Success Story: ‘જૈવિક મેન’ તરીકે ઓળખાય છે આ પ્રગતિશીલ ખેડૂત, આ રીતે ગાયના છાણમાંથી કરે છે બંપર કમાણી

રાસાયણિક ખાતરોના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા નબળી પડી રહી છે. જેના કારણે ખેતરો બંજર બની રહ્યા છે. આવી સ્થિતિમાં ફરી એકવાર ઓર્ગેનિક ખાતરની માગ વધી છે. લોકો જૈવિક ખાતર માટે મોટો ખર્ચ કરી રહ્યા છે, પરંતુ તે પછી પણ ખેડૂતોને સમયસર જૈવિક ખાતર મળતું નથી.

Success Story: જૈવિક મેન તરીકે ઓળખાય છે આ પ્રગતિશીલ ખેડૂત, આ રીતે ગાયના છાણમાંથી કરે છે બંપર કમાણી
Symbolic Image
| Edited By: | Updated on: Jun 03, 2023 | 1:15 PM

જંતુનાશકો અને રાસાયણિક ખાતરોના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા નબળી પડી રહી છે. જેના કારણે ખેતરો બંજર બની રહ્યા છે. આવી સ્થિતિમાં ફરી એકવાર ઓર્ગેનિક ખાતરની માગ વધી છે. લોકો જૈવિક ખાતર માટે મોટો ખર્ચ કરી રહ્યા છે, પરંતુ તે પછી પણ ખેડૂતોને સમયસર જૈવિક ખાતર મળતું નથી.

આ સ્થિતિમાં બેગુસરાયના મુનીલાલ મહતો ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો માટે દેવદૂતથી ઓછા નથી. તેઓ સજીવ ખેતી કરતા ખેડૂતોને વાજબી ભાવે જૈવિક ખાતરો પૂરા પાડે છે. ખાસ વાત એ છે કે જૈવિક ખાતરનો ઓર્ડર તેમની પાસે અગાઉથી પહોંચી જાય છે.

આ પણ વાંચો: Breaking News : જામનગરના તમાચણ ગામે બાળકી 40 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી, રેસ્ક્યૂની કામગીરી પૂરજોશમાં

એક અહેવાલ મુજબ, મુનીલાલ મહતો આખા વિસ્તારમાં ‘બાયોલોજિકલ મેન’ના નામથી ઓળખાય છે. ખાસ વાત એ છે કે મુનીલાલ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવાની તાલીમ પણ આપે છે. અત્યાર સુધીમાં તેમણે વિસ્તારના સેંકડો ખેડૂતોને તાલીમ આપી છે. આવા મુનીલાલ મહતો પોતે પણ ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરે છે. 2013થી તે સંપૂર્ણપણે ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. આ કારણે તેની કમાણી વધી છે.

ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડવામાં આવતા ઉત્પાદનોને સારો ભાવ મળે છે

બીજી તરફ જિલ્લાના ચેરિયા બરિયારપુર બ્લોકની ગોપાલપુર પંચાયતના ખેડૂત પ્રમોદ મહતોએ જણાવ્યું કે, તેમણે પણ તેમની પાસેથી પ્રેરણા લઈને જૈવિક ખેતી શરૂ કરી. આ કારણે મારી આવકમાં પણ વધારો થયો. પ્રમોદ મહતોએ જણાવ્યું કે વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવાની સાથે તેઓ કમ્પોસ્ટનું પણ ઉત્પાદન કરી રહ્યા છે. જો પ્રમોદ મહતોનું માનીએ તો ઓર્ગેનિક પદ્ધતિથી ઉત્પાદિત ઉત્પાદનોને બજારમાં સારો ભાવ મળે છે. જેના કારણે ખેડૂતો ધીમે ધીમે ઓર્ગેનિક ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે.

રાસાયણિક ખાતર 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે

મુનીલાલ મહતોના જણાવ્યા અનુસાર બજારમાં અત્યારે રાસાયણિક ખાતર 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે જૈવિક ખાતરની કિંમત માત્ર 6 રૂપિયા પ્રતિ કિલો છે. તેમણે કહ્યું કે રાસાયણિક ખાતરના ઉપયોગને કારણે પાકને 6 વખત સિંચાઈની જરૂર પડે છે. બીજી તરફ ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડવામાં આવતા પાકને માત્ર 3 વખત પાણીની જરૂર પડે છે.

જૈવિક ખાતરમાંથી એક વર્ષમાં આટલી આવક થાય છે

અત્યારે મુનીલાલ પાસે બે ગાય છે. તેઓ તેમના છાણમાંથી જૈવિક ખાતર તૈયાર કરે છે. તેઓ તેમની 2 એકર જમીનમાં માત્ર ઓર્ગેનિક ખાતર વાપરે છે. આ સાથે બચેલુ ઓર્ગેનિક ખાતર તેઓ વેચે છે, જેના કારણે તેઓ એક વર્ષમાં 60 હજાર રૂપિયાની કમાણી કરે છે. ખાસ વાત એ છે કે મુનીલાલ ગૌમૂત્રનો જંતુનાશક તરીકે ઉપયોગ કરે છે. જેના કારણે પાકને પણ કોઈ નુકસાન થતું નથી.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો