AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : વેસુ વિસ્તારમાં યુવકનું રહસ્યમય મોત, નવનિર્મિત બિલ્ડીંગની પાણીની ટાંકીમાંથી મળી આવ્યો મૃતદેહ

સુરતના વેસુ વિસ્તારમાં નવનિર્મિત બિલ્ડિંગની એક પાણીની ટાંકીમાં યુવકનું રહસ્યમય મોત થયું હોવાની ઘટના સામે આવી છે. યુવકનું મોત થતાં 2 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

Surat : વેસુ વિસ્તારમાં યુવકનું રહસ્યમય મોત, નવનિર્મિત બિલ્ડીંગની પાણીની ટાંકીમાંથી મળી આવ્યો મૃતદેહ
Surat Crime
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2023 | 1:32 PM
Share

Surat: સુરતના વેસુ વિસ્તારમાં (Vesu Area) નવનિર્મિત બિલ્ડિંગની એક પાણીની ટાંકીમાં યુવકનું રહસ્યમય મોત થયું હોવાની ઘટના સામે આવી છે. યુવક સાથે કામ કરતા અન્ય કામદારો યુવકને પાણીની ટાંકીમાંથી બહાર કાઢી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો Surat : લો બોલો ! હવે શાકભાજીની પણ ચોરી, શાકભાજીના વધતા ભાવો વચ્ચે સુરતમાં 17 કટ્ટા બટેકાની ચોરી

સમગ્ર ઘટના મામલે પોલીસે મોતનું સાચું કારણ જાણવા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. યુવકનું મોત થતાં બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ યુવક વેસુમાં નિર્માણાધીન બિલ્ડીંગમાં આવેલા ત્રણ બેઝમેન્ટમાં સફાઈ કામગીરી કરતો હોવાનું સામે આવ્યું છે.

3 મહિના પહેલા જ સુરત આવ્યો હતો

મૂળ મહારાષ્ટ્રનો 37 વર્ષીય સંતોષ દેવીદાસ પાટીલ ઉધના ત્રણ રસ્તા પાસે રહેતો હતો. ત્રણ મહિના પહેલા જ વતનથી સુરત રોજગારી માટે આવ્યો હતો. સંતોષના પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરી છે. જે વતન રહે છે અને સંતોષ સુરતમાં એકલો તેના વતનના અન્ય લોકો સાથે રહેતો હતો. સંતોષ બે મહિના પહેલા વેસુમાં નિર્માણાધિન બિલ્ડિંગ રાજહંસ ક્રીમોનિયમાં કામે લાગ્યો હતો. અહીં તેના વતનના લોકો પણ સાથે કામ કરતા હતા.

બેઝમેન્ટમાં સંતોષ સફાઈ કામગીરી કરતો હતો

સંતોષ બિલ્ડિંગમાં આવેલા ત્રણ બેઝમેન્ટમાં સંતોષ સફાઈ કામગીરી કરતો હતો. આ દરમિયાન ત્રીજા બેઝમેન્ટમાં આવેલી પાણીની ટાંકીમાંથી સંતોષ તરતી હાલતમાં મળી આવ્યો હતો. જેથી સાથી કામદારો તેને બહાર કાઢી હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

શોધખોળ કરતા પાણીની ટાંકીમાંથી મળી આવ્યો

મૃતકના મિત્ર કિશોરે જણાવ્યું હતું કે, કામદારોની ગણતરી સમયે એક કામદાર ઘટ્યો હતો. જેના કારણે સંતોષની શોધખોળ કરતા ઘૂંટણ સુધી ભરેલી પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો. જે બાદ અમે તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. હાલ તેના મોતનું કારણ જાણવા મળ્યું નથી. પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે. આ અંગે વતન રહેતા તેના પરિવારને જાણ કરતા તેઓ પણ સુરત ખાતે દોડી આવ્યા છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">