હરિયાણાના કરનાલ જિલ્લામાં એક માથાભારે યુવકને સલાહ આપવા જતા ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમામવાનો વારો આવ્યો છે. ઝડપથી વાહન ન ચલાવવાની સલાહથી નારાજ થઈને પાગલ વ્યક્તિએ ઝડપી કાર ચલાવીને ઘણા નિર્દોષ લોકોને કચડી નાખ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ભયાનક ઘટનામાં બેકાબૂ બનેલા યુવકના ગુસ્સાને કારણે એક મહિલા સહિત બે લોકો કચડાયા બાદ મૃત્યુ પામ્યા હતા. આ સાથે જ અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે.
આ ઘટના કરનાલ જિલ્લાના નીલોખેડી શહેરમાં બની હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર હત્યારાએ પાંચ લોકોને પર કાર ચડાવીને કચડી નાખ્યા હતા. મૃતકો સિવાય, તેમની સાથે કચડાયેલા અન્ય ત્રણને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ બધાનો દોષ એ હતો કે તેણે ઝડપભેર કાર ચલાવતા આરોપી સામે વાંધો ઉઠાવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર ઘટના સમયે એક ઘરમાં લગ્ન સમારંભ ચાલી રહ્યો હતો. મહેમાનોની પણ ભારે ભીડ હતી. ગામનો એક છોકરો વારંવાર સ્પીડિંગ કારને શોભાયાત્રાના સ્થળે લાવતો હતો. તેની કાર ચલાવવાની ઝડપ એટલી ઝડપી હતી કે, જેને જોઈને મહેમાનો ચીસો પાડી રહ્યા હતા. ઘણી વખત મહેમાનો અને ઘરવાળાઓએ શોભાયાત્રા સ્થળે આવી ઝડપી કાર ચલાવનાર આરોપી સામે ખુલ્લેઆમ વાંધો ઉઠાવ્યો હતો. જ્યારે લોકોએ વાંધો ઉઠાવ્યો ત્યારે યુવક વાહન સાથે તે સમયે ચૂપચાપ ચાલ્યો ગયો.
ઘટનાસ્થળે હાજર સાક્ષીઓએ પોલીસને આપેલા નિવેદનોમાં જણાવ્યું હતું કે, “લગ્ન સમારોહ શાંતિપૂર્ણ રીતે ચાલ્યો હતો. સમારોહ પછી, જ્યારે મહેમાનો પોતપોતાના સ્થળો માટે રવાના થઈ રહ્યા હતા, ત્યારે અચાનક એ યુવાક પુરપાટ ઝડપે વાહન ચલાવી રહ્યો હતો અને અચાનક આવ્યો. આથી આ વખતે આરોપીની ફરિયાદ તેના પિતાને કરવામાં આવી હતી. આ જ કારણ હતું કેયુવાને ખુબ ગુસ્સો આવી ગયો હતો. અને બાદમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો.