AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રખડતા ઢોરની સમસ્યાથી મળશે છુટકારો, નીતિ આયોગે બનાવી યોજના, હવે ગૌશાળાઓ પણ કરી શકશે બિઝનેસ

નીતિ આયોગે એક કાંકરે બે પક્ષી મારવાની ખાસ યોજના બનાવી છે. તેનાથી દેશભરની ગૌશાળાઓની સ્થિતિ બદલાશે અને તેમના માટે નવા વ્યવસાય કરવા પણ સરળ બનશે. નીતિ આયોગના સભ્ય રમેશ ચંદની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ ગૌશાળાઓને નાણાકીય સહાયની ભલામણ કરી છે.

રખડતા ઢોરની સમસ્યાથી મળશે છુટકારો, નીતિ આયોગે બનાવી યોજના, હવે ગૌશાળાઓ પણ કરી શકશે બિઝનેસ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2023 | 1:30 PM
Share

મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ દેશભરમાં ગૌશાળાની સ્થાપનાને લઈને એક અલગ પ્રકારની જાગૃતિ જોવા મળી રહી છે. સાથે સાથે રખડતી ગાયો અને પશુઓની સમસ્યામાં પણ વધારો થયો છે. માત્ર ગામડાઓમાં જ નહીં, શહેરી વિસ્તારોમાં પણ ગૌશાળાઓ બનાવવામાં આવી રહી છે. બીજી તરફ રખડતા પશુઓ પાકને નુકસાન પહોંચાડવાની સાથે માર્ગો પર અકસ્માતો પણ સર્જી રહ્યા છે.

આ માટે નીતિ આયોગે એક કાંકરે બે પક્ષી મારવાની ખાસ યોજના બનાવી છે. તેનાથી દેશભરની ગૌશાળાઓની સ્થિતિ બદલાશે અને તેમના માટે નવા વ્યવસાય કરવા પણ સરળ બનશે. નીતિ આયોગના સભ્ય રમેશ ચંદની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ ગૌશાળાઓને નાણાકીય સહાયની ભલામણ કરી છે. આ સાથે ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનેલા ઉત્પાદનોનું માર્કેટિંગ પણ સૂચવવામાં આવ્યું છે જેનો કૃષિ ક્ષેત્રમાં ઉપયોગ કરી શકાય.

ગૌશાળાઓની ઓનલાઈન નોંધણી

સમિતિનો પ્રસ્તાવ છે કે તમામ ગૌશાળાઓની ઓનલાઈન નોંધણી માટે એક પોર્ટલ બનાવવું જોઈએ. તેને નીતિ આયોગના દર્પણ પોર્ટલની જેમ વિકસાવી શકાય છે. તેનાથી તેઓ એનિમલ વેલફેર બોર્ડની સહાય મેળવવા માટે પણ પાત્ર બનશે.

રખડતી ગાયોથી છુટકારો મળશે

કમિટીએ પોતાના એક રિપોર્ટમાં ગાયોના આશ્રયસ્થાનોને આર્થિક મદદ આપવાની વાત કરી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ રખડતા પ્રાણીઓની સમસ્યાનો અસરકારક ઉકેલ સાબિત થશે. સમિતિનું કહેવું છે કે ગૌશાળાઓને આપવામાં આવતી આર્થિક સહાયને ગાયોની સંખ્યા સાથે જોડવી જોઈએ. રખડતી અથવા બીમાર ગાયોની સ્થિતિ સુધારવા પર ભાર મૂકવો જોઈએ.

રાહત દરે ધિરાણ આપવું જોઈએ

ગૌશાળાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે આર્થિક સહાય પણ આપવી જોઈએ. તેને વ્યાપાર ચલાવવા અને નફો કમાવવા વચ્ચેના તફાવતની સમાન નાણાકીય સહાય પૂરી પાડવી જોઈએ, એટલે કે, વાયેબલ ગેપ ફંડિંગના રૂપમાં. ગૌશાળાઓને મૂડી રોકાણ અને કાર્યકારી મૂડી માટે રાહત દરે ધિરાણ આપવું જોઈએ.

ગૌશાળાઓએ આ નવો બિઝનેસ કરવો જોઈએ

ગૌશાળાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા રસ ધરાવનાર ગૌશાળાઓને મૂડી સહાય આપવી જોઈએ. જેથી તે ગાયના છાણ અને ગૌમૂત્રથી બનેલી વસ્તુઓનું માર્કેટિંગ કરી શકે. આ ઉત્પાદનો સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા માટે પણ અસરકારક સાબિત થઈ શકે છે. આ નીતિગત પગલાં ગૌશાળાઓને ગાયના છાણ અને મૂત્રમાંથી બનાવેલ ઉત્પાદનોના ઉત્પાદન, પેકેજિંગ, માર્કેટિંગ અને વિતરણમાં મદદ કરશે. સાથે જ ખાનગી ક્ષેત્રના રોકાણથી મોટા પાયા પર જૈવિક ખાતરોનું ઉત્પાદન કરી શકાય છે.

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
g clip-path="url(#clip0_868_265)">