હિસારની ચૌધરી ચરણ સિંહ હરિયાણા કૃષિ યુનિવર્સિટીના (HAU) વાઇસ ચાન્સેલર પ્રોફેસર બી.આર. કંબોજે કહ્યું છે કે, ઓર્ગેનિક અને ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી (Zero Budget Natural Farming) વર્તમાન સમયની માગ છે. આ માટે યુનિવર્સિટીનું દીન દયાલ ઉપાધ્યાય સેન્ટર ઓફ એક્સેલન્સ ઈન ઓર્ગેનિક ફાર્મિંગ ખેડૂતોને (Farmers) જાગૃત કરી રહ્યું છે. તેઓ યુનિવર્સિટીની મુલાકાત અને તાલીમ માટે આવેલા ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોના સમૂહને સંબોધિત કરી રહ્યા હતા.
કંબોજે માહિતી આપી હતી કે, HAU ખેડૂતો માટે આવા જાગૃતિ કાર્યક્રમોનું સતત આયોજન કરી રહ્યું છે, જેથી કરીને વધુને વધુ ખેડૂતોને જૈવિક ખેતી, ઝીરો બજેટ કુદરતી ખેતી, પાક વૈવિધ્યકરણ, કૃષિ અને તેની સાથે સંકળાયેલા વ્યવસાયો વિશે માહિતગાર કરવામાં આવે.
અન્ય ખેડૂતોને માહિતી આપો
આ સાથે સમયાંતરે પ્રશિક્ષણ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે, જ્યાંથી ખેડૂતો અને યુવાનો તાલીમ (Farmer’s Training) મેળવીને સ્વરોજગાર સ્થાપીને પોતાની આવકમાં વધારો કરી રહ્યા છે. તેમણે પ્રગતિશીલ ખેડૂતોને અહીંથી મેળવેલી માહિતીને તેમની આસપાસના ખેડૂતો સાથે શેર કરવા આહ્વાન કર્યું. જેથી તેઓને પણ તેનો લાભ મળી શકે.
અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપો
આત્મા યોજના (Agriculture Technology Management Agency) હેઠળ ચાર દિવસની મુલાકાત અને તાલીમ માટે આવેલા ખેડૂતોએ કુલપતિ સાથે વાતચીત કરી હતી. ખેડૂતોએ તેમને વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલા સૂચનો અને આધુનિક તકનીકોની જાણકારી વિશે પણ જણાવ્યું હતું. જેનો તે પોતાના વિસ્તારમાં જઈને પોતે ઉપયોગ કરશે અને અન્ય ખેડૂતોને પ્રેરણા આપશે. આ પ્રસંગે ગુજરાતમાંથી આવેલા આત્મા યોજનાના અધિકારી કિરણ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઓર્ગેનિક એગ્રીકલ્ચર સેન્ટર ઓફ એક્સેલન્સની મુલાકાત લીધી
વિસ્તરણ શિક્ષણ નિયામક (DEE) ડો. રામનિવાસ ઢંડાએ માહિતી આપી હતી કે, પ્રગતિશીલ ખેડૂતોની ટીમે સજીવ ખેતીમાં દીનદયાલ ઉપાધ્યાય સેન્ટર ઓફ એક્સેલન્સની મુલાકાત લીધી હતી. 137 એકરમાં ફેલાયેલા વિસ્તારમાં થતી સજીવ ખેતી વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી. આ દરમિયાન ખેડૂતોએ કેળા, જામફળ, શાકભાજી અને અન્ય પાકોની જૈવિક ખેતીના વિવિધ તબક્કાના જૈવિક ફેરફારો, વ્યવસ્થાપન અને પ્રમાણપત્રની પ્રક્રિયા વિશે વૈજ્ઞાનિકો સાથે વાર્તાલાપ કર્યો હતો.
આ પણ વાંચો : PM Kusum Yojana: આ ખાસ યોજના છે ખેડૂતો માટે, વીજળી ઉત્પન્ન કરી મેળવી શકાય છે સારી કમાણી
આ પણ વાંચો : Tomato Price: 12 દિવસમાં ટામેટાના ભાવમાં 60 ટકાનો ઘટાડો થયો, ભાવ ઘટાડાથી ખેડૂતોને મુશ્કેલી કે હવે શું કરવું ?