Me Too: પ્રિયા રમાની સામે M J Akbarનાં માનહાનિના કેસમાં ચુકાદો ટળ્યો, નવી તારીખ જાહેર

|

Feb 10, 2021 | 2:51 PM

2018 માં Me too કેમ્પેન પછી સોશિયલ મીડિયા પર તોફાન સર્જાયું હતું. આ અભિયાનના ભાગ રૂપે ઘણી સ્ત્રીઓએ સોશિયલ મીડિયા પર તેમના જાતીય સતામણી વિશે ખુલીને વાત કરી હતી. જેમાં વર્ષ 2018 માં પત્રકાર પ્રિયા રમાનીએ પૂર્વ વિદેશ પ્રધાન એમ.જે. અકબર પર જાતીય સતામણીનો આરોપ મુક્યો હતો.

Me Too: પ્રિયા રમાની સામે M J Akbarનાં માનહાનિના કેસમાં ચુકાદો ટળ્યો, નવી તારીખ જાહેર
એમજે અકબર, પ્રિયા રમાની

Follow us on

2018 માં Me too કેમ્પેન પછી સોશિયલ મીડિયા પર તોફાન સર્જાયું હતું. આ અભિયાનના ભાગ રૂપે ઘણી સ્ત્રીઓએ સોશિયલ મીડિયા પર તેમના જાતીય સતામણી વિશે ખુલીને વાત કરી હતી. જેમાં વર્ષ 2018 માં પત્રકાર પ્રિયા રમાનીએ પૂર્વ વિદેશ પ્રધાન એમ.જે. અકબર પર જાતીય સતામણીનો આરોપ મુક્યો હતો. આ અંગે અકબરે રમાની સામે માનહાનિનો દાવો કર્યો હતો. આ કેસમાં દિલ્હીની કોર્ટ બુધવારે 17 ફેબ્રુઆરીએ પોતાનો ચુકાદો આપી શકે છે.

શું હતો મામલો
સોશિયલ મીડિયામાં વર્ષ 2018માં Me too કેમ્પેને જોર પકડ્યું હતું. જેમાં પત્રકાર પ્રિયા રમાનીએ પૂર્વ વિદેશ પ્રધાન એમ.જે. અકબર પર આ કેમ્પેનમાં જ જાતીય સતામણીનો આરોપ મુક્યો હતો. જેની સામે એમ.જે. અકબરે પ્રિયા રમાની પર માનહાનીનો દાવો કર્યો હતો. આ કેસની પહેલી સુનાવણી 10 એપ્રિલ 2019માં થઇ હતી. આ કેસની આજે   સુનાવણી થવાની હતી જે હવે 17 તારીખ પર ટળી ગઈ છે. .

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

દલીલો પૂર્ણ
અકબર અને રમાનીના વકીલો તરફથી દલીલો પૂરી થયા બાદ 1 મે ફેબ્રુઆરીના રોજ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ રવિન્દ્ર કુમારે આ ચુકાદો સુરક્ષિત કરી દીધો હતો. એમને કહ્યું હતું કે કોર્ટ 10 ફેબ્રુઆરીએ કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે. અકબરે કોર્ટમાં મહિલા પત્રકાર પર આરોપ લગાવ્યો હતો કે “રામાણીએ તેની પ્રતિષ્ઠાને ડામવા માટે 20 વર્ષ પછી તેણે ખોટા આક્ષેપો કર્યા છે. જો તેની સાથે જાતિય દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો, તો તે આટલા વર્ષો સુધી શા માટે મૌન રહ્યા? આ સિવાય તે ક્યારે અને ક્યાં જાતીય શોષણ થયું તે અંગે કોઈ પુરાવા રજૂ નથી કરી શક્યા. તેમજ આ ઘટના અંગે કોઈ સાક્ષી નથી. આવા કિસ્સામાં તેમને માનહાનિના આરોપમાં સજા થવી જોઈએ.”

Published On - 10:55 am, Wed, 10 February 21

Next Article