AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ પદ્ધતિથી શાકભાજીની ખેતી બદલી રહી છે ખેડૂતોનું નસીબ, ભાવ પણ સારા મળે છે

આજકાલ ખેડૂતોમાં આ પદ્ધતિ ખૂબ જ લોકપ્રિય છે. વેલાવાળા શાકભાજી માટે આ પદ્ધતિ ખૂબ જ અસરકારક પદ્ધતિ માનવામાં આવે છે. વેલાના શાકભાજીની ખેતીમાં ખાસ કરીને દુધીની ખેતીમાં ખુબ કારગર સાબિત થઈ છે.

આ પદ્ધતિથી શાકભાજીની ખેતી બદલી રહી છે ખેડૂતોનું નસીબ, ભાવ પણ સારા મળે છે
Scaffold MethodImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2023 | 8:14 PM
Share

ખેડૂતો હવે ખેતીમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી રહ્યા છે, જેના કારણે ખેડૂતો વધુ ઉપજની સાથે સારો નફો પણ મેળવી રહ્યા છે. આજકાલ ખેડૂતોમાં આ પદ્ધતિ ખૂબ જ લોકપ્રિય છે. વેલાવાળા શાકભાજી માટે આ પદ્ધતિ ખૂબ જ અસરકારક પદ્ધતિ માનવામાં આવે છે. વેલાના શાકભાજીની ખેતીમાં, ખાસ કરીને દુધીની ખેતીમાં, ખેડૂતે માત્ર સિઝન અને ઑફ-સિઝન બંનેમાં જમીન પર ઉત્પાદિત દુધીની બમણી ગુણવત્તા જ મેળવી નથી, પરંતુ તેનું ઉત્પાદન પણ લગભગ બમણું કર્યું છે. આ ચમત્કાર રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના બિગોડના એક પ્રગતિશીલ ખેડૂત દ્વારા કરવામાં આવ્યો છે, જેઓ પોતે ક્યારેય શાળાએ ગયા નથી, પરંતુ તેમના મગજમાં આવા નવા વિચારો આવતા રહે છે.

છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રગતિશીલ ખેડૂત પોતાના અઢી વીઘા ખેતરમાં મચાન પદ્ધતિથી દુધીનો પાક ઉગાડી રહ્યા છે અને મિશ્ર ખેતી પણ કરી રહ્યા છે. આ વખતે એક નવી વેરાયટીનું પણ વાવેતર કરવામાં આવ્યું છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. હજારા નામની દુધીમાં એક નવી વેરાયટી આવી છે, જેમાં એક વેલા પર હજારથી વધુ દુધી થાય છે. ખાવામાં સ્વાદિષ્ટ હોવાથી મંડીઓમાં પણ આ પ્રકારની દુધી ખુબ પસંદ કરવામાં આવી રહી છે.

મચાન પદ્ધતિ વેલાના શાકભાજી માટે યોગ્ય માનવામાં આવે છે જેમ કે દુધી, કાકડી અને કારેલા. જેમાં વાંસ કે તારની મદદથી ખેતરમાં મંડપ જેવું તૈયાર કરીને તેના પર શાકભાજીના વેલા ચઢાવવામાં આવે છે. આ પદ્ધતિ પાકમાં ખરાબી ઘટાડે છે. વરસાદ પડે ત્યારે વેલાના શાકભાજી બગડવાની શક્યતા રહે છે, પરંતુ આ પદ્ધતિથી પાકનું રક્ષણ થાય છે. પાકમાં કોઈપણ પ્રકારના રોગ કે જીવાત હોય તો દવાનો છંટકાવ કરવો પણ ખૂબ જ સરળ રહે છે. મચાન નીચે ધાણા, ટામેટા, મરચા, પાલકનું વાવેતર કરીને વધારાની આવક મેળવી શકાય છે. મચાન પદ્ધતિ પાકની ગુણવત્તા અને ઉપજ બંનેમાં વધારો કરે છે.

પ્રગતિશીલ ખેડૂત કે જેમણે ત્રણ વર્ષ પહેલાં પોતાના ખેતરમાં દુધીના પાક માટે મચાન તૈયાર કર્યો હતો, ખેડૂતે જણાવ્યું કે, જમીન પર દુધીની ખેતી તેના નબળા રંગ અને કદને કારણે બજારમાં યોગ્ય ભાવ મળતો ન હતો. ત્યાંથી મને આ વિચાર આવ્યો. તેથી વિચાર્યું કે શા માટે મચાન પર દુધીનો વેલો ન મૂકવો જોઈએ. અન્ય એક ખેડૂતે મારા આ વિચારમાં ટેકો આપ્યો, હવે આ પદ્ધતિ સાથેની ખેતીએ મારું નસીબ બદલી નાખ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">