AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mushroom cultivation: ડબલ કમાણીની તક ! ખેડૂત તમારા ઘરે આવીને તૈયાર કરશે મશરૂમ, જાણો કેવી રીતે શું કરવું

મોંઘવારીને કારણે મશરૂમ ખાવાનું ટાળનારા લોકો માટે સારા સમાચાર છે, હવે જે લોકો વેજ ખાય છે તેઓ તેમના ઘરે મશરૂમ મેળવી શકશે. અને મશરૂમની ખેતી પોટમાં જ શક્ય બનશે, તમે તેને મહિનાઓ સુધી તોડીને ખાઈ શકશો.

Mushroom cultivation: ડબલ કમાણીની તક ! ખેડૂત તમારા ઘરે આવીને તૈયાર કરશે મશરૂમ, જાણો કેવી રીતે શું કરવું
Mushroom Farming (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 8:54 AM
Share

મોંઘવારીને કારણે મશરૂમ ખાવાનું ટાળનારા લોકો માટે સારા સમાચાર છે, હવે જે લોકો વેજ ખાય છે તેઓ તેમના ઘરે મશરૂમ મેળવી શકશે. અને મશરૂમની ખેતી (Mushroom Farming)પોટમાં જ શક્ય બનશે, તમે તેને મહિનાઓ સુધી તોડીને ખાઈ શકશો.

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સેન્ટ્રલ એગ્રીકલ્ચર યુનિવર્સિટી (Dr. Rajendra Prasad Central Agricultural University)પુસા સમસ્તીપુરના કુલપતિ ડૉ. રમેશ ચંદ્ર શ્રીવાસ્તવ તેમની યુનિવર્સિટીમાં ખેડૂતોની આવક વધારવા માટે નવી યોજના પર સંશોધન કરી રહ્યા છે.

હવે પોટ્સમાં મશરૂમ (Mushrooms)ની યોજના પર વિશેષ સંશોધન ચાલી રહ્યું છે. ડો.શ્રીવાસ્તવે TV9 ડિજિટલ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે શહેરોમાં રહેતા વૃદ્ધો અને સામાન્ય પરિવારો માટે મશરૂમની ખેતી પર સંશોધન કરવામાં આવી રહ્યું છે.

તેમના ઘરોમાં મશરૂમ કેવી રીતે મળી શકે છે. આ માટે પોટ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે જેથી મશરૂમને ખેતી માટે ઘરના ખૂણે નાના પોટ્સમાં લગાવી શકાય, આ પોટ્સ સામાન્ય પોટ્સ કરતા અલગ હશે કારણ કે કયા પ્રકારના મશરૂમનું વાવેતર ક્યારે કરવું, તેના પરથી પોટ્સ તૈયાર કરાશે.

આવો જાણીએ તેના વિશે

ડો.રમેશ કહે છે કે ખેડૂતો (Farmers)ના ખેતરોમાં તુવેરની ખૂબ જ ખેતી થાય છે. તુવેર તૈયાર થયા બાદ તેના અવશેષોનો ઉપયોગ માત્ર બાળવા માટે થાય છે. તે અવશેષોનો વ્યવસાયિક ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે યુનિવર્સિટી કામ કરી રહી છે. તેના અવશેષોમાંથી જેમ ઘરની સજાવટ કરવામાં આવી રહી છે, તેમાં સફળતા મળ્યા બાદ હવે તેના અવશેષોમાંથી વાસણો તૈયાર કરવામાં આવી રહ્યા છે. જે તાપમાનને લઈ ખૂબ જ અનૂકુળ હશે.

પુસા યુનિવર્સિટીમાં બિહારના મશરૂમ મેન સાયન્ટિસ્ટ ડૉ. દયારામની દેખરેખ હેઠળ આ પ્રોજેક્ટ પર સંશોધન કરવામાં આવી રહ્યું છે. TV9 ને જણાવતા, ડૉ. દયારામ જણાવે છે કે આ યોજના હેઠળ, જેઓ પોતાના ઘરમાં પોટ રાખશે તેઓ આખું વર્ષ મશરૂમ ખાઈ શકશે. માત્ર શાકભાજી જ નહીં, પરંતુ તેમની 1 ડઝનથી વધુ પ્રોડક્ટ્સ પણ તૈયાર કરીને ખાઈ શકશે.

ડૉ.દયારામના કહેવા પ્રમાણે, ખેડૂતો તમારા ઘરમાં જ મશરૂમ તૈયાર કરશે અને તેને લગાવી જશે. તેને સમય સમય પર જરૂરી પાણી આપો જેમ તમે અન્ય છોડને આપો છો, એક બેગ ઓયેસ્ટર માટે પો્ટસની ચારે બાજુ ખુલ્લી હશે, જ્યારે બટન મશરૂમ માટે ઉપરનો ભાગ જ ખુલો રહેશે.

તેમાં પાણી શોષવાની ક્ષમતા હોવી જોઈએ. જેથી ભેજ જરૂરિયાત મુજબ રહે. તેની સાથે બટન મશરૂમ માટે તાપમાન (Temperature) પણ એક મહત્વપૂર્ણ પરિબળ છે, તેથી તેને કઈ જગ્યાએ રાખવું અને તેની આસપાસ કોઈ ગંદકી ન હોય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. હાલમાં 3 જાતો તૈયાર થશે,

એક ઘરમાં પરિવારના સભ્યોને ધ્યાનમાં રાખીને, 5 થેલીઓ લગાવી શકાય છે, જેમ કે ડિસેમ્બરમાં રોપવામાં આવે તો તે ફેબ્રુઆરી સુધી ખાઈ શકશે. પાંચ બેગમાં લગભગ 4 થી 5 કિલો મશરૂમનું ઉત્પાદન થશે. જે તમે ત્રણ મહિના સુધી ખાઈ શકો છો અને પડોશીઓને પણ ખવડાવી શકો છો.

પછી બીજો પોટ બે મહિના સુધી ચાલશે. એક પો્ટસમાં માત્ર 70 થી 100 રૂપિયાનો ખર્ચ થશે, તે એક કિલો સુધી ઉપજ આપશે. 200 રૂપિયા સુધીનો પાક તૈયાર થશે. તેઓ તેમની અનુકૂળતા મુજબ ખાઈ પણ શકશે.

આ પણ વાંચો: Viral Video: મરઘાંઓને જોઈ દુરથી ભસી રહ્યો હતો કુતરો, પાસે આવતા જ થઈ ગઈ હવા ટાઈટ

આ પણ વાંચો: વારંવાર રજૂઆત છતાં ન થયું ગટરનું કામ, 86 વર્ષના વૃદ્ધ સાથે ખેડૂતે સમાધિ લેતા તંત્રમાં ખળભળાટ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">