મહારાષ્ટ્ર(Maharashtra)ના પુણેમાં પોલીસ (Pune Police)કંટ્રોલ રૂમમાં નકલી કોલ કરવા બદલ એક 38 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિએ ફોન પર કથિત રીતે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા (PM Narendra Modi) અને પુણે અને મુંબઈ રેલવે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટનું કાવતરું એક ફ્લેટમાં ઘડવામાં આવી રહ્યું છે. એક અધિકારીએ ગુરુવારે આ જાણકારી આપી. પોલીસે જણાવ્યું હતું કે આરોપી ડિપ્રેશનથી પીડિત છે અને તેના ફ્લેટની ઉપરના ફ્લેટમાં રહેતા બાળકોના અવાજથી પરેશાન હતો તે પાડોશી પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના દેહુ રોડ વિસ્તારનો રહેવાસી છે.
અધિકારીએ જણાવ્યું કે 4 ઓક્ટોબરે તેણે ઈમરજન્સી નંબર 112 પર ફોન કર્યો અને ફ્લેટના રહેવાસીઓને પાઠ ભણાવવા પોલીસને નકલી કોલ કર્યો. દેહુ રોડ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, “મનોજ હંસેને 112 ઇમરજન્સી લાઇન પર ફોન આવ્યો હતો. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીની હત્યા અને પુણે અને મુંબઈ રેલવે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે તે ફેક કોલ હતો. તેણે કહ્યું કે આરોપી ડિપ્રેશનમાં હતો અને તેના ઉપરના ફ્લેટમાંથી આવતા અવાજથી તે પરેશાન હતો. તેણે કહ્યું કે, આરોપીનો પોલીસ ટીમ સાથે પણ વિવાદ થયો હતો. અમે ભારતીય દંડ સંહિતાની કલમ 177, 353 (જાહેર કર્મચારીને તેની ફરજ બજાવતા અટકાવવા માટે હુમલો અથવા ફોજદારી બળ) અને 504 (શાંતિનો ભંગ કરવા માટે ઇરાદાપૂર્વકનું અપમાન) હેઠળ તેની ધરપકડ કરી છે.
Published On - 8:12 am, Fri, 7 October 22