AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વૈજ્ઞાનિકો વિકસાવશે રોગ પ્રતિરોધક બિયારણ, તેનાથી બટાકા, ઘઉં અને ડાંગરના પાકનું વધશે ઉત્પાદન

હાઇબ્રિડ બિયારણ પાકની ઉપજમાં વધારો કરશે અને ખેડૂતોની આર્થિક હાલતમાં સુધારો કરશે. વૈજ્ઞાનિક બે વર્ષમાં બટાટાનું હાઇબ્રિડ બીજ વિકસાવશે જેથી રોગો અને વાયરસ પાકને મારી નષ્ટ ન કરી શકે.

વૈજ્ઞાનિકો વિકસાવશે રોગ પ્રતિરોધક બિયારણ, તેનાથી બટાકા, ઘઉં અને ડાંગરના પાકનું વધશે ઉત્પાદન
Farmer (File Pic)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 12:57 PM
Share

ભારતીય કૃષિ સંશોધન પરિષદના વૈજ્ઞાનિકો (Scientists)પાકને થતા નુકસાનને રોકવા માટે રોગ પ્રતિરોધક બીજ (Disease resistant seeds) વિકસાવી રહ્યા છે. હાઇબ્રિડ બિયારણ પાકની ઉપજમાં વધારો કરશે અને ખેડૂતો (Farmers)ની આર્થિક હાલતમાં સુધારો કરશે. વૈજ્ઞાનિક બે વર્ષમાં બટાટા (Potato Crop)નું હાઇબ્રિડ બીજ (Hybrid seeds)વિકસાવશે જેથી રોગો અને વાયરસ પાકને મારી ન શકે.

દેશના ખેડૂતોને હવે આગામી સમયમાં બટાટા, ઘઉં અને ડાંગરના રોગ પ્રતિકારક બિયારણ મળશે. ભારતીય કૃષિ સંશોધન પરિષદના વૈજ્ઞાનિકો પાકને થતા નુકસાનને રોકવા માટે રોગ પ્રતિરોધક બીજ વિકસાવી રહ્યા છે. હાઇબ્રિડ બિયારણ પાકની ઉપજમાં વધારો કરશે અને ખેડૂતોની અર્થવ્યવસ્થામાં સુધારો કરશે. સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ પોટેટો રિસર્ચ (CPRI) ના વૈજ્ઞાનિકો બે વર્ષમાં હાઇબ્રિડ બટાટાના બીજનો વિકાસ કરશે જેથી પાક રોગો અને વાયરસથી મરી ન જાય.

સોમવારે, CPRI ખાતે દેશભરના 200 વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરી કે રોગોના કારણે દેશમાં દર વર્ષે 65 મિલિયન ટન પાકને નુકસાન થાય છે. બાગાયતી પાકોને આ નુકસાન 70 ટકા સુધી છે. અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં પ્રતિ હેક્ટર 467 ગ્રામ જંતુનાશકોનો ઉપયોગ થાય છે. આમાંથી 60 ટકા દવાઓ કપાસમાં વપરાય છે. વૈજ્ઞાનિકોએ સૂચન કર્યું હતું કે કેન્દ્ર સરકારે વૈજ્ઞાનિકોની સલાહ લીધા બાદ જંતુનાશક નીતિ નક્કી કરવી જોઈએ.

CPRI ખાતે સોમવારથી ખાદ્ય સુરક્ષા માટે છોડના રોગોના નિયંત્રણ અને વ્યવસ્થાપન પર બે દિવસીય વર્કશોપનો પ્રારંભ થયો છે. મુખ્ય મહેમાન ડૉ.એચ.કે.ચૌધરીએ કૃષિ યુનિવર્સિટી, પાલમપુરના વાઇસ ચાન્સેલર જણાવ્યું હતું કે, કૃષિ વૈજ્ઞાનિકોએ પાક પર થતા રોગોનો સામનો કરવા માટે લેબ અને ખેતરો પર ઝીણવટભરી નજર રાખવાની જરૂર છે.

33 કરોડ લોકોની જરૂરિયાત થઈ શકે છે પૂરી

વર્કશોપમાં ડો.પી.કે.ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, દેશમાં વપરાતા જંતુનાશકોમાંથી 60 ટકાનો ઉપયોગ કપાસની ખેતીમાં થાય છે. પાકને રોગોથી બચાવીને 33 કરોડ લોકોની જરૂરિયાત પૂરી કરી શકાય છે. ડો.બી.એલ.જલાલીએ જણાવ્યું હતું કે, પાક પર રોગના કારણે દર વર્ષે 25 થી 30 ટકા પાક નાશ પામે છે. કૃષિ ક્ષેત્રમાં નેનો ટેકનોલોજી સહિત અન્ય આધુનિક કૃષિ ટેક્નોલોજી ઉત્પાદનમાં વધારો કરી શકે છે. આ દરમિયાન સીપીઆરઆઈના ડાયરેક્ટર ડો.એન.કે.પાંડેએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

આ પણ વાંચો: Viral: બિલાડીને ચડ્યો બોડી બનાવાનો શોખ ! વર્કઆઉટ જોઈ દંગ રહી ગયા લોકો

આ પણ વાંચો: બકરીએ કુતરાની કરી નાખી હાલત ખરાબ, વીડિયો જોઈ લોકોએ કહ્યું ‘કોક તો કુતરાને બચાવો’

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">