ખેતીને સરળ બનાવે છે NO-till ફાર્મિંગ, ઓછા ખર્ચે મળે છે બંપર ઉત્પાદન, જાણો શું છે આ પદ્ધતિ

|

Nov 29, 2022 | 4:10 PM

ખેતર ખેડવા માટે ટ્રેક્ટર તેમજ અન્ય કૃષિ યંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ઘણી વખત વધુ ખેડ કરવાની આડઅસર પણ સામે આવે છે. ત્યાર આજે અમે અહીં ખેતીની એક નવી પદ્ધતિ વિશે વાત કરી રહ્યા છીએ.

ખેતીને સરળ બનાવે છે NO-till ફાર્મિંગ, ઓછા ખર્ચે મળે છે બંપર ઉત્પાદન, જાણો શું છે આ પદ્ધતિ
No till Farming
Image Credit source: Google

Follow us on

બદલતા સમય સાથે ખેતીની તકનીકોમાં પણ ફેરફારો આવી રહ્યા છે. સામાન્ય રીતે ખેડૂતો પાક વાવતા પહેલા ખેતરને અનેક વખત ખેડે છે. ખેતર ખેડવા માટે ટ્રેક્ટર તેમજ અન્ય કૃષિ યંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ઘણી વખત વધુ ખેડ કરવાની આડઅસર પણ સામે આવે છે. ત્યાર આજે અમે અહીં ખેતીની એક નવી પદ્ધતિ વિશે વાત કરી રહ્યા છીએ.

આ તકનીકનું નામ NO-till ફાર્મિંગ છે. હવે ખેડૂતો આ તકનીક અપનાવી રહ્યા છે. NO-till ફાર્મિંગ એટલે ખેડ વગરની ખેતી. આ તકનીકમાં જમીનને ખેડ્યા વિના જ વર્ષો સુધી પાક ઉગાડવામાં આવે છે. આ કૃષિની નવી તકનીક છે. જેમાં ખેડૂતોને સારો ફાયદો થાય છે. હવે આપણે જાણીએ કે ખેડ વગરની ખેતીથી શું લાભ થાય છે અને શું નુકસાન થાય છે.

ખેડ વગરની ખેતી

ખેડ વગરની ખેતીના અનેક ફાયદા છે. ખેતરમાં મુખ્ય પાકની લણણી બાદ ખેડ કર્યા વગર જ બીજો પાક વાવી દેવામાં આવે છે. તેનાથી જૂના પાકના અવશેષોમાંથી નવો પાક પોષણ મેળવે છે. આ તકનીક દ્વારા તમે ચણા, મકાઈ, ધાન, સોયાબીન વગેરે જેવા પાક ઉગાડી શકો છો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ખેડ વગરની ખેતીના મુખ્ય સિદ્ધાંતો

  • ખેડ વગરની ખેતીમાં સૌથી પહેલો સિદ્ધાંત એ છે કે ખેડ ન કરવી, માટીને પલટવી નહીં. આ તકનીકમાં જમીનમાં છોડના મૂળના પ્રવેશ દ્વારા અને અળસિયા, નાના પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવો દ્વારા જમીનને કુદરતી રીતે ખેડવામાં આવે છે.
  • બીજો સિદ્ધાંત છે કે કોઈ પણ પ્રકારના ખાતર અથવા રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરવો, ખેડ અને ખાતરના પ્રયોગથી છોડ નબળો પડે છે અને જીવાતોના અસંતુલનની સમસ્યા વધે છે.
  • ત્રીજો સિદ્ધાંત સપાટી પર કાર્બનિક અવશેષોની હાજરી છે. કાર્બનિક અવશેષો પ્રથમ એકત્રિત કરવામાં આવે છે. પછી આ કચરો જમીનની સપાટી પર ફેલાય છે. તે ખેતરમાં પાણીનો પૂરતો જથ્થો જાળવી રાખે છે અને પ્રાણીઓ માટે ખોરાક તરીકે કામ કરે છે. તે વિઘટન થતું જાય છે. આમાંથી ખાતર બનાવવામાં આવે છે. આ કારણે છોડમાં નીંદણ પણ ઉગતું નથી.
  • ચોથો સિદ્ધાંત પાક ચક્ર અપનાવવાનો છે, એટલે કે એક પાકના ઉત્પાદન પછી બીજા પાકની વાવણી ખેડાણ કર્યા વિના કરવામાં આવે છે.
  • પાંચમો સિદ્ધાંત છે કે ખેતરમાં નિંદામણ ન કરવું જોઈએ. તેનો સિદ્ધાંત એ છે કે નીંદણને સંપૂર્ણપણે નાબૂદ કરવાને બદલે નિયંત્રિત કરવું જોઈએ, ઓછી માત્રામાં નીંદણ જમીનને ફળદ્રુપ બનાવવામાં સંતુલન સ્થાપિત કરવામાં મદદ કરે છે.

ખેડ વગરની ખેતીના લાભ

  • જમીનની ફળદ્રુપ ક્ષમતા વધે છે, જમીનનું ધોવાણ ઘણું ઓછું થાય છે. પાકની ઉત્પાદકતા વધે છે.
  • સિંચાઈ અંતરાલ વધે છે, જમીનમાં ભેજ રહે છે.
  • જમીનનું પાણીનું સ્તર સુધરે છે, જમીનની જળ ધારણ કરવાની ક્ષમતા વધે છે, જમીનમાંથી પાણીનું બાષ્પીભવન ઘટે છે.
  • ખેડાણ ન કરવાથી સમય અને નાણાંની બચત થાય છે. રાસાયણિક ખાતરો પર નિર્ભરતા ઓછી રહે છે, ખર્ચ પણ ઘટે છે.
  • જમીનની અંદર અને બહાર જોવા મળતા ઉપયોગી સૂક્ષ્મ જીવોને નુકસાન થતું નથી.
  • ખેડાણ વિનાની ખેતી જૈવિક, રસાયણ મુક્ત શુદ્ધ ઉત્પાદનો આપે છે, જેની બજારમાં સારી માગને કારણે આવક વધે છે.
  • ખાતર બનાવવામાં કચરાના ઉપયોગને કારણે રોગોમાં ઘટાડો થાય છે. પરાળ સળગાવવાની ઘટનાઓમાં ઘટાડો થશે.

ખેડ વગરની ખેતીથી નુકશાન

વાવણીમાં મુશ્કેલી: પાક લણણી બાદ ખેતરમાં માટી કડક થઈ જાય છે જેનાથી બીજા પાકના વાવેતરમાં મુશ્કેલી પડે છે.

નિંદામણનાશકનો ઉપયોગ: ઘણી વખત ખેડૂતો પાકની વચ્ચેના જંગલી છોડને દૂર કરવા માટે નિંદામણનાશકનો ઉપયોગ કરે છે જે સારું નથી. જોકે ખેતર ખેડવામાં આ સમસ્યા આવતી નથી. તેમા ખેડથી જ મોટાભાગનું નિંદામણ દૂર થઈ જાય છે.

Next Article