બકરી ચોરી કર્યાની શંકાએ વ્યક્તિને ઢોર માર મારી કરી હત્યા, પોલીસે બે આરોપીઓની કરી અટકાયત

|

Jan 03, 2022 | 12:14 PM

45 વર્ષીય વ્યક્તિને બકરી ચોરીની શંકામાં માર મારીને હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવી છે.

બકરી ચોરી કર્યાની શંકાએ વ્યક્તિને ઢોર માર મારી કરી હત્યા, પોલીસે બે આરોપીઓની કરી અટકાયત
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

આસામના ગોલાઘાટ જિલ્લાના એક દૂરના ગામમાં, ત્રણ માણસોએ એક 45 વર્ષીય વ્યક્તિને બકરી ચોરીની શંકામાં માર મારીને હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવી છે. દેરગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના મમરાની ગામમાં શનિવારે રાત્રે સ્થાનિક લોકોની હાજરીમાં બનેલી આ ઘટનાના સંબંધમાં બે લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ડેરગાંવ પોલીસ સ્ટેશનના પ્રભારી પ્રદીપ ચૌધરીએ જણાવ્યું હતું કે, “મૃતકની ઓળખ સંજય દાસ તરીકે થઈ છે. તેના પરિવારજનો થોડા સમય પહેલા પોલીસ સ્ટેશન ગયા હતા. ફરિયાદ મળતાં જ કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, દાસ પર ત્રણ લોકોએ હુમલો કર્યો હતો, જેઓ એક જ ગામના રહેવાસી છે. હુમલા બાદ દાસને પહેલા ડેરગાંવ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાંના ડોકટરોએ તેમને જોરહાટ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (JMCH)માં ખસેડ્યા હતા. દાસનું રવિવારે વહેલી સવારે મૃત્યુ થયું હતું. પોલીસ દ્વારા અટકાયત કરાયેલા બે આરોપીઓની આ કેસની વિગતો મેળવવા પૂછપરછ કરવામાં આવી રહી છે. ચૌધરીએ કહ્યું, “અમારી માહિતી મુજબ, એક આરોપીની બકરી ગુમ થઈ ગઈ હતી અને દાસને તેની ચોરીની શંકા હતી.”

ઓલ આસામ સ્ટુડન્ટ યુનિયનના નેતાને માર માર્યો

બકરીના માલિકે તેના મિત્રો સાથે મળીને દાસને માર માર્યો, જેના કારણે તેનું મૃત્યુ થયું. આસામ વિધાનસભાના તાજેતરમાં પૂરા થયેલા શિયાળુ સત્ર દરમિયાન, સરકારે કહ્યું હતું કે તે અન્ય રાજ્યોની જેમ લિંચિંગના કેસોનો સામનો કરશે. વિરૂદ્ધ બિલ લાવવા અંગે ચર્ચા કરશે. ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (AASU)ના નેતા અનિમેષ ભુયાને 29 નવેમ્બરના રોજ જોરહાટ શહેરમાં એક અકસ્માત અંગે ઉગ્ર દલીલ બાદ ટોળાએ માર માર્યો હતો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તાજેતરમાં તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, 1 એપ્રિલ 2019 અને માર્ચ 31 2020 વચ્ચે પોલીસ કસ્ટડી અને એન્કાઉન્ટરમાં થયેલા મૃત્યુના સંદર્ભમાં પૂર્વોત્તર રાજ્યોમાં આસામ પ્રથમ ક્રમે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) તાજેતરમાં તેના અહેવાલમાં, એવું કહેવામાં આવ્યું હતું કે, 2001 થી 2020 ની વચ્ચે છેલ્લા 20 વર્ષોમાં, દેશભરમાં 1,888 પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયા છે. પરંતુ આ કેસોમાં અત્યાર સુધી માત્ર 26 પોલીસકર્મીઓને જ દોષિત ઠેરવવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો: Career in Floriculture: રંગબેરંગી ફૂલોની દુનિયામાં છે ઉજ્જવળ કારકિર્દી, જાણો સ્કોપ, કોર્સ, નોકરી અને કેટલો મળે પગાર

આ પણ વાંચો: Hotel Management College: હોટેલ મેનેજમેન્ટમાં યુવાનોની રુચિ સતત વધી છે, અહીં જુઓ ભારતની ટોચની 5 કોલેજ

Published On - 6:40 pm, Sun, 2 January 22

Next Article