IIM અમદાવાદ શરુ કરશે તેનું પહેલું ઈન્ટનેશનલ કેમ્પસ, આ દેશમાં થશે સ્ટાર્ટ

|

Mar 31, 2025 | 3:11 PM

IIM અમદાવાદે દુબઈમાં તેના પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસના ઉદઘાટનની જાહેરાત કરી છે. જે સપ્ટેમ્બર 2025 થી શરૂ થવાનું છે. ભારતીય શૈક્ષણિક સંસ્થાઓના વૈશ્વિક વિસ્તરણમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.

IIM અમદાવાદ શરુ કરશે તેનું પહેલું ઈન્ટનેશનલ કેમ્પસ, આ દેશમાં થશે સ્ટાર્ટ
IIM Ahmedabad will start its first international campus

Follow us on

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIM અમદાવાદ) એ દુબઈમાં દેશની બહાર તેનું પ્રથમ ઈન્ટનેશનલ કેમ્પસ ખોલવાની જાહેરાત કરી છે. IIM અમદાવાદ માટે આ એક ઐતિહાસિક પગલું છે. IIM અમદાવાદ દેશનું પ્રથમ IIM બન્યું છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે કેમ્પસ ખોલવા જઈ રહ્યું છે.

આ નવા કેમ્પસમાં પહેલો કાર્યક્રમ સપ્ટેમ્બર 2025થી શરૂ થશે. આ અંગે માહિતી IIM અમદાવાદના ડિરેક્ટર પ્રોફેસર ભરત ભાસ્કરે આપી છે. જેઓ તાજેતરમાં સંસ્થાના 60મા દીક્ષાંત સમારોહમાં બોલી રહ્યા હતા.

IIM અમદાવાદનું આંતરરાષ્ટ્રીય વિસ્તરણ

આ પ્રસંગે પ્રોફેસર ભાસ્કરે જણાવ્યું હતું કે, આ IIM અમદાવાદનું આંતરરાષ્ટ્રીય વિસ્તરણ છે. જે ભારતીય શૈક્ષણિક સંસ્થાઓની વૈશ્વિક ઓળખને વધુ મજબૂત બનાવશે. તેમણે IIM અમદાવાદના નવા ‘મદન મોહનકા સેન્ટર ફોર એક્સેલન્સ’ની પણ જાહેરાત કરી. આ સંસ્થા કેસ મેથડ ઓફ લર્નિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ કેન્દ્રની સ્થાપના IIM અમદાવાદના PGP 1967ના ભૂતપૂર્વ વિદ્યાર્થી મદન મોહનકાના સહયોગથી કરવામાં આવશે.

Nagarvel with Mishri : નાગરવેલના પાન સાથે મિશ્રી ખાવાના ચોંકાવનારા ફાયદા
Vastu Tips : તમારા ઘરની બારી દક્ષિણ તરફ હોય તો શું થાય ?
Health Tips: આ ઘરગથ્થુ ઉપાયથી એક અઠવાડિયામાં ફાટેલી એડી થઈ જશે ઠીક! મુલાયમ થઈ જશે પગ
ગુજરાતની ટીમના લેસ્બિયન ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન
Jioનો સૌથી સસ્તો પ્લાન ! મળશે 90 દિવસની વેલિડિટી
છૂટાછેડા પછી આ ક્રિકેટરોના જીવનમાં આવી નવી હસીનાઓ

એસ સોમનાથે પોતાનો અનુભવ શેર કર્યો

આ દીક્ષાંત સમારોહમાં ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ એસ સોમનાથ પણ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે 1200 થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રીઓ એનાયત કરી. એસ સોમનાથે કહ્યું કે નિષ્ફળતાનો સામનો કરવાની શક્તિ એ સફળતાની ચાવી છે. પોતાના કારકિર્દીના અનુભવને શેર કરતાં તેમણે કહ્યું કે ઈનોવેશન એકલા થતી નથી; તેને જિજ્ઞાસા, નિષ્ફળતાનો સામનો કરવાની શક્તિ અને સતત પ્રયત્નની જરૂર છે.

રાહ જુઓ, તૈયાર થાઓ, પછી તમારા સપના સાકાર કરો

એસ સોમનાથે એમબીએના વિદ્યાર્થીઓને જીવનમાં મહત્વપૂર્ણ નિર્ણયો માટે તૈયાર રહેવાની સલાહ આપી. તેમણે કહ્યું કે કેટલીક તકો જીવનમાં ફક્ત એક જ વાર આવે છે. આ તકોને ઓળખવા માટે તમારા મનને તાલીમ આપવી મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે મહાન નેતાઓ એ હોય છે જે યોગ્ય સમયની રાહ જુએ છે અને પોતાને સંપૂર્ણપણે તૈયાર કરે છે. પછી તમારા સપના પૂરા કરો.

કરિયરની વધારે ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો. કરિયર સામાન્ય રીતે તે પ્રવૃત્તિઓનો સંદર્ભ આપે છે જે રોજગાર મેળવવામાં મદદ કરે છે. નોકરી કે વ્યવસાયો શિક્ષક, ડૉક્ટર, એન્જિનિયર, મેનેજર, જર્નાલિસ્ટ, વકીલ, મજૂર, કલાકાર વગેરે છે. કોઈ પણ પ્રવૃતિ જે તમને ઘર ચલાવવામાં મદદ કરે છે તેને કરિયર કહેવામાં આવે છે.

 

Published On - 2:41 pm, Mon, 31 March 25

Next Article