ગુજરાત (Gujarat)સરકારે નાણાકીય વર્ષ 2022-23માં કૃષિ ક્ષેત્ર (Agriculture Sector)માટે 7737 કરોડ રૂપિયા ફાળવ્યા છે. સરકારનું ધ્યાન સૌથી વધુ કૃષિ સંશોધન પર છે. આ જ કારણ છે કે આ માટે 757 કરોડ રૂપિયાની અલગ જોગવાઈ કરવામાં આવી છે. ટેકનોલોજીનો ઉપયોગ અને સ્માર્ટ એગ્રીકલ્ચર એ સમયની જરૂરિયાત બની ગઈ છે. પરંપરાગત પાકોની ખેતીથી દૂર જઈને ખેડૂતોની આવકમાં વધારો (Farmers Income)કરવા માટે સમય સાથે તાલ મિલાવવા જરૂરી છે. આને ધ્યાનમાં રાખીને કૃષિ ક્ષેત્રમાં વ્યાપક પરિવર્તન લાવવા સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સરકારના પ્રયાસોને કારણે રાજ્યના લોકોની માથાદીઠ આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે કહ્યું કે 2002માં ગુજરાતની માથાદીઠ આવક 19 હજાર 823 રૂપિયા હતી જે હવે 2 લાખ 4 હજાર 809 થઈ ગઈ છે. તેમણે કહ્યું કે અમારી સરકાર કૃષિ અને ખેડૂત કલ્યાણ પર વિશેષ ભાર આપી રહી છે. કૃષિ ક્ષેત્ર માટે 7753 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત ખેતીના કામો માટે વીજળી સબસીડી, કૃષિ મશીનરીની ખરીદીમાં ગ્રાન્ટ, સજીવ ખેતી અને પશુપાલન માટે પણ ભંડોળની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ પ્રયાસો દ્વારા ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિ આવશે.
આ ઉપરાંત પશુપાલનના હેતુ માટે લેવામાં આવેલી ટૂંકા ગાળાની લોન પર વ્યાજમાં રાહત આપવા માટે રૂ. 300 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ, ગૌશાળા, ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓને ગૌ સંરક્ષણ અને માળખાકીય સુવિધાઓ માટે રૂ. 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં મત્સ્યોદ્યોગના વિકાસ માટે 880 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
આ પણ વાંચો: કુદરતી ખેતી કરતા ખેડૂતોને મોટો ફાયદો થશે, નિકાસને પ્રોત્સાહન આપવાનું આયોજન કરી રહ્યું છે APEDA
આ પણ વાંચો: Russia Ukraine War: યૂક્રેન પર ડિજિટલ સ્ટ્રાઈક, Gmail, Google અને YouTube જેવી સર્વિસ ઠપ