AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: દુષ્કર્મી કાકાને ફટકારાઈ આજીવન કેદ, કાળભૈરવનો કોપ બતાવી પરિણીત ભત્રીજી પર આચર્યુ હતુ દુષ્કર્મ

Rajkot: રાજકોટમાં પરિણિતાને કાળભૈરવનો કોપ બતાવી દુષ્કર્મ ગુજારનાર કૌટુંબિક કાકાને અંતિમ શ્વાસ સુધીની કેદ ફટકારવામા આવી છે. પરિણીતાને પતિના ધંધામાં સમૃદ્ધિ ન હોવા પાછળ કાલભૈરવ નારાજ છે તેવુ કહી વારંવાર દુષ્કર્મ આચર્યુ હતુ. આ કેસમાં કોર્ટે કૌટુંબિક કાકા યોગેશ કાશીરામ કબાવતને આજીવન કેદની સજા ફટકારી છે.

Rajkot: દુષ્કર્મી કાકાને ફટકારાઈ આજીવન કેદ, કાળભૈરવનો કોપ બતાવી પરિણીત ભત્રીજી પર આચર્યુ હતુ દુષ્કર્મ
Ronak Majithiya
| Edited By: | Updated on: Mar 25, 2023 | 1:21 PM
Share

રાજકોટની પરણિતાને પતિના ધંધામાં સમૃધ્ધિ ન હોવા પાછળ કાલભૈરવ નારાજ છે તેવું કહી વારંવાર દુષ્કર્મ આચર્યાના ચર્ચાસ્પદ કેસમાં કૌટુંબિક કાકા યોગેશ કાશીરામ કુબાવતને કોર્ટે જિંદગીના અંતિમ શ્વાસ સુધી જેલની સજા સંભળાવી છે.

કાલભૈરવ વતી પોતે સંબંધ બાંધશે તેવું કહી આચર્યું દુષ્કર્મ

કેસની વિગત જોઈએ તો ભોગ બનનાર પરિણીતાના 2011માં લગ્ન થયા હતા. ખૂબ મહેનત કરવા છતાં તેના પતિના ધંધો ચાલતો ન હતો. આ વાતની જાણ પરિણીતાના કૌટુંબિક કાકા યોગેશ ઉર્ફે ભીખુ કુબાવતને થઈ હતી. તેને પરિણીતાની મજબૂરીનો ગેરલાભ ઉઠાવવાનું નક્કી કર્યું. તેણે પરિણીતાને જણાવ્યું કે તેના પરિવાર પર કાલભૈરવનો પ્રકોપ છે.

ધામાં સમસ્યા દૂર કરવા કાલભૈરવનો પ્રકોપ દૂર કરવો પડશે અને આ પ્રકોપ દૂર કરવા કાલભૈરવ સાથે શરીર સંબંધ બાંધવો પડશે. પરિણીતાએ પૂછ્યું કે કાલભૈરવ કોણ છે? ત્યારે આ નરાધમે જણાવ્યું હતું કે તું કાલભૈરવને તું નહિ મળી શકે પરંતુ કાલભૈરવ વતી હું તારી સાથે શરીર સંબંધ બાંધીશ.

પરિણીતાને વિશ્વાસમાં લેવા માટે પોતાની પત્નિના નિર્વસ્ત્ર ફોટો બતાવ્યા

એટલું જ નહિ ભોગ બનનાર પરિણીતાને વિશ્વાસ બેસે તે માટે નરાધમે પોતાની પત્નિના નિર્વસ્ત્ર ફોટો પરિણીતાને બતાવી જણાવ્યું કે તેની પત્નિ પણ કાલભૈરવ સાથે સંબંધ રાખે છે તેમ જણાવી આરોપીએ પીડિતા સાથે 2 વાર દુષ્કર્મ આચર્યું હતું.પરંતુ ધંધામાં કોઈ સમૃધ્ધિ નહિ જણાતા પીડિતાએ પોતાના પતિને જાણ કરી હતી.

બાદમાં આરોપી વિરૃદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવ્યા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીને જેલ હવાલે કર્યો હતો.ત્યારબાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારી વકીલ એસ કે વોરાની મજબૂત દલીલો,પુરાવાઓ અને સાક્ષીને ધ્યાને લઇ કોર્ટે આરોપીને અંતિમ શ્વાસ સુધીની કેદ અને 5 હજાર રૂપિયાના દંડનો આદેશ કર્યો છે.

સરકારી વકીલ એસ કે વોરાએ દુષ્કર્મના 27 કેસમાં આરોપીઓને સજા કરાવી

સરકારી વકીલ એસ કે વોરાએ દુષ્કર્મ, હત્યા,હત્યાનો પ્રયાસ, લાંચ સહિતના 70 જેટલા ગંભીર પ્રકારના ગુનાઓમાં આરોપીઓને સજા કરાવી છે તેમજ 27 જેટલા દુષ્કર્મના કેસમાં આરોપીઓને સજા અપાવી છે.એસ કે વોરા તેમના વિશ્લેષણ,તર્કબદ્ધ રજૂઆત,કાયદાના અભ્યાસ અને ધારદાર દલીલ માટે જાણીતા છે.આ ઉપરાંત મોરબી જૂલતા પુલ દુર્ઘટનામાં પણ સરકારી વકીલ એસ કે વોરા જ કેસ લડી રહ્યા છે.જેમાં મુખ્ય આરોપી જયસુખ પટેલ છે.

આ પણ વાંચો: Gujarati Video : નડિયાદમાં વર્ષ 2021માં થયેલા દુષ્કર્મ કેસમાં પોક્સો કોર્ટે દોષિત સાવકા પિતાને ફાંસીની સજા સંભળાવી

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">