Green Rice Farming: ભારત સહિત ઓસ્ટ્રેલિયામાં પણ રહે છે આ ચોખાની સતત માગ, એક કિલો બિયારણ આપી શકે છે 37 કિલો ઉત્પાદન

|

Mar 16, 2022 | 11:10 AM

લીલા ચોખા હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે. પરંતુ તે સરળતાથી ઉપલબ્ધ નથી કારણ કે તે ત્યારે જ એકત્રિત કરી શકાય છે જ્યારે વાંસનું જીવન ચક્ર પૂર્ણ થાય છે. ત્યારે ચાલો જાણીએ કેવી રીતે ગ્રીન રાઈસ (Green Rice Farming)નું ઉત્પાદન કરવામાં આવે છે.

Green Rice Farming: ભારત સહિત ઓસ્ટ્રેલિયામાં પણ રહે છે આ ચોખાની સતત માગ, એક કિલો બિયારણ આપી શકે છે 37 કિલો ઉત્પાદન
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

ગ્રીન રાઈસ (Green Rice)એ વાંસના બીજ છે. એટલા માટે તેને બામ્બુ રાઈસ અથવા મુલાયારી તરીકે પણ ઓળખાય છે. લીલા ચોખા પોટેશિયમ અને પ્રોટીનનો સારો સ્ત્રોત છે. તેઓ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે. પરંતુ તે સરળતાથી ઉપલબ્ધ નથી કારણ કે તે ત્યારે જ એકત્રિત કરી શકાય છે જ્યારે વાંસનું જીવન ચક્ર પૂર્ણ થાય છે. ત્યારે ચાલો જાણીએ કેવી રીતે ગ્રીન રાઈસ (Green Rice Farming)નું ઉત્પાદન કરવામાં આવે છે.

ઓર્ગેનિક ખેતી (Organic Farming)માં છત્તીસગઢના બાલોદ પ્રદેશે સમગ્ર જિલ્લામાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. આપને જણાવી દઈએ કે હવે લાલ, કાળા અને સફેદ ચોખાની ખેતી બાદ અહીં લીલા ચોખાનું ઉત્પાદન ધૂમ મચાવી રહ્યું છે. જેની માગ ભારતના તમામ રાજ્યો ઉપરાંત દૂર દૂરના દેશોમાં છે.

લીલા ચોખાની ખેતીમાંથી ખેડૂતોને થતા નફાને જોઈને કૃષિ વિજ્ઞાન રાયપુરની ટીમે પણ લીલા ચોખાની ખેતીનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં જિલ્લાની 15 જેટલી ડીસીમીલોમાં એક કિલો લીલા ચોખાના બિયારણનો છંટકાવ કરીને 37 કિલો લીલા ચોખાનું ઉત્પાદન થયું હોવાનું ટીમ દ્વારા કરાયેલા ટેસ્ટમાં જોવા મળ્યું હતું. ત્યારે આ રાજ્યના તમામ ખેડૂતો લીલા ચોખાની ખેતીમાંથી સારો નફો પણ મેળવી રહ્યા છે.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

ખેડૂત મુકેશ ચૌધરીના જણાવ્યા અનુસાર તેઓ લીલા ચોખા પર ધ્યાન આપી રહ્યા છે. આ ચોખા ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. આ ચોખાની કિંમત લગભગ 300 રૂપિયા પ્રતિ કિલો જણાવવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખેતીની પદ્ધતિમાં ઘણા બદલાવ આવ્યો છે. છત્તીસગઢના ખેડૂતો પરંપરાગત ખેતીની સાથે વૈજ્ઞાનિક ખેતી પર ધ્યાન આપી રહ્યા છે.

છત્તીસગઢના વિકાસમાં ખેડૂતો અને ડાંગર બંનેનું મહત્વનું યોગદાન છે. રાજ્યમાં લગભગ 80 ટકા ખેડૂતો છે. આમાંના મોટાભાગના ખેડૂતોનું જીવન ડાંગર અને તેમાંથી થતી આવક પર નિર્ભર છે. ત્યારે એક ખેડૂતે ટ્રાયલ તરીકે, લીલા ચોખાના બીજ બહારથી આયાત કર્યા અને 15 ડિસમિલ(વીઘાની જેમ જમીન વિસ્તાર દર્શાવતો એકમ)માં તેની ખેતી કરવામાં આવી છે. પાકમાં બીજ નીકળી ગયા છે. તેની લણણી અને થ્રેસીંગ પણ 10 થી 15 દિવસમાં શરૂ કરવામાં આવશે. ખેડૂતે જણાવ્યું કે તેણે પહેલીવાર ખેતી કરી છે. તેને વેચશે નહીં પણ બિયારણ માટે રાખશે. દરેક ઋતુમાં તેની ખેતી કરશે.

બીજી તરફ અહીંના રાજ્યોત્સવમાં સનૌદના બે પ્રગતિશીલ ખેડૂતો ધ્રુવ રામ અને કોમલ રામે ઓર્ગેનિક ખેતીમાંથી ઉત્પાદિત રંગબેરંગી ચોખા અને ઘઉંના સ્ટોલ ઉભા કરી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. કોઈએ વિચાર્યું પણ ન હતું અને જોયું પણ ન હતું કે લીલા ચોખા પણ કરી શકાય છે. અહીં ઉત્પાદિત ઓર્ગેનિક ચોખા અને ઘઉંમાંથી વિદેશમાં દવાઓ બનાવવામાં આવી રહી છે. સતત માગના કારણે ખેડૂતોનો ઓર્ગેનિક ખેતી તરફ પણ રસ વધી રહ્યો છે. ઓર્ગેનિક ચોખાનો ભાવ પણ પ્રતિ ક્વિન્ટલ 7 થી 8 હજારની રેન્જમાં વેચાઈ રહ્યો છે.

આ સિવાય ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવતા ચોખાના સારા ભાવ તો મળે જ છે, સાથે જ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેના સેવનથી શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી જેવી કે અપચો, અજીર્ણ અને પેટના દુખાવાની સમસ્યા થતી નથી. છત્તીસગઢમાં ઓર્ગેનિક રીતે રંગીન ચોખાનું ઉત્પાદન જોઈને આજુબાજુના તમામ જિલ્લાના ખેડૂતોને પ્રેરણા મળી રહી છે. આ સાથે અહીં ઉત્પાદિત ઓર્ગેનિક ચોખા અને ઘઉંનો વિદેશમાં પણ ઔષધીય સ્વરૂપે ઉપયોગ થઈ રહ્યો છે. તેની માગ સતત વધી રહી છે.

આ પણ વાંચો: The Kashmir Files Controversy : શું કપિલ શર્માએ બતાવ્યુ અડધુ સત્ય ? અનુપમ ખેરે ટ્વિટ કરીને ખોલી પોલ

આ પણ વાંચો: Viral: ઝેબ્રાના શિકારના ચક્કરમાં સિંહને પડી જોરદાર લાત, વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો

Next Article