બાહરી દિલ્હીમાં ટિકરી ખાતે કામચલાઉ સફરજન માર્કેટ (Apple Market)તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ માર્કેટથી ઘણા ફાયદા થશે. તેનાથી વેપારીઓ, ખેડૂતો અને દિલ્હીના લોકોને ફાયદો થશે. જામના કારણે કલાકો સુધી બજારના રસ્તાઓ પર અટવાઈ જવાથી ખેડૂતોનો પાક બગડી જાય છે જેના કારણે ખેડૂતો (Farmers)અને વેપારીઓને નુકસાન થાય છે. આ માર્કેટ બન્યા બાદ વેપારીઓ અને ખેડૂતો પણ ખુશ છે. બુધવારે, અધિકારીઓએ કામચલાઉ સફરજન માર્કેટનું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓને સલામતીના તમામ ધોરણોનું સખતપણે પાલન કરવાનો આદેશ આપ્યો. એવો દાવો કરવામાં આવે છે કે દિલ્હીના ટિકરીમાં બનાવવામાં આવી રહેલ અસ્થાયી સફરજન માર્કેટ આઝાદપુર મંડી અને તેની આસપાસના વિસ્તારોમાં જામની સમસ્યાનો અંત લાવશે.
વાસ્તવમાં, આ બજાર બન્યા પછી, સફરજનના આગમન સાથે આઝાદપુર મંડીમાં આવતી 300-400 ટ્રકો માત્ર બહારની દિલ્હીમાં જ અટકી જશે. તેનાથી 5-6 કલાકનો જામ તો ખતમ થશે જ, પરંતુ તેનાથી થતા પ્રદૂષણથી પણ છુટકારો મળશે. આઝાદપુર મંડીના ચેરમેન આદિલ અહેમદ ખાને કહ્યું કે પ્રદૂષણ અને ટ્રાફિક જામ દિલ્હી માટે મોટી સમસ્યા છે. આનાથી બચવા માટે, અમે ટિકરીમાં કામચલાઉ સફરજન બજાર સ્થાપવાનું નક્કી કર્યું.
ખાને કહ્યું કે આગામી દિવસોમાં સફરજનની આવક શરૂ થશે. રોજની 300-400 ટ્રકો આવશે. જેના કારણે અહીં 5-6 કલાક જામ રહે છે. જેના કારણે પ્રદુષણ પણ ખૂબ ફેલાય છે. આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને, સફરજન માટે અસ્થાયી સફરજન માર્કેટ બનાવવામાં આવી રહ્યું છે, જે નવેમ્બર સુધી સેવાઓ પ્રોવાઈડ કરશે. આ માર્કેટ 11 હજાર ચોરસ ફૂટમાં તૈયાર થઈ રહ્યું છે. તેની રચના પછી, દિલ્હી-એનસીઆર સિવાય, ઉત્તર ભારતમાં સફરજન સરળતાથી સપ્લાય કરી શકાય છે. એનસીઆર અને ઉત્તર ભારતમાં સફરજનની સપ્લાય દરમિયાન ટ્રકોને દિલ્હીમાં પ્રવેશવાની જરૂર નહીં પડે, જેનાથી જામમાંથી છૂટકારો મળશે.
સામાન્ય રીતે જ્યારે આપણે સફરજનની વાત કરીએ છીએ ત્યારે લોકોનું ધ્યાન જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ તરફ જાય છે. પરંતુ, હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. કૃષિ ક્ષેત્રે થઈ રહેલા સંશોધનો એટલે કે વૈજ્ઞાનિકોની મહેનતથી અન્ય રાજ્યોમાં પણ તેની ખેતી શક્ય બની છે. તેની ખેતી હવે હરિયાણા, બિહાર, કર્ણાટક અને કેરળમાં પણ થઈ રહી છે. હરિયાણા અને પંજાબ જેવા રાજ્યોમાં સફરજન ઉત્પાદકો પણ વધુ નફામાં છે. કારણ કે અહીંના સફરજન લગભગ એક મહિના પહેલા એટલે કે જૂનમાં જ પાકવાનું શરૂ કરે છે. જેથી તેમને યોગ્ય ભાવ મળે.