ખેડૂતો માટે સારા સમાચાર, ખરીફ પાક માટે સરકારે MSP માં વધારો કર્યો

કોરોના મહામારી દરમિયાન સતત બીજા વર્ષે સરકારે ખરીફ પાકના ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) માં વધારો કર્યો છે. કેબિનેટની બેઠકમાં ખરીફ પાકના નવા એમએસપીને મંજૂરી આપવામાં આવી છે.

ખેડૂતો માટે સારા સમાચાર, ખરીફ પાક માટે સરકારે MSP માં વધારો કર્યો
ખરીફ પાક માટે સરકારે MSP માં વધારો કર્યો
Follow Us:
| Updated on: Jun 09, 2021 | 7:41 PM

કોરોના મહામારી દરમિયાન સતત બીજા વર્ષે સરકારે ખરીફ (Kharif) પાકના ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) માં વધારો કર્યો છે, જેનાથી ખેડૂતોને (Farmers) ફાયદો થશે. કેબિનેટની બેઠકમાં ખરીફ પાકના નવા એમએસપીને મંજૂરી આપવામાં આવી છે. તલના એમએસપીમાં રૂ. 452, તૂર અને અડડ દાળમાં રૂ. 300 નો વધારો કરાયો છે. ડાંગરની એમએસપી પ્રતિ ક્વિન્ટલ રૂ. 1,868 થી વધારીને 1,940 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે રૂ. 72 વધુ કરવામાં આવી છે.

કેન્દ્ર નવા એમએસપી પર 25,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે. ગત વર્ષે 1 જૂનના રોજ 14 ખરીફ પાકના એમએસપીમાં વધારો કરાયો હતો. 2020-21 માં ડાંગરની MSP 1815 રૂપિયાથી વધારીને 1868 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી હતી.

બાજરીની એમએસપી રૂ. 2250 થઈ છે

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

બાજરા પરની એમએસપી 2150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધારીને 2250 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે જણાવ્યું હતું કે, છેલ્લા 7 વર્ષોમાં, ખેડૂતોની હિતમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે, જેથી ખેડૂતોની આવકમાં વધારો થાય. ખેડૂતોના થયેલા ખર્ચમાં કરતાં 50% નફો ઉમેરીને 2018 થી એમએસપી જાહેર કરવામાં આવે છે.

ખરીફ પાકમાં કયા પાક આવે છે

ડાંગર (ચોખા), મકાઈ, જુવાર, બાજરા, મગ, મગફળી, શેરડી, સોયાબીન, અડદ, તુવેર, જૂટ, શણ, કપાસ વગેરે. જૂન-જુલાઈમાં ખરીફ પાકની વાવણી થાય છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં તેમની લણણી કરવામાં આવે છે.

બાજરીમાં સૌથી વધુ ફાયદો મળ્યો

સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, બાજરીના ખર્ચ સામે તેમાં સૌથી વધારે ફાયદો થશે. બાજરાની કિંમત ખર્ચ કરતા 85% વધારે છે. ત્યારબાદ અડદનો નંબર આવે છે જેમાં 65% વળતર મળે છે.

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">