AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતો માટે ખુશખબર, આ વખતે ચોમાસુ સામાન્ય રહેવાનું અનુમાન, ખરીફ પાકનું થશે બમ્પર ઉત્પાદન

Monsoon 2022: જૂનના પ્રથમ સપ્તાહમાં ભારતમાં ચોમાસું પ્રવેશે છે, ત્યારબાદ ખેડૂતો મુખ્યત્વે ખરીફ પાકો(Kharif Crops)માં ડાંગરની ખેતી કરે છે. ભારતની ખાનગી હવામાન આગાહી એજન્સીએ વર્ષ 2022 માટે ચોમાસાની આગાહી જાહેર કરી છે.

ખેડૂતો માટે ખુશખબર, આ વખતે ચોમાસુ સામાન્ય રહેવાનું અનુમાન, ખરીફ પાકનું થશે બમ્પર ઉત્પાદન
Farmers - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 6:54 AM
Share

ભારતીય ખેતી ચોમાસા (Monsoon 2022) પર આધારિત છે. જે વર્ષે સારો વરસાદ થાય છે, ત્યાં બમ્પર ઉપજ થાય છે અને ખેડૂતોને ફાયદો થાય છે. જૂનના પ્રથમ સપ્તાહમાં ભારતમાં ચોમાસું પ્રવેશે છે, ત્યારબાદ ખેડૂતો મુખ્યત્વે ખરીફ પાકો (Kharif Crops)માં ડાંગરની ખેતી કરે છે. ભારતની ખાનગી હવામાન આગાહી એજન્સી સ્કાયમેટે વર્ષ 2022 માટે ચોમાસાની આગાહી જાહેર કરી છે. આગાહીમાં એવી ધારણા છે કે વર્ષ 2022નું ચોમાસું લંબાશે. તેમજ આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે અને 98 ટકા વરસાદ પડશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. જોકે, આ માર્જિનમાં પાંચ ટકાનો તફાવત હોઈ શકે છે.

સ્કાયમેટે અનુમાન લગાવ્યું છે કે જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિનાના લાંબા સમયગાળા દરમિયાન 880.6 મીમી વરસાદ પડશે. 21 ફેબ્રુઆરી, 2022ના રોજ બહાર પાડવામાં આવેલી તેની અગાઉની પ્રાથમિક આગાહીમાં, સ્કાયમેટે (Skymet)2022નું ચોમાસું ‘સામાન્ય’ રહેવાનો અંદાજ મૂક્યો હતો અને હજુ પણ તેને સામાન્ય તરીકે જાળવી રહ્યું છે.

એવું પણ કહેવામાં આવ્યું છે કે આ વખતે સામાન્ય વરસાદનો પ્રસાર એલપીએના 96-104% છે. સ્કાયમેટે આ વખતે અલ નીઓની ઘટનાને નકારી કાઢી છે કારણ કે શિયાળામાં લા નિના નબળો પડી ગયો હતો, પરંતુ ટ્રેડ વિન્ડ મજબૂત થવાને કારણે તેની વાપસી પણ બંધ થઈ ગઈ છે.

આ રાજ્યોમાં વરસાદ ઘટી શકે છે

સ્કાયમેટનું અનુમાન છે કે રાજસ્થાન અને ગુજરાતની સાથે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના પૂર્વોત્તર પ્રદેશમાં સમગ્ર સિઝનમાં વરસાદ ઓછો પડી શકે છે. મતલબ કે આ રાજ્યોમાં ચોમાસાનો વરસાદ ઓછો થઈ શકે છે. આ ઉપરાંત, કેરળ અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં જુલાઈ અને ઓગસ્ટના મુખ્ય ચોમાસાના મહિનામાં ઓછો વરસાદ પડશે.

બીજી તરફ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના વરસાદ આધારિત વિસ્તારો, ઉત્તર ભારતના કૃષિ ક્ષેત્રો, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. ચોમાસાની સિઝનનો પ્રથમ અર્ધ ઉત્તરાર્ધ કરતાં સારો રહેવાની ધારણા છે. જૂનમાં ચોમાસાની શરૂઆત સારી થવાની ધારણા છે.

ખરીફ પાકમાં બમ્પર ઉપજ મળશે

દેશમાં સમયસર ચોમાસું શરૂ થવાના સમાચાર ખેડૂતોને ખુશ કરી દે તેવા છે, કારણ કે સમયસર વરસાદને કારણે ખેડૂતો ખરીફ સિઝનની ખેતી સારી રીતે અને સમયસર કરી શકે છે. સ્કાયમેટના જણાવ્યા અનુસાર જૂન મહિનામાં ચોમાસું દસ્તક આપશે, જે સપ્ટેમ્બર સુધી ચાર મહિના સુધી ચાલશે. આ વર્ષે પણ ડાંગર અને મકાઈ સહિતના ખરીફ પાકોનું બમ્પર ઉત્પાદન થવાની ધારણા છે.

આ પણ વાંચો: જલિયાંવાલા બાગ હત્યાકાંડ: અત્યાચારી જનરલ ડાયરના અંધાધૂધ ગોળીબારમાં સેંકડો ભારતીયો શહીદ,દેશ ક્યારેય નહીં ભૂલી શકે આ શહાદતને

આ પણ વાંચો: Mumbai: માલવાણીમાં મસ્જિદની સામે લાઉડસ્પીકર વગાડવાના મામલે કાર્યવાહી, ભાજપ નેતા આશિષ શેલારના ભાઈ સામે નોંધાયો કેસ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">