AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Cruise Rave Party: પુરાવા મળ્યા બાદ જ 1800 માંથી 8 લોકોની અટકાયત કરવામાં આવી-NCB ચીફ એસએન પ્રધાન

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ડીજી એસએન પ્રધાને અમારી સહયોગી ચેનલ ટીવી 9 ભારતવર્ષ સાથે ક્રૂઝમાં ડ્રગ્સ મળવાના કેસ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે સ્પેસિફિક કોઈ પણ વ્યક્તિ વિશે ટિપ્પણી કરી શકે નહીં. કેટલાક બોલિવૂડ કનેકશન પણ મળ્યા છે. તેમની તપાસ કરવામાં આવી રહી છે.

Mumbai Cruise Rave Party: પુરાવા મળ્યા બાદ જ 1800 માંથી 8 લોકોની અટકાયત કરવામાં આવી-NCB ચીફ એસએન પ્રધાન
એનસીબી ચીફ એસએન પ્રધાન
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 4:09 PM
Share

મુંબઈમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ ફિલ્મી સ્ટાઈલમાં ક્રુઝ (Cruise Rave Party)  પર દરોડા પાડ્યા અને 8 લોકોની અટકાયત કરી. તેમાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન (Shahrukh Khan Son Aryan) પણ સામેલ છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ડીજી એસએન પ્રધાને અમારી સહયોગી ચેનલ ટીવી 9 ભારતવર્ષને કહ્યું કે અમે પેસેન્જર બનીને જ ક્રૂઝમાં છુપાઈ શક્યા હતા. આખી ટીમને શંકાના દાયરાથી દૂર રાખવાની હતી અને રીસ્કને પણ ઓછું કરવાનું હતું, આ કારણે જ અમે પેસેન્જર બનીને જ ક્રુઝની અંદર દાખલ થયા.

પ્રધાને કહ્યું કે લાંબા સમયથી ગુપ્તચર અહેવાલો મળી રહ્યા હતા અને જ્યારે આખરે પુષ્ટિ થઈ કે કાર્યવાહી કરી શકાય તેમ છે, ત્યારે અમે આ પગલું ભર્યું. દરોડામાં 8 લોકોની અટકાયત કરવામાં આવી છે. દરેકની પૂછપરછ કરવામાં આવી રહી છે. ધરપકડ અંગેનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે. રેડમાં ઘણાં પ્રકારના ડ્રગ્સ મળ્યા હતા જેમાં એમડીએમએ અને ચરસનો સમાવેશ થાય છે.

જોડાયેલા તમામ લોકો પર કાર્યવાહી કરવામાં આવશે

જ્યારે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે તે કોઈ પણ વ્યક્તિના નામ વિશે ટિપ્પણી કરી શકે નહીં. પરંતુ કેટલાક બોલિવૂડ કનેક્શન પણ મળ્યા છે. તેમની તપાસ કરવામાં આવી રહી છે. કનેક્ટેડ તમામ લોકો પર કાર્યવાહી કરવામાં આવશે.

પ્રથમ દ્રષ્ટિએ પુરાવા મળ્યા

ડીજી એસએન પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે જ્યારે 1800 લોકોમાંથી 8 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, ત્યારે ચોક્કસપણે પ્રથમ દ્રષ્ટિએ કેટલાક પુરાવા મળ્યા છે. પ્રાથમિક પુરાવાના આધારે તમામની અટકાયત કરવામાં આવી છે. ટૂંક સમયમાં કેટલાક વધુ લોકોની પણ ધરપકડ કરવામાં આવશે. પ્રધાને જણાવ્યું કે આ સમગ્ર ઘટનામાં ડાર્ક નેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડાર્કનેટ એ ઇન્ટરનેટનો એ ભાગ છે જે ખતરનાક છે. લોકો નકલી નામો સાથે ડાર્ક નેટ પર આવે છે. ડ્રગ્સ કેવી રીતે જહાજ સુધી પહોંચી અને સપ્લાયર્સ કોણ હતા, આખી ચેઇન પકડાઇ જશે.

આ પણ વાંચો :  Aryan Khan Drug Case: કોઈ ફિલ્મના સીનથી કમ નથી આ રેઇડની કહાની, પાર્ટીમાં પ્રવેશવા રાખ્યો હતો આ સિક્રેટ કોડ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">