Mumbai Cruise Rave Party: પુરાવા મળ્યા બાદ જ 1800 માંથી 8 લોકોની અટકાયત કરવામાં આવી-NCB ચીફ એસએન પ્રધાન

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ડીજી એસએન પ્રધાને અમારી સહયોગી ચેનલ ટીવી 9 ભારતવર્ષ સાથે ક્રૂઝમાં ડ્રગ્સ મળવાના કેસ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે સ્પેસિફિક કોઈ પણ વ્યક્તિ વિશે ટિપ્પણી કરી શકે નહીં. કેટલાક બોલિવૂડ કનેકશન પણ મળ્યા છે. તેમની તપાસ કરવામાં આવી રહી છે.

Mumbai Cruise Rave Party: પુરાવા મળ્યા બાદ જ 1800 માંથી 8 લોકોની અટકાયત કરવામાં આવી-NCB ચીફ એસએન પ્રધાન
એનસીબી ચીફ એસએન પ્રધાન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 4:09 PM

મુંબઈમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ ફિલ્મી સ્ટાઈલમાં ક્રુઝ (Cruise Rave Party)  પર દરોડા પાડ્યા અને 8 લોકોની અટકાયત કરી. તેમાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન (Shahrukh Khan Son Aryan) પણ સામેલ છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ડીજી એસએન પ્રધાને અમારી સહયોગી ચેનલ ટીવી 9 ભારતવર્ષને કહ્યું કે અમે પેસેન્જર બનીને જ ક્રૂઝમાં છુપાઈ શક્યા હતા. આખી ટીમને શંકાના દાયરાથી દૂર રાખવાની હતી અને રીસ્કને પણ ઓછું કરવાનું હતું, આ કારણે જ અમે પેસેન્જર બનીને જ ક્રુઝની અંદર દાખલ થયા.

પ્રધાને કહ્યું કે લાંબા સમયથી ગુપ્તચર અહેવાલો મળી રહ્યા હતા અને જ્યારે આખરે પુષ્ટિ થઈ કે કાર્યવાહી કરી શકાય તેમ છે, ત્યારે અમે આ પગલું ભર્યું. દરોડામાં 8 લોકોની અટકાયત કરવામાં આવી છે. દરેકની પૂછપરછ કરવામાં આવી રહી છે. ધરપકડ અંગેનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે. રેડમાં ઘણાં પ્રકારના ડ્રગ્સ મળ્યા હતા જેમાં એમડીએમએ અને ચરસનો સમાવેશ થાય છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

જોડાયેલા તમામ લોકો પર કાર્યવાહી કરવામાં આવશે

જ્યારે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે તે કોઈ પણ વ્યક્તિના નામ વિશે ટિપ્પણી કરી શકે નહીં. પરંતુ કેટલાક બોલિવૂડ કનેક્શન પણ મળ્યા છે. તેમની તપાસ કરવામાં આવી રહી છે. કનેક્ટેડ તમામ લોકો પર કાર્યવાહી કરવામાં આવશે.

પ્રથમ દ્રષ્ટિએ પુરાવા મળ્યા

ડીજી એસએન પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે જ્યારે 1800 લોકોમાંથી 8 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, ત્યારે ચોક્કસપણે પ્રથમ દ્રષ્ટિએ કેટલાક પુરાવા મળ્યા છે. પ્રાથમિક પુરાવાના આધારે તમામની અટકાયત કરવામાં આવી છે. ટૂંક સમયમાં કેટલાક વધુ લોકોની પણ ધરપકડ કરવામાં આવશે. પ્રધાને જણાવ્યું કે આ સમગ્ર ઘટનામાં ડાર્ક નેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડાર્કનેટ એ ઇન્ટરનેટનો એ ભાગ છે જે ખતરનાક છે. લોકો નકલી નામો સાથે ડાર્ક નેટ પર આવે છે. ડ્રગ્સ કેવી રીતે જહાજ સુધી પહોંચી અને સપ્લાયર્સ કોણ હતા, આખી ચેઇન પકડાઇ જશે.

આ પણ વાંચો :  Aryan Khan Drug Case: કોઈ ફિલ્મના સીનથી કમ નથી આ રેઇડની કહાની, પાર્ટીમાં પ્રવેશવા રાખ્યો હતો આ સિક્રેટ કોડ

Latest News Updates

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">