દેશમાં 43.38 લાખ ખેડૂતો કરી રહ્યા છે ઓર્ગેનિક ખેતી, જાણો ક્યા રાજ્યના ખેડૂતો કરે છે સૌથી વધારે સજીવ ખેતી

અધિકારીઓએ જણાવ્યું હતું કે ટપક સિંચાઈથી પાણીની બચત થાય છે અને મલ્ચિંગ પદ્ધતિ દ્વારા પાકને નીંદણથી દૂર રાખી શકાય છે.

દેશમાં 43.38 લાખ ખેડૂતો કરી રહ્યા છે ઓર્ગેનિક ખેતી, જાણો ક્યા રાજ્યના ખેડૂતો કરે છે સૌથી વધારે સજીવ ખેતી
Organic Farming In India - Symbolic Image
| Edited By: | Updated on: Jan 13, 2022 | 11:13 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને કુદરતી ખેતી (Natural Farming) અપનાવવાનું આહ્વાન કર્યું છે ત્યારથી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને મંત્રીઓ રસાયણ મુક્ત ખેતી પર વધુ વાત કરવા લાગ્યા છે. જો ઓર્ગેનિક ખેતીનો (Organic Farming) ઉલ્લેખ કરવામાં આવે તો મધ્યપ્રદેશનું નામ પ્રથમ આવશે. હાલમાં દેશમાં 43,38,495 ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે, જેમાંથી 7,73,902 એકલા મધ્યપ્રદેશના છે. અન્ય રાજ્યો ઘણા પાછળ છે. મધ્યપ્રદેશ સરકારે 2001-2002માં ઓર્ગેનિક ખેતી પર કામ શરૂ કર્યું હતું. વર્ષ 2018-19 થી 2020-21 સુધીમાં, પરંપરાગત કૃષિ વિકાસ યોજના હેઠળ, 1,22,400 ખેડૂતોને જૈવિક ખેતી માટેની તાલીમ આપવામાં આવી છે. તેથી જ ઓર્ગેનિક કૃષિ ઉત્પાદનોની નિકાસમાં એમપીનું મહત્વનું યોગદાન છે.

રાજ્યના બાગાયત અને ફૂડ પ્રોસેસિંગ મંત્રી ભરત સિંહ કુશવાહનું કહેવું છે કે ખેડૂતોની મદદથી રાજ્યને આત્મનિર્ભર બનાવવામાં આવશે. વિભાગ ખેડૂતોને આધુનિક રીતે ઓર્ગેનિક ખેતી માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. વિભાગીય નર્સરીઓમાં ખેડૂતોને જૈવિક ખેતીની તાલીમ આપવામાં આવી રહી છે. કુશવાહાએ ગુરુવારે ખંડવા જિલ્લાના રિચી ઉદ્યાન વિસ્તારની મુલાકાત દરમિયાન આ વાત કહી. હાલમાં રાજ્યમાં 17.31 લાખ હેક્ટરમાં ઓર્ગેનિક ખેતી કરવામાં આવી રહી છે.

ઓર્ગેનિક પાકનું નિરીક્ષણ

કુશવાહાએ ખંડવાના રીછી ઉદ્યાન ખાતે ઓર્ગેનિક પદ્ધતિથી ઉત્પાદિત થતા પાકનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે બાગાયત વિભાગના અધિકારીઓને ખેડૂતોને વધુને વધુ સજીવ ખેતી કરવા પ્રેરિત કરવા જણાવ્યું હતું. તેમણે અધિકારીઓ સાથે સેન્દ્રિય ખાતર બનાવવાની પ્રક્રિયાઓ અંગે પણ ચર્ચા કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ટપક સિંચાઈથી પાણીની બચત થાય છે અને મલ્ચિંગ પદ્ધતિ દ્વારા પાકને નીંદણથી દૂર રાખી શકાય છે.

વધુ રસાયણ મુક્ત ખેતી કેવી રીતે કરવી

કુશવાહ કહે છે કે રાજ્યના ફળ અને શાકભાજી ઉત્પાદક ખેડૂતોને ઓર્ગેનિક ઉત્પાદનોનું ઉત્પાદન કરવા માટે પ્રેરિત કરવામાં આવશે. આવી ખેતી કરતા ખેડૂતોનો સર્વે કરીને જિલ્લાવાર નંબરો એકત્રિત કરવામાં આવશે. ઓર્ગેનિક શાકભાજી અને ફળોના ઉત્પાદન સાથે સંકળાયેલા આવા ખેડૂતોને પણ મદદ આપવામાં આવશે.

જૈવિક ખાતર માટે ગૌશાળામાંથી ગાયના છાણના જૈવિક ખાતરને સીધા ખેડૂતો સુધી પહોંચાડવાની યોજના બનાવવામાં આવી છે. જૈવિક ખેતીની નર્સરીઓને ગૌશાળાઓ સાથે જોડ્યા બાદ ખેડૂતો અને ગૌશાળાઓ બંનેને ફાયદો થશે.

 

આ પણ વાંચો : MSP પર અનાજની ખરીદી માટે જાહેર કરાયેલા FCIના નવા ડ્રાફ્ટ પર થયો હોબાળો, જાણો શું છે ખેડૂતોની નારાજગીનું કારણ

આ પણ વાંચો : ખેડૂતેનો સ્માર્ટ ફોન વસાવવા માટે સરકાર 40 ટકા સહાય આપશે, 15000 સુધીનો મોબાઈલ 9 હજારમાં મળી જશે

આ પણ વાંચો : ખેડૂતો નેનો યુરિયા લિક્વિડનો ઉપયોગ બે વર્ષ સુધી કરી શકાશે, પાક ઉત્પાદનમાં થશે વધારો