શાકભાજીની ખેતી કરતા ખેડૂતો માટે કામના સમાચાર, ખેતીની આ નવી પદ્ધતિ અપનાવવાથી આવક વધશે, સરકાર આપશે નાણાકીય સહાય

|

Jun 15, 2022 | 2:57 PM

સરકાર શાકભાજીમાં વાંસ અને લોખંડનો ઉપયોગ કરવા માટે ખેડૂતોને (Farmers) 50 થી 90 ટકા સબસિડી આપી રહી છે. આ માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો. યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ બાગાયત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

શાકભાજીની ખેતી કરતા ખેડૂતો માટે કામના સમાચાર, ખેતીની આ નવી પદ્ધતિ અપનાવવાથી આવક વધશે, સરકાર આપશે નાણાકીય સહાય
Stacking Method Farming

Follow us on

જો તમે શાકભાજીની ખેતી કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ કામના છે. જો તમે શાકભાજીને સડવાથી બચાવવા અને તેનું ઉત્પાદન વધારવા માંગતા હો, તો તમે સ્ટેકીંગ પદ્ધતિનો (Stacking Method) ઉપયોગ કરી શકો છો. આ માટે સરકાર રૂ. 1.25 લાખ સુધીની નાણાકીય સહાય પણ આપશે. એટલે કે સ્ટેકિંગ સ્કીમ ખેડૂતો (Farmers) માટે નફાકારક સોદો છે. હરિયાણા સરકાર શાકભાજીમાં વાંસ અને લોખંડનો ઉપયોગ કરવા માટે ખેડૂતોને 50 થી 90 ટકા સબસિડી આપી રહી છે. આ માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો. યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ બાગાયત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. હાઇટેક અને અત્યાધુનિક યુગમાં કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી ઉભરી રહી છે. જેનાથી ખેડૂતોને અનેક લાભો મળી રહ્યા છે.

શાકભાજીની ખેતીમાં સ્ટેકિંગ એ એક એવી પદ્ધતિનું નામ છે, જેને અપનાવીને ખેડૂતો સારો નફો કમાઈ રહ્યા છે. આ પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતો વાંસની મદદથી તાર અને દોરડાની જાળી બનાવે છે. તેના પર છોડના વેલા ફેલાય છે. જેના કારણે કારેલા, તુવેર, મરચા, રીંગણ અને ટામેટા સહિત અનેક શાકભાજીની સારી ખેતી કરી શકાય છે. તે ઉચ્ચ ઉપજ ધરાવે છે. નવી ટેકનોલોજી સાથે ખેતી કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે નફો વધે છે. તેથી, સરકાર વાંસના સ્ટેકિંગ અને લોખંડના સ્ટેકિંગ પર અલગ-અલગ ગ્રાન્ટ આપે છે.

કોને કેટલી સહાય મળશે?

વાંસની સ્ટેકિંગની કિંમત 62 હજાર 500 રૂપિયા છે તો પ્રતિ એકર 31,250 રૂપિયાથી 56,250 રૂપિયાની રકમ આપવામાં આવી રહી છે. લોખંડ સ્ટેકીંગની કિંમત 1.41 લાખ રૂપિયા પ્રતિ એકર છે, તેથી તેના પર 70,500 રૂપિયાથી લઈને 1.26 લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવી રહી છે. વાંસના સ્ટેકીંગ અને લોખંડના સ્ટેકીંગ પર મહત્તમ અનુદાન વિસ્તાર 1 થી 2.5 એકર છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

સ્ટેકિંગ ટેક્નોલોજીનો ફાયદો શું છે?

જિલ્લા બાગાયત અધિકારી ડો. રમેશ કુમારે જણાવ્યું હતું કે અગાઉ ખેડૂતો જૂની ટેકનોલોજીથી શાકભાજી અને ફળોની ખેતી કરતા હતા. પરંતુ હવે ખેડૂતો સ્કેટિંગ ટેકનિકનો ઉપયોગ કરીને ખેતી કરી રહ્યા છે. કારણ કે આ ટેકનિક ખૂબ જ સરળ છે. આ ટેકનિકમાં બહુ ઓછી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

તાર અને દોરડાની જાળી વાંસ અને લોખંડની મદદથી બનાવવામાં આવે છે અને શાકભાજી ઉગાડવામાં આવે છે. આ પદ્ધતિથી શાકભાજીની ઉપજ પણ વધી રહી છે. વેલાવાળા છોડ ફળનું વજન સહન કરવામાં અસમર્થ હોય છે. આવી સ્થિતિમાં, સ્ટેકિંગ પદ્ધતિ છોડને ઘણો ટેકો આપે છે. આ પદ્ધતિથી ફળ સારા રહે છે. તે ભેજની સ્થિતિમાં સડતા નથી.

Next Article