Jharkhand: ગુમલામાં માઓવાદીઓએ કર્યો બોમ્બ બ્લાસ્ટ, IED બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત

|

Aug 19, 2021 | 3:40 PM

ઝારખંડના ગુમલા જિલ્લાના બિશુનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જુડવાણી ગામમાં માઓવાદીઓ દ્વારા કરવામાં આવેલા IED વિસ્ફોટમાં એક ગ્રામજનનું મોત થયું છે.

Jharkhand: ગુમલામાં માઓવાદીઓએ કર્યો બોમ્બ બ્લાસ્ટ, IED બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત
IED bombs can also be controlled remotely. (symbolic photo)

Follow us on

ઝારખંડના (Jharkhand) ગુમલા જિલ્લાના (Gumla District) બિશુનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના (Bishunpur Police Station) જુડવાણી ગામમાં માઓવાદીઓ દ્વારા કરવામાં આવેલા IED વિસ્ફોટમાં (IED Blast) એક ગ્રામજનનું મોત થયું છે. ગ્રામજનનું નામ બુધુ નાગેસિયા જણાવવામાં આવી રહ્યું છે. આ મામલે ગુમલા એસપી સાથે વાત કરવા પર તેમણે કહ્યું કે, આઈડી વિસ્ફોટના સમાચાર છે. આ વિસ્ફોટમાં એક ગ્રામજનના મોતના સમાચાર આવી રહ્યા છે. આ બાબતની હાલ તપાસ કરવામાં આવી રહી છે.

ગ્રામીણ સૂત્રોના જણાવ્યા અનુસાર, સીપીઆઈ-માઓવાદી દ્વારા તેમના સુરક્ષા કવરના હેતુથી બિષ્ણુપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વિવિધ જંગલોમાં IED બોમ્બ નાખવામાં આવ્યા હતા. બુધવારે જુડવાણી ગામનો બુધુ નાગેસિયા નામનો વ્યક્તિ પોતાના પશુઓને ચરાવવા માટે જંગલ તરફ લઈ ગયો હતો. તે જંગલમાં પોતાના ઢોર ચરાવતો હતો. તે જ સમયે તેનો પગ માઓવાદીઓ દ્વારા મૂકેલા IED બોમ્બ પર પડ્યો અને વિસ્ફોટ થયો હચો. વિસ્ફોટના કારણે સ્થળ પર જ તેનું મોત થયું હતું.

વિસ્ફોટના કારણે ગ્રામજનોમાં ભારે ગભરાટ ફેલાયો

બ્લાસ્ટના મોટા અવાજને કારણે ગ્રામજનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. તેનું કારણ જાણવા માટે ગામના કેટલાક લોકોએ હિંમત એકઠી કરી અને જંગલ તરફ ગયા હતા. ગામના ઘણા લોકો ત્યાં પશુઓ લઈ ગયા હતા. જંગલમાં ગયા બાદ ગામલોકોએ બુધુ નાગેસિયાનો મૃતદેહ જોયો અને ત્યાર બાદ ચેને લઈને રાત્રે ગામ પરત પહોંચ્યા. ઘટના અંગે બિષ્ણુપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. રાત હોવાથી બિશ્નુપુર પોલીસ જંગલમાં ગઈ ન હતી. ગુરુવારે સવારે સ્ટેશન ઈન્ચાર્જ સદાનંદ સિંહના નેતૃત્વમાં પોલીસ ઘટનાસ્થળે જવા રવાના થઈ છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

અહીં જણાવી દઈએ કે, IED બ્લાસ્ટને કારણે ભૂતકાળમાં એક ગ્રામજનોએ પોતાનો પગ ગુમાવ્યો હતો અને કેટલાક પોલીસકર્મીઓ પણ મૃત્યુ પામ્યા હતા. અત્રે જણાવી દઈએ કે, માઓવાદીઓ અને પોલીસ વચ્ચેના લોહિયાળ સંઘર્ષમાં ગામના નિર્દોષ લોકો હંમેશા જીવ ગુમાવી રહ્યા છે. પોલીસ જંગલોમાં માઓવાદીઓ સામે ઝુંબેશ ચલાવી રહી છે, જ્યારે માઓવાદીઓ તેમની સુરક્ષાના દૃષ્ટિકોણથી જંગલની આસપાસ IED બોમ્બ લગાવી રહ્યા છે. જેના કારણે દરરોજ નિર્દોષ ગ્રામજનો મરી રહ્યા છે.

આ પહેલા પણ ગ્રામજનોનું મોત થયું હતું

તમને જણાવી દઈએ કે, 14 જુલાઈના રોજ મારવા જંગલમાં લેન્ડ માઈન વિસ્ફોટમાં એક ગ્રામજનોનું મોત થયું હતું. આ ઘટના જિલ્લાના ચૈનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલમાં બની હતી. નક્સલવાદીઓએ ગોઠવેલી લેન્ડ માઇન્સમાં વિસ્ફોટમાં ગ્રામજનોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ પહેલા 13 જુલાઈએ કુબુમગ પોલીસ સ્ટેશન વિસ્તારના મડવા જંગલમાં નક્સલવાદીઓ દ્વારા રોપવામાં આવેલા લેન્ડમાઈન બ્લાસ્ટમાં કોબ્રા બટાલિયન 203 નો એક જવાન ઘાયલ થયો હતો. જેમાં એક ડોગ હેન્ડલર માર્યો ગયો હતો.

 

આ પણ વાંચો: PGCIL Recruitment 2021 : ફિલ્ડ એન્જીનિયર પદ પર ભરતી, 27 ઑગષ્ટ સુધી કરી શકશો એપ્લાય

આ પણ વાંચો: Anurag Thakur Jan Ashirvad Yatra : હિમાચલ ભવનથી અનુરાગ ઠાકુરની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ, પરવાનુમાં કરવામાં આવશે ભવ્ય સ્વાગત

Next Article