Manipur Election 2022: CM બિરેન સિંહનો દાવો- BJPને મળશે બે તૃતિયાંશ બહુમતી, મુખ્યમંત્રી અંગેનો નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ લેશે

મણિપુર માટે ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર પર નિવેદન આપતા બિરેન સિંહે કહ્યું કે મુખ્યમંત્રી પદ કેન્દ્રીય નેતાઓ દ્વારા નક્કી કરવામાં આવે છે અને મારું કર્તવ્ય ભાજપની જીત સુનિશ્ચિત કરવાનું છે.

Manipur Election 2022: CM બિરેન સિંહનો દાવો- BJPને મળશે બે તૃતિયાંશ બહુમતી, મુખ્યમંત્રી અંગેનો નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ લેશે
Manipur Chief Minister N Biren Singh (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 12:10 AM

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે (Chief Minister N Biren Singh) રવિવારે દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (Bhartiya Janta Party) મણિપુરમાં બે તૃતિયાંશથી વધુ બહુમતી સાથે સરકાર બનાવશે. તેમણે કહ્યું કે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ રાજ્યની વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા (Chief Minister Face) અંગે નિર્ણય કરશે. ANI સાથે વાત કરતા બિરેન સિંહે કહ્યું કે ભાજપ તમામ 60 વિધાનસભા સીટો પર ચૂંટણી લડશે. કેન્દ્રીય નેતૃત્વ ટિકિટને ફાઇનલ કરી રહ્યું છે. અગાઉ અમને 21 બેઠકો મળી હતી, આ વખતે અમને બમણી બેઠકો મળશે. અમે બે તૃતીયાંશ બહુમતી માટે સખત મહેનત કરી રહ્યા છીએ. મણિપુર માટે ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર પર નિવેદન આપતા બિરેન સિંહે કહ્યું કે મુખ્યમંત્રી પદ કેન્દ્રીય નેતાઓ દ્વારા નક્કી કરવામાં આવે છે અને મારું કર્તવ્ય ભાજપની જીત સુનિશ્ચિત કરવાનું છે.

મણિપુરના મુખ્યપ્રધાને કહ્યું કે ભાજપનું કોઈપણ પક્ષ સાથે ચૂંટણી પૂર્વ ગઠબંધન નથી, પરંતુ ચૂંટણી પછી તે આ અંગે વિચારશે. અન્ય પક્ષોના રાજકીય નેતાઓ ભાજપમાં જોડાવા વિશે બોલતા, મુખ્યમંત્રીએ કહ્યું કે લોકો ભાજપને ઈચ્છે છે અને તેથી ઘણા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. એમ પણ કહ્યું કે તેમને ચૂંટણીની ટિકિટ મળશે કે નહીં, તે સંપૂર્ણ રીતે સંસદીય સમિતિ પર નિર્ભર છે.

મણિપુરના લોકો રાજ્યમાં શાંતિ અને વિકાસ ઈચ્છે છેઃ મુખ્યમંત્રી

મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, પૂર્વોત્તર અગાઉ અશાંતિમાં હતું, કારણ કે કોંગ્રેસે લોકોને સમુદાયોમાં વહેંચી દીધા હતા. ભાજપના શાસનમાં છેલ્લા પાંચ વર્ષમાં કોઈ હડતાલ, લડાઈ કે સાંપ્રદાયિક વિસંગતતા જોવા મળી નથી. તેમણે કહ્યું કે મણિપુરના લોકો રાજ્યમાં શાંતિ અને વિકાસ ઈચ્છે છે અને તેથી તેઓ ભાજપને પાછી ઈચ્છે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકાર પાયાના સ્તરે કામ કરવામાં સક્ષમ રહી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો થયો છે અને લોકો ઇચ્છે છે કે શાંતિ બની રહે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

મુખ્યમંત્રીએ કહ્યું કે મણિપુરના લોકો ઇચ્છે છે કે આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA) પાછો ખેંચી લેવામાં આવે, પરંતુ આવું કરતા પહેલા જમીની વાસ્તવિકતાઓને પણ ધ્યાનમાં રાખવી જોઈએ કારણ કે રાજ્ય મ્યાનમાર સાથે સરહદ ધરાવે છે. અમે કેન્દ્રને સતત સ્થિતિની સમીક્ષા કરવા કહી રહ્યા છીએ, પરંતુ તેને ઉઠાવતા પહેલા આપણે જમીની વાસ્તવિકતા જોવી પડશે કારણ કે રાષ્ટ્રીય સુરક્ષા પ્રાથમિકતા છે.

આ પણ વાંચો :  પોલિસના ફાયરીંગમાં પૂર્વ વિદ્યાર્થી નેતા ઘાયલ, સીએમ સરમાએ આપ્યા તપાસના આદેશ, અસમમાં પરિસ્થિતિ બગડી રહી હોવાનો વિપક્ષનો દાવો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">