Education News : CS બનવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર,આ વિદ્યાર્થીઓને નહિ આપવી પડે એન્ટ્રસ
Education News : આ જોગવાઇના કારણે વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે, વિદ્યાર્થી કોઇપણ સ્ટ્રીમનો હશે એટલે કે સાયન્સ,કોમર્સ કે આર્ટસ કોઇપણ સ્ટ્રીમમાંથી 50 ટકા સાથે ગ્રેજ્યુએટ હશે તો તેને એક્ઝીક્યુટીવ એન્ટ્રસ ટેસ્ટ આપવી નહિ પડે.
Education News : CS એટલે કે કંપની સેક્રેટરીનો નો અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થી માટે સારા સમાચાર છે. હવે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) વિદ્યાર્થી ડાયરેક્ટ સેકન્ડ લેવલમાં ભણી શકશે . તેઓને એક્ઝીક્યૂટીવ એન્ટ્રસ ટેસ્ટ આપવી નહિ પડે. આપને જણાવી દઇએ કે સીએસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે વિધાર્થીઓના ગ્રેજ્યુએશનમાં 50 ટકા હશે તે વિદ્યાર્થીઓ તેમજ જે વિદ્યાર્થીઓના પોસ્ટ ગ્રેજ્યુએટ (PG ) પાસ હશે અને કંપની સેક્રેટરીનો અભ્યાસ કરવા ઇચ્છે છે તેઓએ એન્ટ્રસ ટેસ્ટ નહિ આપવી પડે.
આપને જણાવી દઇએ કે CAમાં પહેલેથી આ પ્રકારનો નિયમ છે કે કોમર્સ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને સીધો જ ઇન્ટરમીડિએટમાં પ્રવેશ મળે છે. પરંતુ CSમાં આ પ્રકારનો કોઇ નિયમ હતો નહિ. પરંતુ હવે આ જોગવાઇ કરવાથી ઘણા વિદ્યાર્થીઓને ફાયદો થશે.
Exemption from #CSEET to Graduates & Post Graduates. Get direct admission in #CS Executive Programme pic.twitter.com/Bhf7q7uGfr
— The Institute of Company Secretaries of India (@icsi_cs) June 23, 2021
આ અંગે એક એક્સપર્ટ જણાવે છે કે આ જોગવાઇના કારણે વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે, વિદ્યાર્થી કોઇપણ સ્ટ્રીમનો હશે એટલે કે સાયન્સ,કોમર્સ કે આર્ટસ કોઇપણ સ્ટ્રીમમાંથી 50 ટકા સાથે ગ્રેજ્યુએટ હશે તો તેને એક્ઝીક્યુટીવ એન્ટ્રસ ટેસ્ટ આપવી નહિ પડે.
આપને જણાવી દઇએ કે વિદ્યાર્થીએ જો ગ્રેજ્યુએશન એપ્રિલ-મેમાં પૂરુ કર્યુ હશે તો તે ડિસેટમ્બરમાં એક્ઝીક્યુટીવની પરીક્ષા આપી શકશે. ત્યારબાદ પ્રોફેશનલ પરીક્ષા આપી શકશે. આમ લગભગ દોઢ વર્ષમાં વિદ્યાર્થી CS બની શકશે. એટલે કે પહેલા જે વિદ્યાર્થીઓને સીએસ બનવા માટે વધારે સમય લાગતો હતો હવે ઓછા સમયમાં સીએસ બની શકાશે.