વરસાદ બાદ ભેજને કારણે ડુંગળીના પાકમાં ઘણા રોગ થાય છે, નુકસાનથી બચવા આ રીતે કરો નિયંત્રણ

|

Sep 20, 2021 | 1:08 PM

આ સમયે ખેતરોમાં ઘણો ભેજ જોવા મળે છે, જે ડુંગળીના પાક માટે ખૂબ જોખમી છે. આ સ્થિતિમાં જો ખેડૂતો દ્વારા તેને સમયસર ઓળખવામાં ન આવે અને યોગ્ય રીતે નિયંત્રણ કરવામાં ન આવે તો ઘણું નુકશાન સહન કરવું પડી શકે છે.

વરસાદ બાદ ભેજને કારણે ડુંગળીના પાકમાં ઘણા રોગ થાય છે, નુકસાનથી બચવા આ રીતે કરો નિયંત્રણ
Onion Crop

Follow us on

વરસાદ બાદ આ સમયે ખેતરોમાં ઘણો ભેજ જોવા મળે છે, જે ડુંગળીના પાક (Onion Crop) માટે ખૂબ જોખમી છે. આ ત્રણ રોગોનો પ્રકોપ ડુંગળીમાં સૌથી વધુ દેખાય છે. આ સ્થિતિમાં જો ખેડૂતો (Farmers) દ્વારા તેને સમયસર ઓળખવામાં ન આવે અને યોગ્ય રીતે નિયંત્રણ કરવામાં ન આવે તો ઘણું નુકશાન સહન કરવું પડી શકે છે.

ટીવી 9 હિન્દીએ ડુંગળીના પાકને આ રોગોથી કેવી રીતે બચાવવું તે અંગે રાજસ્થાનના સરમથુરા ધોલપુરના મદદનીશ કૃષિ અધિકારી પિન્ટુ મીના પહારી સાથે વાત કરી હતી. તેઓ જણાવે છે કે આ દિવસોમાં એન્થ્રેક્નોઝ / ટ્વિસ્ટર બ્લાઇટ (પર્ણ ટ્વિસ્ટ), કંદમાં સડો ઉપરાંત સફેદ વેણી જેવા રોગ ડુંગળીના મૂળમાં પણ દેખાય છે, જેના કારણે ખેડૂતો ખૂબ ચિંતિત દેખાઈ રહ્યા છે. તેઓ કહે છે કે જો થોડું ધ્યાન આપવામાં આવે તો આ રોગોથી પાકને બચાવી શકાય છે.

નિયંત્રણ કેવી રીતે કરશો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

1. આ રોગો માટે સસ્તી અને અસરકારક દવા છે, કાર્બેન્ડાઝીમ 75% ડબલ્યુપી + મેનકોઝેબ 63% ડબલ્યુપી. પ્રતિ લિટર પાણીમાં 2 ગ્રામ દવા મિક્સ કરીને ડ્રેન્ચિંગ કરો.

2. કોપર ઓક્સી ક્લોરાઇડ 50% WP, 2 ગ્રામ પ્રતિ લિટર પાણી સાથે ડ્રેન્ચિંગ કરો.

3. જો તે દવા ઉપલબ્ધ ન હોય તો, 1 મિલી પ્રતિ લિટર પાણીના દરે એઝોક્સિસ્ટ્રોબિન 11% + ટેબુકોનાઝોલ 18.3% એસસી સાથે ડ્રેન્ચ કરો.

4. એક વીઘામાં ઓછામાં ઓછી 6-7 ટાંકી પાણીનો છંટકાવ કરો. છોડને વરસાદ પડ્યો હોય તેવી રીતે પલાળી દો. ખેતરમાં જ્યાં ડુંગળીના ગઠ્ઠા (કંદ) માંથી માટી દૂર થઈ છે, ત્યા તમે વાતાવરણ બરાબર થાય કે તરત જ ફરીથી માટી નાખી તે જમીનને સમથળ બનાવી જોઈએ, જેથી ડુંગળીનું કદ બરાબર બની શકે.

ઘણી જગ્યાએ વ્હાઈટ ગ્રબ (સફેદ વેણી) ની ફરિયાદ પણ છે. તેમાં ક્લોરોપાયરીફોસ 50% EC + સાયપરમેથ્રિન 5% EC ને રેતીમાં 500 ગ્રામ વિઘા દીઠ ભેળવીને પાવડરની જેમ છંટકાવ કરવાથી ખૂબ સારા પરિણામ મળે છે. મેટારિઝિયમ એનિસીપોલી જૈવિક ફૂગ આમાં ખૂબ અસરકારક સાબિત થઈ છે.

આ પણ વાંચો : દૂધ બનાવો અને લાખો કમાઓ, સોયા મિલ્ક તૈયાર કરી ખેતી સાથે વધારાની આવક મેળવો

આ પણ વાંચો : કેળના ઝાડના કચરાને વેસ્ટ ન સમજો, તેમાંથી મળતા ફાઈબર દ્વારા ખેડૂતો કરી શકે છે કમાણી

Next Article