કૃષિ ક્ષેત્રને બદલવા અને ખેડૂતોની આવક (Farmers Income) વધારવા માટે એક મોટો નિર્ણય લેતા કેન્દ્ર સરકારે લઘુત્તમ ટેકાના ભાવ (MSP), ક્રોપ ડાયવર્સિફિકેશન અને કુદરતી ખેતી માટે એક સમિતિની રચના કરી છે. કૃષિ કાયદાઓ વિરુદ્ધ કિસાન આંદોલન કરનાર સંયુક્ત કિસાન મોર્ચા પરસ્પર લડતમાં ડિસેમ્બર 2021 થી અત્યાર સુધી પોતાના ત્રણ પ્રતિનિધિઓના નામ આપી શક્યું નથી. તેમના પક્ષમાંથી નામ આવવાની લાંબી રાહ જોયા બાદ સરકારે એક સમિતિની જાહેરાત કરી છે. આ સમિતિમાં કૃષિ અને સહકારી ક્ષેત્રના નિષ્ણાતો સહિત 16 લોકોના નામ છે. આ સમિતિ MSPને વધુ અસરકારક અને પારદર્શક બનાવવા માટે કામ કરશે. જેથી ખેડૂતોની આવક વધે. પૂર્વ કૃષિ સચિવ સંજય અગ્રવાલને આ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
સરકાર દ્વારા આ માટે જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ હવે પણ જો સંયુક્ત કિસાન મોરચા તરફથી નામ આવશે તો ત્રણ સભ્યોનો સમાવેશ કરવામાં આવશે. એટલે કે સમિતિમાં સ્થાન મળશે. સરકારે અન્ય ખેડૂત સંગઠનોના પાંચ નામ સામેલ કર્યા છે. જેમાં ગુણવંત પાટીલ, કૃષ્ણવીર ચૌધરી, પ્રમોદ કુમાર ચૌધરી, ગુણી પ્રકાશ અને પાશા પટેલના નામ સામેલ છે. આમાંના મોટાભાગના નામો સરકાર તરફી છે. જેમાં સહકારી ક્ષેત્રને પણ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. આ ક્ષેત્રથી ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી અને સહકારી અને કૃષિ નિષ્ણાત બિનોદ આનંદના નામ છે. સમિતિની રચના બાદ હવે મોટો સવાલ એ છે કે વિપક્ષ એમએસપીને લઈને સંસદમાં શું સવાલ ઉઠાવશે.
કૃષિ વિભાગના સચિવ, કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગના સચિવ, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ, સહકાર અને કાપડ મંત્રાલયના સચિવનો પણ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ, સિક્કિમ અને ઓડિશાના કૃષિ કમિશનરોને પણ સામેલ કરવામાં આવ્યા છે. સંયુક્ત સચિવ (પાક)ને સમિતિના સભ્ય સચિવ બનાવવામાં આવ્યા છે.
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન આ સમિતિની જાહેરાત કરીને કેન્દ્ર સરકારે હવે વિપક્ષ અને કેટલાક ખેડૂત સંગઠનોને દબાણમાં લાવી દીધા છે. હવે તે MSP પર શું પ્રશ્ન ઉઠાવશે? પરસ્પર ઉલજેલા સંયુક્ત કિસાન મોરચાએ હજુ સુધી સમિતિ માટે ત્રણ નામ આપ્યા નથી. તેની રાહ જોઈને સમિતિની રચના કરવામાં આટલો સમય લાગ્યો. જોવાનું એ છે કે હવે નામો આપવાને લઈને મોરચામાં ઝઘડો વધશે કે જલ્દીથી તેઓ સરકારને નામ આપશે.
સંયુક્ત કિસાન મોરચાના સભ્ય સંગઠનોના નેતાઓ અને વિરોધ પક્ષોના લોકો એમએસપીને કાયદાકીય ગેરંટી આપવાની માગને લઈને સરકારને વારંવાર સવાલ કરી રહ્યા હતા. તેઓ કહેતા હતા કે સરકાર એમએસપીની વ્યવસ્થા ખતમ કરવા માગે છે. પરંતુ મોદી સરકારે માત્ર વધુમાં વધુ ખેડૂતોને MSPના દાયરામાં લાવવાનું કામ કર્યું નથી, પરંતુ હવે એક સમિતિ બનાવીને પોતાના વિરોધીઓને ચૂપ કરવાનો પ્રયાસ કર્યો છે.