આજે પુષ્ય નક્ષત્ર, સોનું ખરીદવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્યારે પુષ્ય નક્ષત્રના અવસરે અમદાવાદ સહિત રાજ્યભરના સોની બજારોમાં સોનાની ખરીદીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.
પુષ્ય નક્ષત્રના અવસરે આજે જ્વેલરીની દુકાનો પર ગ્રાહકોની ભીડ જામી છે. પુષ્ય નક્ષત્રમાં સોનું, મકાન કે કોઈ પણ કિંમતી વસ્તુની ખરીદીને શુભ માનવામાં આવે છે. જેથી આજે વહેલી સવારથી લોકોએ સોનાની ખરીદી શરૂ કરી છે તો બીજી તરફ ગ્રાહકોને આકર્ષવા માટે જ્વેલર્સ વેપારીઓ દ્વારા વિવિધ સ્કીમ પણ મુકવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ત્યારે સોનું ખરીદતા પહેલા ખાસ ધ્યાન રાખશો , જેથી તમારી મહેનતની કમાણી પર પાણીના ફરી વળે. હવે માર્કેટમાં એવા મશીન આવી ગયા છે, જે સોનાની સાચી શુદ્ધતા અને ઓળખ કરી આપે છે. જે બતાવે છે કે સોનું અસલી છે કે નકલી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 5:23 am, Tue, 22 October 19