાં કેટલાક કોંગ્રેસના ઊંચા ગજાના નેતાઓ સાથે બેઠક કરી આવ્યા હોવાની વાતે ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો. જો કે આ વાત અંગે ખુદ નરેશ પટેલે સ્પષ્ટતા કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 4:13 PM

ગુજરાત વિધાનસભા 2022 (Gujarat Legislative Assembly 2022) ની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવવો આવી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતપોતાના ચોગઠાં ગોઠવવામાં વ્યસ્ત બની ગઈ છે. આ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ (Naresh Patel) રાજકારણમાં (Politics) એન્ટ્રી કરશે તેવી અટકળો વહેતી થઈ રહી છે. નરેશ પટેલના દિલ્હી પ્રવાસ બાદ આ અટકળો વધુ તેજ બની છે. જો કે નરેશ પટેલે આ મામલે પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યુ છે કે મે રાજકારણ અંગે હજુ સુધી કોઇ નિર્ણય કર્યો નથી.

ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ શનિવારે દિલ્લીમાં કેટલાક કોંગ્રેસના ઊંચા ગજાના નેતાઓ સાથે બેઠક કરી આવ્યા હોવાની વાતે ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો. જો કે આ વાત અંગે ખુદ નરેશ પટેલે સ્પષ્ટતા કરી છે. નરેશ પટેલે જણાવ્યુ કે ”દિલ્લીમાં ઔદ્યોગિક મેળો હતો. અમારી એક પાર્ટનર કંપની જર્મનીમાં છે. જેમાંથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આવવાના હતા. જેમને મળવા માટે હું ગયો હતો. દસ્તાવેજમાં મારા હસ્તાક્ષરની જરુર હોવાથી મારે દિલ્લી જવાનું થયુ હતુ. જેમાં કોઇ રાજકીય બેઠક થઇ નથી અને કોઇની સાથે વાતચીત થઇ નથી. ”

ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં રાજકારણમાં જોડાવા અંગેની વાત કરતા કહ્યુ કે, ”રાજકારણમાં જોડાવા અંગે હજુ સુધી મે કોઇ નિર્ણય કર્યો નથી. જો કે મારી વ્યક્તિગત ઇચ્છા છે કે મારે રાજકારણમાં જોડાવુ જોઇએ, પણ રાજકારણ અંગે યોગ્ય સમયે સમાજ સાથે ચર્ચા કરીશ અને પછી તે અંગે નિર્ણય લઇશ.”

નરેશ પટેલે જણાવ્યુ કે ”ગુજરાતના મહત્વના ગણાતા ભાજપ,કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષ તરફથી મને રાજકારણમાં જોડાવાનું આમંત્રણ મળેલુ છે. જે માટે હું ત્રણેય પક્ષનો આભાર માનું છુ. જો કે હજુ રાજકારણ અંગે મે નિર્ણય લીધો નથી.”

આ પણ વાંચો-

મુખ્યમંત્રીએ ભીલોડાંમાં ડો. અનિલ જોશિયારાના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના પરિવારને સાંત્વના આપી

આ પણ વાંચો-

અમેરિકા-કેનેડા સરહદે ડીંગુચા પરિવાર સાથે મહેસાણાની એક મહિલાનું પણ મોત થયાની આશંકા, 11 સભ્યના ગ્રુપ સાથે ગઇ હતી મહિલા

Follow Us:
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
g clip-path="url(#clip0_868_265)">