AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET UG 2023 : મણિપુરમાં હિંસાની અસર, વિદ્યાર્થીઓ માટે NEET પરીક્ષા મોકૂફ

NEET UG Exam 2023 Postponed : NTA દ્વારા મણિપુરના પરીક્ષા કેન્દ્રો પર NEET UG 2023ની પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ રાજ્યમંત્રી ડો.રાજકુમાર રંજને પરીક્ષા મોકૂફ રાખવાની માંગ કરી છે.

NEET UG 2023 : મણિપુરમાં હિંસાની અસર, વિદ્યાર્થીઓ માટે NEET પરીક્ષા મોકૂફ
NEET UG 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2023 | 9:43 AM
Share

NEET UG 2023 : દેશભરમાં આજે NEET UG 2023ની પરીક્ષા યોજાશે. બપોરે 2થી સાંજે 5:20 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે. બપોરે 1:30 બાદ પરીક્ષા કેન્દ્રમાં એકપણ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં નહીં આવે. રાજયમાં અંદાજે 80 હજાર સહિત દેશભરમાંથી 20.87 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. 3 કલાક 20 મિનિટની પરીક્ષા 720 માર્કની રહેશે. 200 પ્રશ્નોમાંથી 180 પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીઓને આપવાના રહેશે. સાચા સવાલના જવાબના 4 માર્ક અને સવાલના ખોટા જવાબ પર માઇનસ 1 માર્ક કપાશે.

આ પણ વાંચો : NEET UG 2023 : MBBSની સીટોમાં 97 ટકાનો વધારો, જાહેર થયેલી યાદીમાં ગુજરાતનું નામ પણ સામેલ, જાણો દરેક રાજ્યની સીટો

મણિપુરમાં અનામત વિવાદને લઈને ફાટી નીકળેલી હિંસાને ધ્યાનમાં રાખીને NEET UG પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ રાજ્ય સરકારની વિનંતી પર આ નિર્ણય લીધો છે. NTAએ કહ્યું છે કે મણિપુર કેન્દ્રોની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. મણિપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને શિક્ષણ રાજ્ય મંત્રી ડૉ. રાજકુમાર રંજને NTAને પત્ર લખ્યો હતો.

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ મણિપુરમાં પરીક્ષા મોકૂફ રાખવા અંગે નોટિસ જાહેર કરી છે. સૂચના ઓફિશિયલ વેબસાઇટ – neet.nta.nic.in પર જોઈ શકાય છે. જો કે, NTAએ કહ્યું છે કે, પરિસ્થિતિ સામાન્ય થયા બાદ નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે.

નવું NEET UG Admit Card જાહેર કરવામાં આવશે

નેશનલ ટેસ્ટિંગ એજન્સી, NTA એ મણિપુરમાં પરીક્ષા આયોજિત કરવાની સુધારેલી તારીખની જાહેરાત કરી નથી. એકવાર પરીક્ષાની તારીખ જાહેર થઈ ગયા પછી NTA ઉમેદવારો માટે સુધારેલા પ્રવેશ કાર્ડ જાહેર કરવાની તારીખ પણ જાહેર કરશે.

આજે NEET Exam

અન્ય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પરીક્ષા આજે 7 મે, 2023 ના રોજ લેવામાં આવશે. NEET UG 2023 ની પરીક્ષા બપોરે 2 થી 5:20 દરમિયાન લેવામાં આવશે.

પરીક્ષા કેન્દ્રની ઔપચારિકતા સવારે 11 વાગ્યાથી શરૂ થશે. પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ તપાસની પ્રક્રિયા માટે સમયસર પરીક્ષા સ્થળે પહોંચી જાય. બપોરે 1.30 વાગ્યા પછી ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. વધુ વિગતો માટે તમે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

એજ્યુકેશન, કરિયર, કરન્ટ અફેર્સ, જોબ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે? Tv9gujrati.com પર લેટેસ્ટ ગુજરાતી સમાચાર વાંચો અને જુઓ

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">