વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટને સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડાયો

|

Oct 12, 2021 | 7:25 AM

રાજુ ભટ્ટને વડોદરા સેન્ટ્રલ જેલમાંથી 7 સપ્ટેમ્બરે SSG હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જો કે સીટી સ્કેન રિપોર્ટમાં મગજ પર સ્ટોકના ચિન્હો મળતા અમદાવાદ ખસેડવામાં આવ્યો છે.

વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટને સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડાયો
Vadodara Gotri rape case accused Raju Bhatt shifted to Ahmedabad Civil Hospital for treatment (File Photo)

Follow us on

વડોદરા(Vadodara)ગોત્રી દુષ્કર્મ કેસના(Gotri Rape Case)આરોપી રાજુ ભટ્ટને(Raju Bhatt)સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. રાજુ ભટ્ટને વડોદરા સેન્ટ્રલ જેલમાંથી 7 સપ્ટેમ્બરે SSG હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જો કે સીટી સ્કેન રિપોર્ટમાં મગજ પર સ્ટોકના ચિન્હો મળતા અમદાવાદ ખસેડવામાં આવ્યો છે.

રાજુ ભટ્ટને ન્યૂરોલોજીની વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજુ ભટ્ટને કરોડરજ્જુમાં પણ તકલીફ હોવાથી શરીરના એક ભાગમાં અશક્તિની અસર જોવા મળી રહી છે.

વડોદરા(Vadodara) ગોત્રી દુષ્કર્મ કેસના(Gotri Rape Case) આરોપી રાજુ ભટ્ટની 7 ઑક્ટોબરના રોજ (Raju Bhatt)જેલમાં તબિયત લથડી હતી. રાજુ ભટ્ટને કરોડ રજ્જુમાં દુખાવાની ફરિયાદ થતાં તેને વડોદરાની SSG હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તેમજ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.હોસ્પિટલમાં સીટી સ્કેન કરવા લઇ જવા આવ્યો હતો. તેમજ તેના જાપ્તામાં પોલીસની ટુકડી પણ તૈનાત કરવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

વડોદરાના(Vadodara)ગોત્રી દુષ્કર્મ કેસના(Gotri Rape Case) આરોપી રાજુ ભટ્ટને(Raju Bhatt) જેલમાં ધકેલાયો છે. રાજુ ભટ્ટના રિમાન્ડ પૂર્ણ થતા ક્રાઈમ બ્રાન્ચે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં ક્રાઈમ બ્રાન્ચે વધુ રિમાન્ડની માંગ ન કરતા કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો.મહત્વનું છે કે રાજુ ભટ્ટ જૂનાગઢથી ઝડપાયો હતો.

પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવી રિકન્સ્ટ્રકશન સહિતની તપાસ કરી હતી. રિમાન્ડ પૂરા થતાં તેના વધુ 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને ઉંડાણપૂર્વક સમગ્ર મામલાની પૂછપરછ કરી હતી. આજે તેના 3 દિવસના રિમાન્ડ પૂરા થતાં પોલીસ તેને અદાલતમાં રજૂ કર્યો હતો.

અશોક જૈનનો પોટેન્સી ટેસ્ટનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો

આ દરમ્યાન વડોદરા (Vadodara)ગોત્રી દુષ્કર્મ કેસના(Gotri Rape Case) આરોપી અશોક જૈનને(Ashok Jain) સાથે રાખી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પંચનામું કરવામાં આવ્યું હતું. અશોક જૈનને દિવાળીપુરા માં આવેલ નિસર્ગ ફલેટ અને વાસણામાં હેલીગ્રીનમાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી હતી. જેમાં અશોક જૈનને ફ્લેટ પર આવતો હોવાની વાત કબૂલી હતી. પરંતુ બળાત્કાર કરવાની વાતને નકારી હતી. પોલીસે તેની બેથી અઢી કલાક સુધી પૂછપરછ કરી હતી.

આ દરમ્યાન અશોક જૈનનો પોટેન્સી ટેસ્ટનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આરોપી વડોદરામાં ટેસ્ટ નહીં થતા અમદાવાદ લઇ જવા આવ્યો હતો. તેમજ દુષ્કર્મ કેસમાં પોટેન્સી ટેસ્ટ મહત્વનો માનવામાં આવે છે.

આ પણ  વાંચો: અમદાવાદ કોર્પોરેશને કોર્ટ સમક્ષ રજૂ કર્યો રોડ રિપેરિંગ અને રખડતા ઢોરની કામગીરીનો રિપોર્ટ

આ પણ વાંચો : Ahmedabad: એરપોર્ટ પર મન ભરીને ઝૂમી ઉઠ્યા મુસાફરો અને કર્મચારીઓ, ટર્મિનલમાં ગરબાનું અનોખું આયોજન

Published On - 7:18 am, Tue, 12 October 21

Next Article