Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે સુરતમાં દિવાળી પહેલાં તૈયાર કરવામાં આવી ઇમ્યુનિટી બુસ્ટર મીઠાઈઓ

સુરત સહિત આખા વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે હવે દિવાળીની પરંપરાગત મીઠાઇઓમાં પણ ઇમ્યુનિટી વધારતી મીઠાઈઓની એન્ટ્રી થઈ છે. હાલ દરેક જગ્યાએ જ્યાં જુઓ ત્યાં લોકો પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના પ્રયાસ કરતા દેખાઈ રહ્યા છે. તેવામાં દિવાળી માટે ની મીઠાઈમાં પણ ફેરફાર આવ્યા છે.    કોરોનાકાળમાં આવી રહેલા દિવાળીના પરંપરાગત તહેવારની ઉજવણીમાં […]

હવે સુરતમાં દિવાળી પહેલાં તૈયાર કરવામાં આવી ઇમ્યુનિટી બુસ્ટર મીઠાઈઓ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jan 19, 2021 | 12:09 PM

સુરત સહિત આખા વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે હવે દિવાળીની પરંપરાગત મીઠાઇઓમાં પણ ઇમ્યુનિટી વધારતી મીઠાઈઓની એન્ટ્રી થઈ છે. હાલ દરેક જગ્યાએ જ્યાં જુઓ ત્યાં લોકો પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના પ્રયાસ કરતા દેખાઈ રહ્યા છે. તેવામાં દિવાળી માટે ની મીઠાઈમાં પણ ફેરફાર આવ્યા છે.

  

કોરોનાકાળમાં આવી રહેલા દિવાળીના પરંપરાગત તહેવારની ઉજવણીમાં પણ ફેરફાર જોવા મળ્યા છે. દિવાળીમાં મહેમાનોને મીઠાઈ આપવાની પ્રથા વર્ષોથી ચાલતી આવી છે. ત્યારે આ વખતે ઘરે આવતા મહેમાનોને ઇમ્યુનિટી બુસ્ટર વાળી મીઠાઈ ખવડાવવામાં આવશે.

Mobile Rules : કયા સમયે મોબાઈલને ન અડવો જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
Jioનો સ્પેશ્યિલ પ્લાન, માત્ર 100 રૂપિયામાં 3 મહિના TV પર ચાલશે JioHotstar
Holi Ash Remedies: હોલિકા દહનની રાખ સાથે કરો આ એક કામ, રાહુ-કેતુના સંકટ ટળી જશે
ખિસકોલીનું રોજ તમારા ઘરે આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો અહીં
IPLની એક મેચની કિંમત 119 કરોડ રૂપિયા
51 વર્ષની ઉંમરે પણ કેમ કુંવારી છે ગીતામા? હવે લગ્ન કરવાને લઈને કહી મોટી વાત

તહેવારોની ઉજવણી સાથે સાવચેતી પણ જરૂર છે એટલા માટે જ ઇમ્યુનિટી બુસ્ટરની મીઠાઈ સુરતમાં લાવવામાં આવી છે. આ મીઠાઈ તૈયાર કરનારા મીરાબેન સાપરિયા જણાવે છે કે, હાલ કોરોનાનો કપરો સમય હોવાથી ઇમ્યુનિટી વધારે એવી મીઠાઇઓ તૈયાર કરી છે.

મીરાબેન પોતે જ ઘરે આ મીઠાઈઓ ઓર્ડર પર તૈયાર કરી આપે છે. આમ તો આયુર્વેદમાં રસ ધરાવતા હોવાથી તેઓ શિયાળામાં આવી વસ્તુઓ ઘરે બનાવતા જ હતા. જે હાલ લોકોને પસંદ પડી રહી છે.

આ મીઠાઈ વૈદિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવી છે. જેથી તે રોગપ્રતિકારક શક્તિ વધારવા ખૂબ ફાયદાકારક સાબિત થશે. મીઠાઈઓમાં આયુર્વેદિક તત્વો જેવાકે ગળો, ગ્રંથિક, સૂંઠ, મરી, લોહભસ્મ, શંખભસ્મ જેવા તત્વો ઉમેરવામાં આવે છે.

જે રોગ પ્રતિકારક શક્તિ વધારનાર, લોહતત્વ અને કેલ્શિયમ તથા વિટામિન્સ તેમજ મિનરલ્સથી ભરપૂર હોય છે. સાથે સાથે તેમાં પાચક ઔષધિઓ પણ હોય છે, જેથી આ મીઠાઈ પચવામાં ખૂબ જ સરળ રહે છે.

આ મીઠાઈઓમાં ગીર ગાયનું શુદ્ધ A2 ઘી, પામ ટ્રી ના રસ માંથી બનતી નેચરલ પામ મિશ્રી તથા મોરિંગા અને સરગવાનાં પાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડ્રાયફ્રૂટ્સ માં કાજુ બદામની સાથે મગજતરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.નેચરલ શુગરના લીધે આ મીઠાઈઓ ડાયાબિટીસના દર્દીઓ પણ ખાઇ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

g clip-path="url(#clip0_868_265)">