Mumbai: અંબાણીના ઘર બહાર વિસ્ફોટક ભરેલી કાર મળી હતી તેના માલિકનો મૃતદેહ થાણેથી મળ્યો

|

Mar 05, 2021 | 5:48 PM

Mumbai: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર તાજેતરમાં એક બિનવારસી કારમાં વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી.

Mumbai: અંબાણીના ઘર બહાર વિસ્ફોટક ભરેલી કાર મળી હતી તેના માલિકનો મૃતદેહ થાણેથી મળ્યો

Follow us on

Mumbai: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર તાજેતરમાં એક બિનવારસી કારમાં વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. જે સ્કોર્પિયો કારમાં જિલેટીન સ્ટિક મળી આવી હતી તે ચોરી કરેલી કાર હતી. પરંતુ હવે પોલીસને એ કારના માલિકની ભાળ મળી ગઈ છે. જો કે આ સમગ્ર મામલે એક મોટો ઘટસ્ફોટ થયો છે. આ કારના માલિકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં થાણેથી મળી આવ્યો છે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

કારના માલિક મનસુખ હિરેનનો મૃતદેહ કાલવા ક્રીક નજીકથી મળી આવ્યો હતો, સમાચાર એજન્સી ANI અનુસાર થાણેના ડીસીપીએ કહ્યું કે તેમનું મોત કલાવા ક્રીકમાં કૂદવાના કારણે થયું છે. આ આત્મહત્યાનો મામલો છે. આ સમગ્ર ઘટનામાં કારના માલિક મનસુખ હિરેનની આત્મહત્યાએ અનેક રહસ્યો ઊભા કર્યા છે. આવનારા સમયમાં આ ઘટનામાં ચોંકવાનારા ખુલાસા થઈ શકે તેવી સંભાવના રહેલી છે. 

 

આ પણ વાંચો: Gandhinagar : Congressના 60થી વધુ ઉંમરના તમામ ધારાસભ્યો કોરોના વેક્સિન લેશે

Published On - 5:40 pm, Fri, 5 March 21

Next Article