વિશ્વ મધ દિવસ (World Honey Day)ના અવસર પર કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે દેશને 7 મધ પરીક્ષણ પ્રયોગશાળાઓ અને પ્રોસેસિંગ યુનિટ્સ સમર્પિત કર્યા છે. દેશના 5 રાજ્યોમાં સ્થપાયેલા આ એકમોનું ટેન્ટ સિટી-II એકતા નગર નર્મદા ગુજરાતમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન કૃષિ પ્રધાન દ્વારા વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અવસરે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે વિવિધ રાજ્યોના મધમાખી ઉછેર કરતા ખેડૂતો સાથે વાર્તાલાપ કરતા જણાવ્યું હતું કે નાના ખેડૂતોને સશક્ત બનાવવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લક્ષ્ય છે, જે મધમાખી ઉછેર (Bee farming)જેવા કૃષિના સહ-કાર્યોનું ઘણું યોગદાન રહી શકશે. તેમણે કહ્યું કે ભારતની લગભગ 55 ટકા વસ્તી ગ્રામીણ છે, જેની પ્રગતિથી જ આપણો દેશ વિકસિત રાષ્ટ્ર બની શકશે.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સરકાર દેશમાં મીઠી ક્રાંતિ લાવવા માટે ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે. કેન્દ્ર સરકારે દેશમાં વિશ્વ કક્ષાની પ્રયોગશાળાઓ સ્થાપી છે, રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને મધ મિશન નામની કેન્દ્રીય ભંડોળવાળી યોજનાનો ઉદ્દેશ્ય 5 મોટી પ્રાદેશિક અને 100 નાની મધ અને અન્ય મધમાખી ઉત્પાદનો પરીક્ષણ પ્રયોગશાળાઓ સ્થાપિત કરવાનો છે, જેમાંથી 3 વિશ્વ કક્ષાની અત્યાધુનિક પ્રયોગશાળાઓ ખોલવામાં આવી ચૂકી છે. જ્યારે 25 માન્ય નાની પ્રયોગશાળાઓ સ્થાપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે નાના ખેડૂતોને મધના પરિક્ષણ માટે દૂર સુધી જવું ન પડે તેવો પ્રયાસ છે.
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે દેશમાં 1.25 લાખ મેટ્રિક ટનથી વધુ મધનું ઉત્પાદન થઈ રહ્યું છે. જેમાંથી 60 હજાર મેટ્રિક ટનથી વધુ કુદરતી મધની નિકાસ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આપણે આપણા મધની ગુણવત્તામાં વધારો કરીને વિશ્વ બજારને આવરી શકીએ છીએ, ભારત સરકાર અને રાજ્ય સરકારો આ દિશામાં પ્રયાસો કરી રહી છે. મધ ઉત્પાદક ખેડૂતો અને અન્ય સંબંધિત લોકો પાસેથી પણ આવા જ ઉત્સાહની અપેક્ષા છે.
કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે સરકારે અન્ય યોજનાઓ હેઠળ મધમાખી ઉછેર કરનારાઓ માટે FPO અને હની મિશન જેવી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે કહ્યું કે મધમાખી ઉછેર માટે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ રૂપિયા 500 કરોડનું વિશેષ પેકેજ આપવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે સરકારનો પ્રયાસ છે કે ગામડાઓમાં સામાન્ય ગરીબ ખેડૂતો અને ખેતમજૂરોને મધમાખી ઉછેર, ઓછા પૈસા અને ઓછા ખર્ચમાં તાલીમ આપીને તેમના જીવનધોરણમાં પરિવર્તન લાવવાનો છે. સૌનો સહકાર, તમામ હિતધારકોએ આ દિશામાં વિચારવું જોઈએ અને તેનો અમલ કરવો જોઈએ. જે દેશને ઘણો ફાયદો થશે.