AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: રાજધાનીમાં નવા વર્ષે કોવિડના નિયમોનો ખુલ્લેઆમ થયો ભંગ, 99 લાખનો વસૂલાયો દંડ, નોંધાઈ 66 FIR

કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને, દિલ્હીમાં યલો એલર્ટ લાગુ કર્યા પછી કોવિડ પ્રોટોકોલના ઉલ્લંઘન માટે 1 જાન્યુઆરી 2022 ના રોજ 5 હજારથી વધુ ચલાન આપવામાં આવ્યા છે.

Delhi: રાજધાનીમાં નવા વર્ષે કોવિડના નિયમોનો ખુલ્લેઆમ થયો ભંગ, 99 લાખનો વસૂલાયો દંડ, નોંધાઈ 66 FIR
symbolic picture
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 5:55 PM
Share

કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને, દિલ્હીમાં યલો એલર્ટ લાગુ કર્યા પછી, કોવિડ પ્રોટોકોલના ઉલ્લંઘન માટે શનિવારે એટલે કે, 1 જાન્યુઆરી 2022 ના રોજ 5 હજારથી વધુ ચલાન આપવામાં આવ્યા છે. જેના કારણે 99 લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે અને 66 FIR નોંધવામાં આવી છે. સરકારે કહ્યું કે, ઉત્તર દિલ્હીમાં 731 ઉલ્લંઘન નોંધાયા છે.

જ્યારે મધ્ય દિલ્હીમાં ઉલ્લંઘનના 705 મામલા સામે આવ્યા હતા. રાજધાનીમાં માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા અને જાહેર સ્થળોએ થૂંકવા જેવા કોરોના પ્રોટોકોલના ઉલ્લંઘનના કુલ 4,997 મામલા જોવા મળ્યા હતા.

આ સાથે દિલ્હીમાં નવા વર્ષ પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને વાહનો ચલાવવા બદલ 600થી વધુ લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં દારૂ પીને અને ખતરનાક ડ્રાઇવિંગ જેવા કેસનો સમાવેશ થાય છે. શનિવારે આ અંગે માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, દારૂ પીને ડ્રાઇવિંગ માટે 36, ખતરનાક ડ્રાઇવિંગ માટે 103, હેલ્મેટ વિના ડ્રાઇવિંગ માટે 370, ટ્રિપલ રાઇડિંગ માટે 48 અને અન્ય ઉલ્લંઘન માટે 100 ચલાન આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, ચલાનની કુલ સંખ્યા 657 છે.

કયા નિયમના ભંગ બદલ કેટલા ચલાન આપાયા ?

  1. માસ્ક ન પહેરવા બદલ 4878 ચલાન.
  2. સામાજિક અંતર ન બનાવવા માટે 136 ચલાન.
  3. જાહેર સ્થળોએ થૂંકવા બદલ 56 ચલાન
  4. જાહેર સ્થળોએ દારૂ, ગુટકા, પાનનું સેવન કરવા બદલ 15 ચલાન.
  5. એક દિવસમાં 9934200 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

ગયા વર્ષે, પોલીસે 1,336 ચલાન જાહેર કર્યા હતા, જે આ વર્ષ કરતા બમણા કરતાં વધુ છે. આ સંખ્યા ઓછી છે કારણ કે કોવિડના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજધાનીમાં રાત્રિ કર્ફ્યુ લાગુ છે.

આજે કોરોનાના 3203 નવા કેસ

બીજી તરફ, મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આજે જણાવ્યું હતું કે, હાલમાં શહેરમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 6,360 છે અને રવિવારે 3,100 થી વધુ નવા કેસ નોંધાઈ શકે છે. જણાવી દઈએ કે, માહિતી મળી છે કે આજે દિલ્હીમાં કોરોનાના 3203 નવા કેસ સામે આવ્યા છે, પરંતુ આ દિલ્હી સરકારનું સત્તાવાર હેલ્થ બુલેટિન નથી. સાંજે જાહેર થનારા હેલ્થ બુલેટિન પરથી જ નંબર જાણી શકાશે.

આ પણ વાંચો: Career in Floriculture: રંગબેરંગી ફૂલોની દુનિયામાં છે ઉજ્જવળ કારકિર્દી, જાણો સ્કોપ, કોર્સ, નોકરી અને કેટલો મળે પગાર

આ પણ વાંચો: Hotel Management College: હોટેલ મેનેજમેન્ટમાં યુવાનોની રુચિ સતત વધી છે, અહીં જુઓ ભારતની ટોચની 5 કોલેજ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">