Cabinet Meeting : ખેડૂતો માટે સારા સમાચાર, ખરીફ પાકના ટેકાના ભાવમાં વધારો કરી શકે છે સરકાર

CCEAની બેઠકમાં ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવાની મંજૂરી આપવામાં આવશે. આ વખતે ખરીફ પાકની MSP 5 થી 20 ટકા વધારવાનો પ્રસ્તાવ છે. એવું માનવામાં આવે છે કે 2018- 2019 ની સીઝન પછી, આ વખતે MSP સૌથી વધુ વધશે.

Cabinet Meeting : ખેડૂતો માટે સારા સમાચાર, ખરીફ પાકના ટેકાના ભાવમાં વધારો કરી શકે છે સરકાર
Kharif crop support prices may rise (symbolic image)
| Edited By: | Updated on: Jun 08, 2022 | 12:43 PM

કેન્દ્રની નરેન્દ્ર મોદી (Narendra Modi) સરકાર આજે ખેડૂતોને મોટા સમાચાર આપી શકે છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCEA) ની બેઠક ચાલી રહી છે. એવી ચર્ચા છે કે CCEAની બેઠકમાં ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માં વધારાને મંજૂરી આપવામાં આવશે. આ વખતે ખરીફ પાકની MSP 5 થી 20 ટકા વધારવાનો પ્રસ્તાવ છે. એવું માનવામાં આવે છે કે 2018-2019ની ખરીફ સીઝન (Kharif Season) પછી, આ વખતે MSP સૌથી વધુ વધી શકે છે. ખાસ કરીને ડાંગર, મકાઈ અને સોયાબીન જેવા મુખ્ય ખરીફ સીઝનના પાકો તેમજ મગફળી, તુવેર, મગ, જુવાર, બાજરી અને રાગીના ટેકાના ભાવમાં વધારો થશે.

આ સિઝનના 14 પાકના ટેકાના ભાવમાં વધારો કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. એવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે સરકાર કઠોળ અને તેલીબિયાં પાકોમાં મહત્તમ વધારો કરે, કારણ કે ભારત આમાં આત્મનિર્ભર નથી. તેમજ સરકારની નીતિ આ પાકોની ખેતીને પ્રોત્સાહન આપવાની છે જેથી આયાતમાં ઘટાડો કરી શકાય.

ડાંગર એ ખરીફ સીઝનનો મુખ્ય પાક છે. મોટાભાગના ખેડૂતો આ પાકની ખેતી કરે છે. શક્ય છે કે એમએસપીમાં વધારો ના થવાથી ડાંગર ઉગાડતા ખેડૂતો નિરાશ થઈ શકે. સરકારે ડાંગરના દર ઓછા વધાર્યા હોવાનો અંદાજ છે. સોયાબીન, મગ, તુવેર, કપાસ અને મગફળીના ટેકાના ભાવ વધુ વધવાની શક્યતા છે. કેન્દ્ર સરકારનું ધ્યાન બરછટ અનાજ તરફ પણ છે. પાક વૈવિધ્યકરણને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે જુવાર, બાજરી અને રાગીના MSPમાં વધુ વધારો થઈ શકે છે.

ગ્રામીણ અર્થતંત્રને મજબૂતી મળશે

સોયાબીન અને મગફળીના ખેડૂતોને સૌથી વધુ ફાયદો થવાની શક્યતા છે. કૃષિ ખર્ચ અને કિંમતો માટેના પંચે આ વર્ષે એમએસપીમાં સૌથી વધુ વધારો કરવાની ભલામણ કરી છે. બીજી તરફ, જો MSPમાં યોગ્ય વધારો થશે તો ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોની આવકમાં વધારો થશે. દેશની અડધાથી વધુ વસ્તી કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો પર નિર્ભર છે. જો એમએસપીના નાણાં તેમના સુધી પહોંચશે, તો તેઓ કૃષિ સાધનો, ખાતર, બિયારણ અને અન્ય કૃષિ ઉત્પાદનોની ખરીદી પર વધુ ખર્ચ કરશે.