AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiwi Farming : કિવીની ખેતીથી ખેડૂતો કરી શકે છે સારી કમાણી, જાણો તેની ખેતી વિશે

કીવીમાં એન્ટી ઓક્સીડેન્ટની માત્રા વધુ હોય છે. આ એન્ટી-ઓક્સીડેન્ટ શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે એટલે કે શરીરને રોગોથી બચાવવામાં મદદ કરે છે. કીવી (Kiwi Farming)રોગ પ્રતિકારક શક્તિ સાથે, આ ફળ ડેન્ગ્યુ, મેલેરિયા અથવા ચેપી રોગ માટે ખૂબ જ ફાયદાકારક છે.

Kiwi Farming : કિવીની ખેતીથી ખેડૂતો કરી શકે છે સારી કમાણી, જાણો તેની ખેતી વિશે
Kiwi FarmingImage Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2022 | 11:12 AM
Share

ઔષધીય ગુણધર્મો (Medicinal properties) ને લીધે, ડોકટરો દર્દીઓને કિવી ફળો ખાવાની ભલામણ કરે છે. કિવી તેના વિટામિન સી, વિટામિન ઇ, વિટામિન કે અને વિપુલ પ્રમાણમાં પોટેશિયમ અને ફોલેટ માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેમાં એન્ટી ઓક્સીડેન્ટની માત્રા વધુ હોય છે. આ એન્ટી-ઓક્સીડેન્ટ શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. એટલે કે શરીરને રોગોથી બચાવવામાં મદદ કરે છે. કિવી (Kiwi Farming)રોગ પ્રતિકારક શક્તિ સાથે, આ ફળ ડેન્ગ્યુ, મેલેરિયા અથવા ચેપી રોગ માટે ખૂબ જ ફાયદાકારક છે.

ભારતમાં સૌપ્રથમવાર આ ફળનું વાવેતર કરનાર નૌની યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. રાજેશ્વર સિંહ ચંદેલે એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ફળ અમારી યુનિવર્સિટીમાં 1985માં રોપવામાં આવ્યું હતું અને તેને સારી રીતે ઉગાડવામાં અને માર્કેટિંગ કરવામાં અમને 7 વર્ષ લાગ્યા હતા. તેને 1000 થી 1500 મીટરની ઉંચાઈવાળા વિસ્તારોમાં ઉગાડી શકાય છે. ઔષધીય ગુણોથી ભરપૂર આ ફળની વિશેષતા એ છે કે આ ફળમાં રહેલા રુવાંટીવાળા વાળને કારણે ન તો વાંદરાઓ ખાય છે અને ન તો અન્ય પ્રાણીઓ તેને ખાવાનું પસંદ કરે છે.

પ્રોફેસર ચંદેલે કહ્યું કે આપણે ભારતીયોને મોટાભાગે ફળોમાં મીઠા સ્વાદવાળા ફળો ખાવાની આદત છે. આ આદત સમય સાથે બદલાતી રહે છે. હવે ધીમે ધીમે આપણે કીવી જેવા કેટલાક ખાટાં ફળો પસંદ કરવા લાગ્યા છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી, કિવી ફળ માત્ર પાક સંરક્ષણની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નથી, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું છે. તેમણે કહ્યું કે આ ફળમાં બીમારીઓ નહિવત છે, જેના કારણે તેની કિંમત ઘણી ઓછી છે. બજારમાં તે 200 થી 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.

નૌની યુનિવર્સિટીના ફ્રુટ્સ ડિપાર્ટમેન્ટના વૈજ્ઞાનિક ડૉ.નવીન શર્માએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કિવી ફળ ઉગાડવાની પદ્ધતિ રાજ્ય અને દેશના હજારો ખેડૂતો અને સંસ્થાઓ સાથે શેર કરવામાં આવી છે. અમે હિમાચલના ખેડૂતો સાથે ઉત્તર પૂર્વમાં કિવીના છોડ આપી રહ્યા છીએ. આ ફળ ઝડપથી ખેડૂતોમાં ખ્યાતિ મેળવી રહ્યું છે. તેમણે કહ્યું કે આ પાકની કિંમત ઘણી ઓછી છે. ખેડૂતોએ ફક્ત તેમના પાકમાં વિવિધતા લાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે આ ફળમાં એક વખત નક્કર માળખું લગાવવામાં આવે તો ત્રીજાથી ચોથા વર્ષે સારી આવક થવા લાગે છે.

ત્રણ વર્ષ પહેલા સિરમૌરમાં કીવીનો બાગ લગાવનાર સંદીપ શર્માએ જણાવ્યું કે અમારા વિસ્તારમાં વાંદરાઓની સમસ્યા હતી, તેથી તેમણે પ્રયોગ તરીકે 184 કીવીના છોડ વાવ્યા હતા. મારો પ્રયોગ સફળ રહ્યો અને મને વાંદરાઓની સમસ્યામાંથી છુટકારો મળ્યો. તેણે કહ્યું કે ગયા વર્ષે મેં વિના ખર્ચે 48 હજાર રૂપિયા કમાયા હતા, જે આ વર્ષે 1 લાખ સુધી પહોંચી જશે. હું માનું છું કે અન્ય ખેડૂતોએ પણ કિવીની ખેતી તરફ વળવું જોઈએ, આનાથી તેમને પાકની સુરક્ષાની ચિંતામાંથી મુક્તિ મળશે જ, પરંતુ ખેતીના વધતા ખર્ચમાંથી પણ રાહત મળશે.

g clip-path="url(#clip0_868_265)">