હવે હવામાં થશે ફળ, શાકભાજી અને મસાલાની ખેતી, જાણો શું છે એરોપોનિક્સ ટેકનિક

કૃષિ વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ તકનીક ઓછા સમયમાં સારી ઉપજ આપશે, જેના કારણે ખેડૂતોને વધુ નફો મળશે. વાસ્તવમાં, એરોપોનિક્સ એક એવી તકનીક છે જેનો ઉપયોગ હવામાં અને માટી વિના બાગાયતી પાક ઉગાડવા માટે થાય છે.

હવે હવામાં થશે ફળ, શાકભાજી અને મસાલાની ખેતી, જાણો શું છે એરોપોનિક્સ ટેકનિક
aeroponics techniqueImage Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2022 | 9:51 PM

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ, ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હોર્ટિકલ્ચરલ રિસર્ચ તેમજ બેંગલુરુ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પાઇસીસ રિસર્ચ કાલિકટએ ઉચ્ચ મૂલ્યના પાકો માટે ઈન્ડોર એરોપોનિક્સને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે. કૃષિ વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ તકનીક ઓછા સમયમાં સારી ઉપજ આપશે, જેના કારણે ખેડૂતોને વધુ નફો મળશે. વાસ્તવમાં, એરોપોનિક્સ એક એવી તકનીક છે જેનો ઉપયોગ હવામાં અને માટી વિના બાગાયતી પાક ઉગાડવા માટે થાય છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો બધું પ્લાન મુજબ ચાલે છે તો તમે જલ્દી જ પોલી હાઉસમાં માટી વગર શાકભાજી, અમુક ફળ, મસાલા અને ફૂલો પણ ઉગાડી શકો છો. ખાસ વાત એ છે કે મિસ્ટ સ્પ્રેની ટેક્નિકનો ઉપયોગ કરીને છોડને હવામાં લટકાવી શકાય છે અને જરૂરી પોષક તત્વો પૂરા પાડી શકાય છે. ત્યારે ICAR અને IIHR આ સંબંધમાં વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી, ઓસ્ટ્રેલિયા સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરશે.

આ રીતે ખેતી થાય છે

IIHRના વિજ્ઞાની નંદીશા પીના જણાવ્યા અનુસાર એરોપોનિક્સ ટેકનિકની મદદથી કેટલાક ફળો, શાકભાજી, ફૂલો અને મસાલા પણ ઉગાડી શકાય છે. તેમના મતે આ પદ્ધતિમાં છોડને લટકાવવામાં આવે છે અને આ છોડના મૂળ જોઈ શકાય છે. “આપણે તેને પોલી હાઉસ તરીકે ઓળખાતા સંરક્ષિત વિસ્તારમાં ઉગાડી શકીએ છીએ,” તેમણે કહ્યું કે સેન્સર આધારિત મિસ્ટ સ્પ્રેઇંગ સિસ્ટમનો ઉપયોગ જરૂરી પોષક તત્વોના છંટકાવ માટે થાય છે. આગામી દિવસોમાં આ સિસ્ટમ ખેડૂતો માટે ઉપયોગી સાબિત થશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ટામેટા, ફુદીનો અને તુલસીનો સમાવેશ થાય છે

એરોપોનિક્સ ક્ષેત્રે કામ કરતા વૈજ્ઞાનિકોના મતે આ ટેકનિકના ઘણા ફાયદા છે. તેને ઓછા પાણીની જરૂર પડે છે અને તેથી બગાડ અટકાવે છે. પોષક તત્વોનો પણ બગાડ કર્યા વગર ઉપયોગ કરી શકાય છે. બીજો મોટો ફાયદો એ છે કે છોડના સામાન્ય વિકાસ સમયગાળાની તુલનામાં છોડ ઝડપથી અને વધુ સારી રીતે વિકસે છે. એરોપોનિક્સનો ઉપયોગ કરીને ઉગાડવામાં આવતા કેટલાક લોકપ્રિય છોડમાં સ્ટ્રોબેરી, ટામેટાં, ફુદીનો અને તુલસીનો સમાવેશ થાય છે.

આવશ્યક પોષક તત્વો પાણી દ્વારા પૂરા પાડવામાં આવે છે

અગાઉ, IIHRએ માટી વિનાની ખેતી પદ્ધતિ વિકસાવી હતી, જ્યાં ફોસ્ફરસ, પોટેશિયમ અને નાઈટ્રોજન જેવા પોષક તત્વો, જે છોડના વિકાસ માટે જરૂરી છે, કોકો-પીટમાં ઉમેરવામાં આવે છે. ટેરેસ ગાર્ડનિંગથી માંડીને અનેક પ્રકારના ક્ષેત્રોમાં તેનો ઉપયોગ કરી શકાય છે. જ્યાં પાણી વગર અને માટી વગર છોડ ઉગાડવામાં આવે છે ત્યાં પણ સિસ્ટમનો ઉપયોગ થાય છે. આવશ્યક પોષક તત્વો પાણી દ્વારા પૂરા પાડવામાં આવે છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">