AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narmada: જિલ્લામાં છેલ્લા બે દિવસમાં પડેલા વરસાદથી અંદાજે 10 હજાર હેક્ટરમાં ખેડૂતોના વાવેતરને વ્યાપક નુકસાન

આ માવઠાના કારણે ખેતીના પાકને નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાલ રવિ પાકને પણ મોટાપાયે નુકસાન થયું છે. ત્યારે સર્વે કામગીરી બાદ જ ખબર પડે કે કેટલું નુકસાન થયું છે.

Narmada: જિલ્લામાં છેલ્લા બે દિવસમાં પડેલા વરસાદથી અંદાજે 10 હજાર હેક્ટરમાં ખેડૂતોના વાવેતરને વ્યાપક નુકસાન
Rains (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 4:56 PM
Share

નર્મદા(Narmada) જિલ્લામાં તુવેર, કપાસ, મરચી, દિવેલા, મગ અને ચણાના પાક(Crop damage)ને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. પહેલા તો નવરાત્રીમાં વરસાદ પડ્યો ત્યારબાદ દિવાળી સમયે માવઠું આવ્યું અને હાલ શિયાળામાં કમોસમી વરસાદ(Unseasonal rains)થી નર્મદા જિલ્લામાં ખેતીને ભારે નુકશાન થયું છે. નર્મદા જિલ્લામાં નાંદોદ અને ડેડીયાપાડામાં વધુ વરસાદથી અહીંના ખેડૂતો(Farmers)ને પડ્યા માથે પાટું જેવી સ્થિતિ છે.

આ માવઠાના કારણે ખેતીના પાકને નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાલ રવિ પાકને પણ મોટાપાયે નુકસાન થયું છે. ત્યારે સર્વે કામગીરી બાદ જ ખબર પડે કે કેટલું નુકસાન થયું છે. 6000 હેક્ટરમાં શિયાળુ અને 4000 હેકટરમાં ચોમાસુ વાવેતર છે એટલે 10 હજાર હેકટરમાં નુકસાન થયું હોવાનું પ્રાથિમક ધોરણે લાગી રહ્યું છે.

નર્મદા જિલ્લાના થરી ગામના ખેડૂતની વાત કરીયે તો કપાસ, તુવેર, દિવેલા અને મરચી જેવા પાકોનું વાવેતર આ વિસ્તારના ખેડૂતો કરે છે હાલ બે દિવસ કમોસમી વરસાદ પાડવાના કારણે આ તમામ પાકમાં નુકસાન થયું છે. ખેતરમાં તુવેરી નમી ગઈ છે જયારે કપાસ પર ઝીંડવા લાગી ગયા છે અને કપાસ પણ તૈયાર થઈ ગયો છે જે વરસાદના કારણે પલળીને કાળો પડી ગયો છે.

જયારે મરચીના પાકમાં પણ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. પેહલા કોરોના કાળ પછી તાઉતે વાવાઝોડુ અને હવે માવઠાથી ખેડૂતોની સ્થિતિ કપરી બની છે. ઘણા ખેડૂતોએ પાક ઉપર લોન લીધી છે તે હવે કેવી રીતે લોનની ભરપાઈ કરશે તે પણ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે ખેડૂતોની માગ છે કે રાજ્ય સરકાર સહાય આપે તો ફરીથી તેઓ આ કુદરતી આફતમાંથી ઉગરી શકે છે.

નર્મદા જિલ્લામાં રાજ્ય સરકારે કરેલી જાહેરાતને પગલે કોઈ સહાય મળતી નથી તાઉતે વાવાઝોડા(Tauktae cyclone)માં પણ નર્મદા જિલ્લાના ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું હતું પણ ક્રાઈટ એરિયામાં નર્મદા જિલ્લો નહીં આવતા સહાય મળી નહીં જેથી ભરૂચ સાંસદે પણ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરને એક પત્ર લખી નર્મદા જિલ્લામાં ખેડૂતોને નુકશાનીની સહાય મળે તે માટે રજૂઆત કરી છે.

આ પણ વાંચો: આમળાની ખેતી, એક વખત લગાવો છોડ વર્ષો સુધી થશે કમાણી, ખેતી વિશે જાણો આ ખાસ 5 બાબત

આ પણ વાંચો: અહીં છે સરોગસીથી જન્મી 298 ગાય, જાણો કયા શહેરમાં સફળ બન્યો સરોગસી પ્રોજેક્ટ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">