Agriculture Update: રાજસ્થાન (Rajasthan)સરકારે ખરીફ સિઝન(Kharif Season 2022)માં પૂરતા પ્રમાણમાં ખાતર અને બિયારણની ઉપલબ્ધતા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેથી ખેડૂતો(farmers)ને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. કૃષિ પ્રધાન લાલચંદ કટારિયાએ રાજ્યના કૃષિ અધિકારીઓને ખેડૂતો માટે ખાતર અને બિયારણ (Fertilizer and seeds) ની તાત્કાલિક વ્યવસ્થા કરવા અને ચોમાસાને ધ્યાનમાં રાખીને તેનું વિતરણ સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે તેમની ગુણવત્તાનું પણ ધ્યાન રાખવા જણાવાયું છે. તેઓ ખરીફ વર્ષ 2022માં કૃષિ ઈનપુટ સિસ્ટમના અસરકારક અમલીકરણ અને વર્ષ 2022-23ના બજેટની જાહેરાતો અંગે વિભાગીય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી રહ્યા હતા. રાજસ્થાન સરકારે આ સિઝનમાં 164 લાખ હેક્ટરમાં વાવણીનો લક્ષ્યાંક રાખ્યો છે.
કૃષિ કમિશનર કનારામે જણાવ્યું હતું કે 164 લાખ હેક્ટર વાવણી માટે 9 લાખ ક્વિન્ટલ બિયારણની માંગ છે. જ્યારે 9.62 લાખ ક્વિન્ટલ બિયારણ સરકાર પાસે ઉપલબ્ધ છે. રાજ્યમાં 3.92 લાખ મેટ્રિક ટન યુરિયા, 1.61 લાખ મેટ્રિક ટન DAP અને 1.65 લાખ મેટ્રિક ટન સિંગલ સુપર ફોસ્ફેટ (SSP)નો સ્ટોક ઉપલબ્ધ છે. એટલું જ નહીં, ખાતરનો પુરવઠો સતત ચાલુ રહે છે.
ખેડૂતોને મફત બિયારણની મીની કીટનું તાત્કાલિક વિતરણ કરવાની સૂચના આપતાં કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોને બિયારણ સમયસર મળી રહેશે, તો જ તેઓને ખરો લાભ મળી શકશે. ખેતરોમાં ફેન્સીંગનો લક્ષ્યાંક સમયસર પૂર્ણ કરવા સૂચના આપતાં જણાવ્યું હતું કે, ખેડૂતોને સબસીડી પર ઉપલબ્ધ કૃષિ સાધનોની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. ખેતરોમાં સ્થાપિત પાઇપલાઇનની ગુણવત્તામાં સુધારો કરવો જરૂરી છે. એટલું જ નહીં, તેમનું નિયમિત ચેકઅપ પણ જરૂરી છે.
કટારિયાએ જણાવ્યું હતું કે, ખાતરનો પુરવઠો અને વિતરણ સુચારૂ અને પારદર્શક રીતે થવું જોઈએ. રાજ્યમાં ખુલી રહેલી 29 સરકારી કૃષિ કોલેજો માટે, જિલ્લા કલેક્ટર અને સ્થાનિક ધારાસભ્યો સાથે સંકલન કરીને, જમીનની ફાળવણીની પ્રક્રિયા ઝડપથી હાથ ધરો. તેમણે કહ્યું કે રાજ્યના ખેડૂતો જળ સંરક્ષણ અંગે ઘણા જાગૃત બન્યા છે અને ફાર્મ પાઉન્ડમાં વિશેષ રસ લઈ રહ્યા છે. રાજ્યમાં ખુલેલા કસ્ટમ હાયરિંગ સેન્ટરોમાંથી ટ્રેક્ટર ભાડે રાખીને ખેડૂતો અડધા ખર્ચે તેમના ખેતરોમાં ખેડાણ કરી રહ્યા છે.
કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોના લાભાર્થે ચલાવવામાં આવતી યોજનાઓમાં કોઈપણ પ્રકારની ઢીલ કે ગેરરીતિ સાંખી લેવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે ખરીફ વાવણી ટૂંક સમયમાં થવાની છે, ઘણા જિલ્લાઓમાં સારો વરસાદ પણ થયો છે. ચોમાસું આવતાની સાથે જ તમામ ખેડૂતો સાથે મળીને કામ શરૂ કરી દેશે. આવી સ્થિતિમાં તેમની પાસે ઉપલબ્ધ બિયારણ અને ખાતરની વહેલી તકે વ્યવસ્થા કરવી જોઈએ.
સમીક્ષા બેઠકમાં, કૃષિ વિભાગના અગ્ર સચિવ દિનેશ કુમારે અધિકારીઓને સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી કે મફત બિયારણની મીની કીટનું વિતરણ આગામી 7 દિવસમાં પૂર્ણ થાય. એવી વ્યવસ્થા હોવી જોઈએ કે ખેડૂતો તેમની સમસ્યાઓ કિસાન પોર્ટલ પર પણ નોંધાવી શકે. તેમણે કહ્યું કે યુરિયા અંગે સમયાંતરે ઓચિંતી તપાસ કરવી જોઈએ જેથી કરીને તેનું બ્લેક માર્કેટિંગ ન થાય.
Published On - 7:15 am, Wed, 15 June 22