AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: કોરોનાથી ડરીને દીકરીઓએ ત્રણ દિવસ સુધી પિતાનો મૃતદેહ રાખ્યો ઘરમાં, એક દીકરીએ કરી આત્મહત્યા, જાણો સમગ્ર મામલો

કોરોનાવાયરસ તપાસના ડરને કારણે પુત્રીઓએ વૃદ્ધ પિતાનો મૃતદેહ ત્રણ દિવસ ઘરમાં રાખ્યો હતો. આ દરમિયાન એક પુત્રીએ આત્મહત્યા કરી, જ્યારે બીજી પુત્રી જેણે પોતાનો જીવ આપવાનો પ્રયત્ન કર્યો તે બચી ગઈ હતી.

Maharashtra: કોરોનાથી ડરીને દીકરીઓએ ત્રણ દિવસ સુધી પિતાનો મૃતદેહ રાખ્યો ઘરમાં, એક દીકરીએ કરી આત્મહત્યા, જાણો સમગ્ર મામલો
પ્રતિકાત્મક તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 5:54 PM
Share

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં પ્રકાશમાં આવેલી એક દુ: ખદ ઘટનામાં કોરોનાવાયરસ તપાસના ડરને કારણે (Coronavirus Fear) પુત્રીઓએ વૃદ્ધ પિતાનો મૃતદેહ ત્રણ દિવસ ઘરમાં રાખ્યો હતો. આ દરમિયાન એક પુત્રીએ આત્મહત્યા કરી, જ્યારે બીજી પુત્રી જેણે પોતાનો જીવ આપવાનો પ્રયત્ન કર્યો તે બચી ગઈ હતી. પોલીસે કહ્યું કે, દીકરીઓને ડર હતો કે, તેમના પિતાના મૃત્યુ બાદ તેમની તપાસ કરવામાં આવશે અને જો ચેપ લાગશે તો તેમને ક્વોરેન્ટાઇનમાં (Quarantine) રાખવામાં આવશે.

અરનાલા સાગરી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક રાજુ માનેએ જણાવ્યું હતું કે, નિવૃત્ત રાશન અધિકારી હરિદાસ સહરકરની વિકૃત લાશ બુધવારે વિરારના ગોકુલ શહેરમાં તેમના ઘરેથી મળી આવી હતી. આ બાબત ત્યારે પ્રકાશમાં આવી જ્યારે સહારકરની નાની પુત્રી સ્વપ્નાલીએ વહેલી સવારે નવાપુરમાં દરિયામાં કૂદકો માર્યો અને સ્થાનિક લોકોએ તેને બચાવી લીધી હતી.

કોરોનાથી ચપેટમાં આવવાનો હતો ભય

તેમણે કહ્યું કે, તપાસમાં બહાર આવ્યું કે સહરકરનું રવિવારે ઘરે મૃત્યુ થયું હતું. ત્યારબાદ પરિવારે તેના મૃતદેહને ડરથી ઘરમાં રાખ્યો હતો કે, તે કોરોનાથી પકડાઈ જશે અને પછી તેને ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. તેમણે જણાવ્યું હતું કે, મૃતક વ્યક્તિની મોટી પુત્રીએ નવાપુરમાં દરિયામાં કૂદીને આત્મહત્યા કરી હતી અને મંગળવારે તેનો મૃતદેહ પોલીસને મળી આવ્યો હતો.

આવી રીતે થયો ખુલાસો

આ પછી નાની દીકરીએ આ જ રીતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો પણ તે બચી ગઈ. અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ શરૂઆતમાં આત્મહત્યાના પ્રયાસના કેસની તપાસ કરી રહી હતી અને હવે આકસ્મિક મૃત્યુના બે કેસ નોંધ્યા છે.

આ પણ વાંચો: Hockey Team : કેપ્ટન મનપ્રીત સિંહે 41 વર્ષ બાદ મળેલા મેડલને કોવિડ યોદ્ધાઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને કર્યો સમર્પિત

આ પણ વાંચો: Tokyo Olympics 2020 : ભારત-પાકિસ્તાનના ખેલાડી ઓલિમ્પિકમાં ટકરાશે, જાણો ક્યારે અને કઈ રમતમાં થશે ટક્કર

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">