ભારત સરકાર દેશના ખેડૂતો(Farmers)ને આર્થિક રીતે સશક્ત અને લાભદાયક વિવિધ યોજનાઓ બનાવે છે. જેથી ખેડૂતોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે. આ ક્રમમાં સરકારે ખેડૂતોના લાભ માટે પીએમ કિસાન ખાદ યોજના (PM Kisan Khad Yojana)યોજના શરૂ કરી. જો તમે પણ તમારી ખેતીમાંથી વધુ નફો મેળવવા માંગતા હોવ અને તેના માટે તમારે મોંઘું ખાતર ખરીદવું પડતું હોય તો હવે ગભરાશો નહીં સરકાર પીએમ કિસાન ખાદ યોજના હેઠળ વધુ સારી સબસિડી આપી રહી છે.
આ યોજનામાં સરકાર દ્વારા દેશના ખેડૂતોને ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ યોજના રસાયણ અને ખાતર મંત્રી સદાનંદ ગૌડા દ્વારા સ્થાપિત કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે આ યોજનામાં સરકાર દેશના તમામ ખેડૂતોને ખાતર ખરીદવા માટે 11 હજાર રૂપિયાની સબસિડી આપી રહી છે. જેથી દેશના ખેડૂતોને ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય અને તેમની બમણી કરી શકાય.
આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને ખાતર ખરીદવા માટે 11 હજાર રૂપિયા સુધીની આર્થિક સબસિડી આપી રહી છે. ખાતરની આ રકમ ખેડૂતોના ખાતામાં બે હપ્તામાં આપવામાં આવશે. પ્રથમ હપ્તો 6000 રૂપિયા અને બીજો હપ્તો 5000 રૂપિયા છે. આ બંને હપ્તાઓ ઓનલાઈન મોડ દ્વારા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
જો તમે પણ સરકારની આ યોજનાનો લાભ લેવા ઈચ્છો છો, તો તેના માટે તમારી પાસે નીચે આપેલા જરૂરી દસ્તાવેજો હોવા જોઈએ.
આધાર કાર્ડ
રેશન કાર્ડ
બેંક એકાઉન્ટ
મોબાઇલ નંબર
ખેડૂતનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
જમીનના દસ્તાવેજ
Published On - 2:59 pm, Mon, 9 May 22